Headlines

ખંભાળિયામાં નકલી અધિકારી બનીને ફરતા જીલ પંચમતીયા સામે છેતરપિંડી, હથિયાર સહિતના આઠ ગુના નોંધાયા

– માસ્ટર માઈન્ડ શખ્સની ખુલી સિલસિલાબદ્ધ વિગતો – – નકલી સ્ટેમ્પ તેમજ ભારત સરકારના બનાવટી દસ્તાવેજો પણ તૈયાર કર્યા..!! – અધિકારીઓ, નેતાઓ સાથે ફોટા પડાવી પોતાનું સન્માન દર્શાવતો કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫       ખંભાળિયામાં ઉચ્ચ અધિકારીના હોદાની પ્લેટ સાથે ફરતી મોટરકારને પોલીસે શંકાના આધારે ઝડપી લઇ, આ પ્રકરણના માસ્ટર માઈન્ડ એવા…

Read More

કલ્યાણપુરની સરકારી આર્ટસ કોલેજ ગુરુવારે યુથ પાર્લામેન્ટ સ્પર્ધા યોજાશે

– ભાગ લેવા ઇચ્છુકોએ 26 માર્ચ સુધીમાં અરજી કરવી –  જામ ખંભાળિયા, તા. ૨૬-૦૩-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી દ્વારા સંચાલિત ચાલુ વર્ષ દરમ્યાન યુથ પાર્લામેન્ટ સ્પર્ધાનું આયોજન થનાર છે. યુથ પાર્લામેન્ટ સ્પર્ધા તા. 27 માર્ચના રોજ જામ કલ્યાણપુરની ગવર્નમેન્ટ આર્ટસ કોલેજ ખાતે સવારે શાળા નવ વાગ્યે યોજાશે. આ સ્પર્ધામાં…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાનો ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા માટે યાદી

– તા. 10 એપ્રિલ સુધીમાં અરજી કરી શકાશે –  જામ ખંભાળિયા, તા. ૨૫-૦૩-૨૦૨૫        ભારતીય લશ્કરમાં અગ્નિવીર તરીકે ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે વર્ષ 2025-26 ના લશ્કરી ભરતી મેળામાં અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનીકલ, અગ્નિવીર ક્લાર્ક, સ્ટોર કીપર, અગ્નિવીર ટ્રેડમેનની જેવી જગ્યાઓ પર ભરતી યોજાવાની છે. આ માટે એસ.એસ.સી, એચ.એસ.સી., 8 પાસ…

Read More

ચોખંડાના આહીર સમાજનું ગૌરવ જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાંથી ડોકટર(બીએચએમએસ)ની ડિગ્રી મેળવતા ઋષિકા ગોજીયા

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૩-૨૦૨૫        ખંભાળિયા તાલુકાના ચોખંડા ગામની રહીશ ઋષીકા સોમાતભાઈ ગોજીયાએ એચ.એસ.સી. સુધીનો અભ્યાસ રાજકોટ ખાતે પૂર્ણ કરી, તાજેતરમાં જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદીક યુનિવર્સિટીમાંથી 14 માં ક્રમ સાથે ડોક્ટર (બી.એચ.એમ.એસ.) ની ડીગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે સમસ્ત આહીર સમાજ તેમજ નાના એવા ચોખંડા ગામનું ગૌરવ વધાર્યું છે.       પોતાની આ…

Read More

ઓખામાં ખુલ્લા પ્લોટમાં રાખવામાં આવેલી સૂકી માછલીની ચોરી

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૩-૨૦૨૫ કેન્સરની બીમારીના કારણે કલ્યાણપુરના મહિલાનું મૃત્યુ       કલ્યાણપુરમાં રહેતા સદફબેન રફિકભાઈ મામદભાઈ રવસીયા નામના 36 વર્ષના મહિલાને છેલ્લા આઠેક મહિલાથી ગળાના કેન્સરની બીમારી હોય, આ બીમારીના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મૃતકના પતિ રફિકભાઈ રવસીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.  ____________________________________________________________________________ બેટ દ્વારકામાં યાત્રાળુના લેપટોપ મોબાઈલની ચોરી  …

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે ટેકાના ભાવે ઘઉંની ખરીદી અંગે યાદી

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૩-૨૦૨૫          ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝનમાં ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ રૂ. 2,425 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા છે. ઘઉંની ખરીદી માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે. જેમાં નોંધણીની મુદત વધારીને તા. 5 એપ્રિલ સુધીની કરવામાં આવી…

Read More

સ્વામિનારાયણના કહેવાતા સંતોની ભગવાન દ્વારકાધીશ તથા ગુગળી જ્ઞાતિ વિષે કથિત વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકામાં સખત વિરોધ

– ગુગળી બ્રાહ્મણ યુવા ટીમ દ્વારા 48 કલાકનું અલ્ટીમેટમ – ગુગળી બ્રાહ્મણ તથા અન્ય સમાજ દ્વારા સરઘસ કાઢી, આવેદન અપાયું કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૩-૨૦૨૫         સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી મુદ્દે હિન્દુ સમાજ રોષે ભરાયો છે. ત્યારે હાલમાં ભગવાન દ્વારકાધીશ વિશે કરવામાં આવેલ વિવાદિત…

Read More

ખંભાળિયામાં ચઢતા પહોરે ટ્રકમાં લાગી ભીષણ આગ

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૩-૨૦૨૫       ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ પાસે આજે વહેલી સવારે એક ટ્રકમાં આગ લાગતા થોડો સમય દોડધામ મચી જવા પામી હતી. જો કે આગનું કારણ જાણવા મળ્યું નથી.          આ અંગે ફાયર સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલની સામેના રોડની એક સાઈડમાં પાર્ક…

Read More

ખંભાળિયાના ત્રણ શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવાયા

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫      ખંભાળિયા પંથકમાં સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ સ્ટાફ દ્વારા દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. એ.એલ. બારસીયા તેમજ બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા રવિવારે હાથ વધારવામાં આવેલી કામગીરી અંતર્ગત એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ…

Read More

ખંભાળિયાના વિંઝલપર ગામે રોકડ રકમની ચોરી પ્રકરણમાં આરોપી ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫          ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે રહેતા કાનાભાઈ રાણાભાઈ કરમુર નામના વેપારીની માધવ એગ્રો નામની દુકાનમાં ગત તારીખ 21 માર્ચના રોજ રાત્રિના સમયે કોઈ તસ્કરોએ પ્રવેશ કરી અને દુકાનનો પાછળનો દરવાજો ખોલી અને દુકાનના કાઉન્ટરના ટેબલના ખાનામાં રાખવામાં આવેલા રૂપિયા 44 હજારની રોકડ રકમની ચોરી થયાની ધોરણસર ફરિયાદ ખંભાળિયા…

Read More