Headlines

પોરબંદરમાં ‘નેત્રમ’ સીસીટીવીની મદદથી ગણતરીના કલાકોમાં ભૂલથી બદલાઈ ગયેલું બાઈક પરત મળ્યું

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર: વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કાર્યરત ‘નેત્રમ’ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરે વધુ એક વખત પ્રશંસનીય કામગીરી કરી છે. ચોપાટી ગેટ પાસે પાર્ક કરેલું યોગેશભાઈનું હોન્ડા સાઈન બાઈક (GJ25R5278) ગુમ થતા તેમણે નેત્રમનો સંપર્ક કર્યો હતો. ​નેત્રમ ઇન્ચાર્જની સૂચનાથી સ્ટાફે સીસીટીવી ફૂટેજ તપાસતા જણાયું કે, એક વ્યક્તિ પોતાના બે બાળકો સાથે ભૂલથી આ…

Read More

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ‘સંસ્કૃતિ ચિંતન સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠી’ સંપન્ન

​પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં સાહિત્ય, કલા અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન સપ્ત-સત્રાત્મક આયોજન ​પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતનના પવિત્ર પરિસરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સંસ્કૃતિ ચિંતન સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠી’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય આ જ્ઞાનસત્રમાં સાહિત્ય, કલા અને ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓ પર દેશભરના નામાંકિત વિદ્વાનો અને ચિંતકોએ ગહન મંથન…

Read More

નવારતનપર ગામના ગ્રામજનો માટે ખુશખબર: ભાવનગર-કોળીયાક રોડથી ગામને જોડતો એપ્રોચ રોડ થશે નવોનકોર

​પૂર્વ અને વર્તમાન સરપંચના સંયુક્ત પ્રયાસોથી અંદાજે ₹36.60 લાખના ખર્ચે રસ્તાનું કામ મંજૂર; આગામી સમયમાં ખાડામુક્ત અને સુરક્ષિત પરિવહનનો માર્ગ મોકળો થશે ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર તાલુકાના નવારતનપર ગામના પ્રવેશદ્વાર સમાન મુખ્ય એપ્રોચ રોડની હાલત હવે સુધરવા જઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો જે સુવિધાની રાહ જોઈ રહ્યા હતા, તે હવે સાકાર થવા…

Read More

ખંભાળિયાના હરીશભાઈ રૂઘાણીની લાડલી પુત્રીના શુભ લગ્ન ::  ચિ. માનસી  * ચિ. નિશાંત 

જામ ખંભાળિયા ::  ચિ. માનસી  * ચિ. નિશાંત  ::       ખંભાળિયાના અ.સૌ. નુતનબેન તથા શ્રી હરીશભાઈ શિવજીભાઈ રૂઘાણીની સુપુત્રી ચિ. માનસીના શુભ લગ્ન અમદાવાદ નિવાસી અ.સૌ. પ્રજ્ઞાબેન તથા શ્રી ભરતભાઈ શ્યામદાસ દતાણીના સુપુત્ર ચિ. નિશાંત સાથે શુક્રવાર તારીખ 6-03-2026 ના શુભ દિનને અત્રે જૂની લોહાણા મહાજન વાડી ખાતે રંગે ચંગે યોજાયા છે.  …

Read More

સિહોરના તરશીંગડા ડુંગર પર બિરાજમાન ખોડિયાર માતાજીના મંદિરે પૂનમની ભવ્ય ઉજવણી: ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

કિશોર ચિમનાણી, સિહોર ​ભાવનગર જિલ્લાના સિહોર ખાતે ડુંગરોની હારમાળા વચ્ચે બિરાજતા અને ભક્તોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવતા આઈ શ્રી તરશીંગડા વાળા ખોડિયાર માતાજીના મંદિરે પૂનમના પવિત્ર અવસરે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ‘હાલતા હોકારો દેનારી’ રાજરાજેશ્વરી ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા. ​આ ધાર્મિક ઉત્સવમાં…

Read More

કલ્યાણપુર તાલુકામાં ગાગા પક્ષી અભ્યારણમાં 2026ની પક્ષી ગણતરી સંપન્ન

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬       મરીન નેશનલ પાર્કની ભાટિયા રેન્જ હેઠળ કલ્યાણપુર તાલુકામાં આવતા ગુજરાતના પ્રખ્યાત પક્ષી અભયારણ્ય ગણાતા ગાગા પક્ષી અભયારણ્યમાં વર્ષ 2026ની વાર્ષિક પક્ષી ગણતરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ વર્ષની ગણતરી દરમિયાન કુલ 202 પ્રજાતિના 65,047 પક્ષીઓ નોંધાયા હોવાનું વન વિભાગે જાહેર કર્યું છે.        આ ગણતરી રાજ્ય…

Read More

ભાણવડ તાલુકા પેન્શનર મંડળ દ્વારા વડીલોનું બહુમાન અને સ્નેહમિલન સમારોહ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬      ભાણવડ તાલુકા પટેલ સમાજવાડી ખાતે તાલુકા પેન્શનર મંડળનો વિશેષ અભિવાદન સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકા પેન્શનર સમાજના પ્રમુખ ડો. રમેશભાઈ ભટ્ટના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત મંગલ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યાર બાદ દિવંગત પેન્શનરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, વડીલોના સન્માનનો દૌર શરૂ કરાયો…

Read More

ખંભાળિયામાં રવિવારે વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ

– 11 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડશે – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬      ખંભાળિયાના શ્રી વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજના ઉપક્રમે આગામી રવિવાર તા. 8 માર્ચના રોજ રામાનંદી સમાજના પ્રથમ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.        આ પ્રસંગે આગામી રવિવારે અત્રે ધરમપુર વિસ્તારમાં લાલપુર બાયપાસ રોડ પર આવેલા શ્રી રામદેવપીર મંદિર ખાતે…

Read More

ખંભાળિયામાં રૂ. પાંચ કરોડના વિવિધ કામોનું આવતીકાલે થશે લોકાર્પણ

– રૂ.16.3 કરોડના વિવિધ કામોનું ખાત મુહૂર્ત – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬       ખંભાળિયા નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી અવિરત રીતે વિકાસ કાર્યો તેમજ નગરજનોને પાયાની તમામ જરૂરિયાતો મળી રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આવતીકાલે ગુરુવાર તા. 5 ના રોજ ખંભાળિયામાં રૂ. 21 કરોડથી વધુની કિંમતના જુદા જુદા કામોના…

Read More

ખંભાળિયાનો ઓમ કાનાબાર સી.એ. ફાઇનલમાં ઉતીર્ણ

– ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬       ખંભાળિયાના સિનિયર એડવોકેટ વિજયભાઈ કાનાબારના હોનહાર પુત્ર ઓમ કાનાબાર તાજેતરમાં લેવામાં આવેલી ચાર્ટર્ડ એકાઉન્ટ (સી.એ.) ની ફાઇનલ પરીક્ષામાં નોંધપાત્ર ટકાવારી સાથે ઉત્તીર્ણ થયેલ છે. માત્ર 23 વર્ષની નાની ઉંમરે સી.એ.ની ડીગ્રી હાંસિલ કરી, ઓમ કાનાબારે સમગ્ર રઘુવંશી જ્ઞાતિ સાથે કાનાબાર પરિવારનું પણ…

Read More