Monday July 28, 2025

શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પ્રસંગે આસ્થાભેર થયેલ શિવપૂજન વંદના

મૂકેશ પંડિત, જાળિયા: બુધવાર તા.૨૬-૨-૨૦૨૫ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પ્રસંગે આસ્થાભેર શિવપૂજન વંદના થયેલ છે. શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્ય સાથે પાઠાત્મક મહારુદ્ર અભિષેક અને પ્રસાદ લાભ મળેલ છે. શિવજીનાં મહાત્મ્ય ભરેલાં પર્વ મહાશિવરાત્રી પ્રસંગે ગોહિલવાડનાં જાણીતાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્ય સાથે પાઠાત્મક મહારુદ્ર અભિષેક આયોજન થઈ ગયું. આશ્રમમાં શ્રી સોમનાથ મહાદેવ સ્થાનમાં […]

કનૈયો બન્યો મહાદેવ: શિવરાત્રિ પર્વ નિમિત્તે દ્વારકાધીશને શિવસ્વરૂપ શૃંગાર

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫        મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આજરોજ યાત્રાધામ દ્વારકાના સુપ્રસિધ્ધ શ્રી દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને શિવ સ્વરૂપના વિશેષ શૃંગાર મનોરથ યોજવામાં આવ્યા હતા.          શિવજીના વિશેષ વાઘા સાથેનો શૃંગાર ઠાકોરજીને કરાયો હતો. ઠાકોરજીના દૈદિપ્યમાન શૃંગાર મનોરથનો બહોળી સંખ્યામાં સ્થાનિકોએ તેમજ ઓનલાઇનના માધ્યમથી લાખો ભાવિકોએ દર્શન મનોરથનો લાભ લઈ, ભાવવિભોર […]

ભાવનગરના શિવકુંજ ધામમાં દિવ્યતાથી ઉજવાયો મહાશિવરાત્રી મહોત્સવ

ભવનાથ મહાદેવ મંદિરે ઉમટયો માનવ મહેરામણ હરેશ જોષી, ભાવનગર તા. ૨૬. ૨પુ.સંતશ્રી સીતારામ બાપૂના સાંન્નિધ્યમાં ભાવનગરની ભાગોળે આવેલ શિવકુંજ આશ્રમે મહાશિવરાત્રી મહોત્સવ ખુબજ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવાયો હતો.પૂ. શંકરાચાર્ય મહારાજ દ્વારા સ્થાપિત સ્ફટિક મણી શિવલીંગ ની ચારેય પ્રહરની પૂજા પૂ. સીતારામ બાપુ દ્વારા ભૂદેવો સાથે વિવિધ રસ અને તીર્થે જળના અભિષેકથી કરવામાં આવી હતી.પધારેલ […]

દ્વારકાના દ્વાદર્શ નાગેશ્વર જયોર્તિલિંગ ખાતે શિવ ભક્તોનો મેળાવડો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫           સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા નજીક આવેલા દ્વાદર્શ જયોર્તિલિંગ નાગેશ્વર મંદિર ખાતે આજરોજ મહાશિવરાત્રિના હરી અને હરના ભક્તોનો મેળાવડો જોવા મળ્યો હતો.        દ્વારકા નજીકના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આજે શિવરાત્રીના પવન પર્વ નિમિત્તે સ્થાનિક ભક્તો ઉપરાંત પ્રવાસીઓ પણ મહાદેવ દૂધ અને જલથી અભિષેક કરી, […]

સદાબહાર અમદાવાદ: આગામી સમયમાં અમદાવાદમાં થશે ઓલમ્પિક: પરિમલ નથવાણી

– સ્થાપના દિને અમદાવાદીઓને શુભેચ્છા પાઠવતા શ્રી નથવાણી – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫          ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીએ અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી છે. જે બાબતનું ગૌરવ વ્યક્ત કરી, વિવિધ મુદ્દાઓ પર પ્રકાશ પાડતા તેમણે ગર્વભેર વિવિધ બાબતો વર્ણવી છે. સાથે સાથે સ્થાપના દિને તમામ અમદાવાદીઓને […]

