ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા મણાર (અલંગ) ખાતે ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે 77માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી
મૂકેશ પંડિત, તળાજા તળાજા તાલુકાની શૈક્ષણિક સંસ્થા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા મણાર (અલંગ) ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર અને દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ “વિકસિત ભારત” ના ઉમદા સંકલ્પ સાથે યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆતમાં વહેલી સવારે રાષ્ટ્રભક્તિના સૂત્રોચ્ચાર સાથે ભવ્ય પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી. ત્યારબાદ, સંસ્થાના પ્રાંગણમાં અલંગ ગામના અગ્રણી રવિરાજસિંહ ગોહીલના હસ્તે…
