દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક યોજાઈ
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
પાદરડીમાં રૂ 26,000 સાથે જુગાર રમતા 6 શખ્સોને ઝડપી લેતી પોરબંદર પોલીસ
રાણાવાવના પાદરડી ગામમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. પોરબંદર એલસીબી પોલીસે રાણાવાવના પાદરડી ગામે કરેલી એક રેડ દરમિયાન છ શખ્સો રૂપિયા 26,000 સાથે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.પોલીસના જણાવ્યા અનુસાર એસપી ભગીરથસિંહ જાડેજાના સૂચન મુજબ એલસીબી પીઆઇ આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ સી બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હીમાંશુ મક્કા તથા કોન્સ્ટેબલ…
જામનગરમાં દીકરીના ઘર પાસે તોફાન કરી રહેલા અનોપસિંહ જાડેજાની ધરપકડ
દીકરી એ જ પોલીસને ફોન કરવો પડ્યો કે તેના પિતા તોફાન મચાવી રહ્યા છે: પોલીસ અડધી રાતે આવીને પકડી ગઈ જામનગરજામનગરમાં અનોપસિંહ અમરસિંહ જાડેજા નામનો એક શખ્સ પોતાની દીકરીના ઘર પાસે પીધેલી હાલતમાં જાહેરમાં તોફાન મચાવી રહ્યો હોય તેની દીકરીએ જ પોલીસને ફોન કરવો પડ્યો હતો અને તરત જ આવી ગયેલી પોલીસે મધરાતે અનોપસિંહની ધરપકડ…
પ્રયાગરાજમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા પ્રારંભ
પ્રયાગરાજ રવિવાર તા.૧૯-૧-૨૦૨૫ તીર્થસ્થાન પ્રયાગરાજ મહાકુંભમેળો ચાલી રહ્યો છે, આ ગંગા, યમુના અને સરસ્વતીનાં સંગમ ક્ષેત્રમાં પરમાર્થ નિકેતન આશ્રમમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રારંભ થયો છે. કથા પ્રારંભે સ્વામી શ્રી ચિદાનંદ સરસ્વતીજી સહિત ધર્માચાર્યો, સંતો અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય થયું હતું અને તેઓ દ્વારા પ્રાસંગિક ઉદબોધનો પણ થયાં હતાં.(તસવીર : મૂકેશ પંડિત)
મોરારિબાપુ પ્રત્યે અહોભાવ સાથે રામકથા અને મહાકુંભ અખંડ ભારતનો સંદેશ ગણાવતાં યોગી આદિત્યનાથ
પ્રયાગરાજમાં રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રસંગે વ્યક્ત કર્યો રાજીપો પ્રયાગરાજ રવિવાર તા.૧૯-૧-૨૦૨૫(મૂકેશ પંડિત દ્વારા) ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં ચાલતી રામકથામાં ઉપસ્થિતિ રહી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ સાથે રામકથા અને મહાકુંભ અખંડ ભારતનો સંદેશ ગણાવતાં પોતાનો રાજીપો વ્યક્ત કર્યો. ભારતવર્ષનાં વૈશ્વિક અને વિરાટ સનાતન પર્વ મહાકુંભમેળામાં પરમાર્થ નિકેતન આશ્રમમાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી ‘માનસ મહાકુંભ’ રામકથામાં ઉત્તર…
પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગીતાપ્રેસ શિબિરમાં રસોઈ બાટલાં ફાટતાં લાગી આગ
સદભાગ્યે જાનહાની અટકી – મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પોગ્યાં પ્રયાગરાજ રવિવાર તા.૧૯-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગીતાપ્રેસ શિબિરમાં બપોર બાદ રસોઈ બાટલાં ફાટતાં આગ લાગી હતી. જો કે સદભાગ્યે જાનહાની અટકી હતી. આ ઘટનાથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોગ્યા હતાં. પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગંગા કિનારા ઉપરનાં સ્થાનમાં ખૂબ જ મોટા ભંડારાનું સંચાલન કરતાં સુપ્રસિદ્ધ ગીતાપ્રેસ શિબિર ગોરખપુર અંતર્ગત…
સાસણના સિંહ સદન ખાતે સિંહ સરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો
સેમિનારમાં ભાવનગર જિલ્લાના પ્રકૃતિ પ્રેમીઓ જોડાયા હરેશ જોષી, સાસણ ગીરવાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં સિંહ સંરક્ષણ જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદઘાટન વન્ય પ્રાણી વિભાગ સાસણના નાયબ વંશરક્ષક ડો. મોહન રામે કર્યું હતું. તેઓએ જણાવ્યું કે આજનો આ માર્ગદર્શન કાર્યક્રમ આવતા દિવસોમાં સિંહ સરક્ષણ અને સિંહ જાગૃતિ માટે…
ગ્રહોની દુનિયા @ લલિત રાજ્યગુરુ : જન્મ કુંડળીમાં એવા યોગ જે પાગલ બનાવી શકે છે
ગ્રહોની દુનિયા-લલિત રાજ્યગુરુ જન્મ કુંડળીમાં એવા યોગ જે પાગલપન આપી શકે છે જ્યોતિષ અનુસાર કુંડળીમાં ઘણા એવા યોગ હોય છે જે વ્યકિતને પાગલ થવાની સંભાવના જણાવે છે.ચંદ્ર મનનો કારક ગ્રહ છે,દુષિત ચંદ્ર,નબળો ચંદ્ર, ચંદ્ર પર ક્રુર ગ્રહોની દ્રષ્ટિ કે રાહુ સાથે સંબંધ(યુતિ) માનસિક સ્થિતી ડામાડોળ કરી શકે છે. ગાંડપણની બીમારી કોઈ ને બચપણથી હોય છે…
મુંગણીનો યુવરાજ સિક્કા પોલીસને જોઈને 36 બોટલ મૂકી ફરાર
જામનગરસિક્કા પોલીસ પોલીસ સ્ટાફના માણસો ગત રાત્રીના ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા સિક્કા મુંગણી ગામમાં આવતા ખાનગી રાહે હકિકત મળેલ કે ગાત્રાળ માતા તથા ખોડીયાર માતાજી ના મંદીર પાસે રહેતા યુવરાજસિંહ કીરીટીંહ દેદા (રહે-મુંગણી ગામ ગાત્રાળ માતા તથા ખોડીયાર માતાજી ના મંદીર પાસે તા.જી. જામનગર) તેમના ઘરની બહાર બાવળની ઝાડીમાં ઇંગ્લીશ દારૂ…