અવસાન નોંધ: જામ ખંભાળિયા : ભાયાણી (સોનારડી વાળા)

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫ જામ ખંભાળિયા: સ્વ. મુલજીભાઈ વલ્લભદાસ ભાયાણી (સોનારડી વાળા) ના પુત્ર ગિરધરલાલ (ઉ.વ. 83) તે રમેશભાઈ, સ્વ. જીતેન્દ્રભાઈ, મનીષભાઈ તેમજ શોભનાબેન હરેશકુમાર ગોકાણી (દ્વારકા), મીનાબેન પ્રભુદાસ દતાણી (ખંભાળિયા) અને સોનલબેન અમિતકુમાર રાજાણી (રાજકોટ)ના પિતાશ્રી તેમજ રતનશી માવજીભાઈ બારાઈના જમાઈ તા. 26 મીના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી […]

ખંભાળિયામાં ખામનાથ મહાદેવની પરંપરાગત વરણાંગી નીકળી: મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા

– જિલ્લા કલેકટર આર.એમ. તન્નાએ કર્યું પૂજન અર્જન –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫          ખંભાળિયાના પાદરમાં બિરાજતા શ્રી ખામનાથ મહાદેવની પરંપરાગત વરણાંગી આજરોજ સવારે અહીંના વિજય ચોકમાં આવેલી રંગ મહોલ સ્કૂલ વિસ્તારમાંથી નીકળી હતી.         છેલ્લા આશરે પાંચ સદી જુના ખામનાથ મહાદેવની શિવ વરણાંગી (શોભાયાત્રા) ને પરંપરાગત […]

ખંભાળિયામાં મહાશિવરાત્રી નિમિત્તે નગરજનોને થયા પ્રયાગરાજના દર્શન

– એકતા યુવક મંડળના ફ્લોટનું આકર્ષણ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫        ખંભાળિયામાં યુવા કાર્યકરોના એકતા ગ્રુપ દ્વારા દર ધાર્મિક તહેવારે સુંદર અને આકર્ષક ફ્લોટનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારે આ વખતે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે અહીંના સતવારા વાડ ખાતે આવેલા શ્રી એકતા યુવક મંડળ દ્વારા પ્રયાગરાજ મહાકુંભ મેળાના સુંદર દર્શન […]

રંઘોળામાં ભાવનાથ મહાદેવનાં સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વ

રંઘોળા બુધવાર તા.૨૬-૨-૨૦૨૫( મૂકેશ પંડિત ) મહાશિવરાત્રી પર્વની સર્વત્ર ભાવ ભક્તિ સાથે ઉજવણી થઈ છે. રંઘોળામાં પ્રાકૃતિક વાતાવરણમાં બિરાજતાં ભાવનાથ મહાદેવનાં સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વ પ્રસંગે પાઠાત્મક મહારુદ્ર અને હોમાત્મક મહારુદ્ર દ્વારા પૂજન વંદના થઈ. શિવજીનાં દર્શન પૂજનમાં રંઘોળા સહિત આસપાસનાં ગામોમાંથી ભાવિકો લાભ લેતાં રહ્યાં છે.

ખંભાળિયા બન્યું શિવમય: શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે પર્વે ઠેર ઠેર શિવનાદ ગુંજ્યો

– સવારથી વિવિધ શિવ મંદિરમાં ઉમટી શિવ ભક્તોને ભીડ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫         દેવાધિદેવ મહાદેવના પાવન પર્વ મહાશિવરાત્રી નિમિત્તે આજે સવારથી જ ખંભાળિયામાં શિવભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના નાના-મોટા તમામ શિવ મંદિરોમાં પૂજન અર્ચન માટે સવારથી જ શિવભક્તોની ભીડ જોવા મળી હતી.         આજરોજ શિવરાત્રી […]

Back to Top