Friday June 20, 2025

ખંભાળિયાના ચકચારી “લૂંટેરી દુલ્હન” કેસમાં બે આરોપીને દસ વર્ષની કેદ: બે લાખનો દંડ

– જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૫             ખંભાળિયા તાલુકાના દખણાદાદા બારા ગામે રહેતા એક યુવાનને લગ્ન કરાવી આપવાની લાલચ આપીને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સામઢી ગામના ચેહરસિંગ બાબુસિંગ સોલંકી અને અમરતજી મણાજી જગાણીયા નામના બે શખ્સોએ ખોટા નામ ધારણ કરી અને ઉપરોક્ત યુવાનના લગ્ન કરાવી આપ્યા હતા.         […]

ભાવનગરના દેવગાણાનો જવાન નકસલવાદી હુમલામાં શહીદ

વિપુલ હિરાણી, ભાવનગર તા.23 છત્તીસગઢના બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારના સુકમામાં નક્સલવાદીઓ છૂપાયા હોવાની માહિતીના આધારે સીઆરપીએફની ટીમ પહોંચતા નક્સલવાદીઓએ અચાનક જ ગોળીબાર શરૂ કર્યો હતો. સીઆરપીએફ અને નક્સલીઓ વચ્ચે અથડામણ દરમિયાન સીઆરપીએફની બ્લેક કોબ્રા કમાન્ડોની ટીમના જવાન ભાવનગરના દેવગાણા ગામના મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકી (ઉ.વ.આ.૩૩)ને ગોળી વાગી જતાં ગંભીર રીતે ઘાયલ થતાં વીરગતિ પામ્યા હતા.  ભાવનગર […]

રાજ્યમાં એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ 83.51 ટકા

પોરબંદર જિલ્લામાં 2838 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા અને તેમાંથી 2828 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જીલ્લામાં 26 વિદ્યાર્થીઓએ a1 ગ્રેડ, 315 વિદ્યાર્થીઓએ a2 ગ્રેડ, 614 વિદ્યાર્થીઓએ b1 અને 762 વિદ્યાર્થીઓએ b2 ગ્રેડ પ્રાપ્ત કર્યા , પોરબંદરરાજ્યમાં લેવાયેલી એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ 83.51 ટકા જેટલું આવ્યું છે. જમા પોરબંદર નું પરિણામ ૯૦.૮૪ ટકા […]

ખંભાળિયામાં યુવતી પર છરી વડે જીવલેણ હુમલો કરવાના ગુનાના ત્રણેય આરોપીઓ ઝડપાયા

– ધરાર પ્રેમ સંબંધ રાખવાનું કહી યુવાને કર્યો હતો હુમલો – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫          ખંભાળિયામાં રહેતી એક યુવતી પર ગત સપ્તાહમાં એક યુવાન દ્વારા પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવાનું દબાણ કરી, યુવતીએ ના કહેતા તેણી ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવાના ગુનામાં ઉપરોક્ત યુવાન તેમજ તેના ભાઈ અને પિતાની પોલીસે […]

કમોસમી વરસાદની આગાહી સંદર્ભે તંત્ર દ્વારા કૃષિકારોને માર્ગદર્શન

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫          હવામાન વિભાગની આગાહી મુજબ તા. 9 મે સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટેબન્સને પગલે વાતાવરણમાં પલટો જોવા મળશે. રાજયના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષી ખેડૂતોને પાકના રક્ષણ માટે તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને સંદેશ આપવામાં […]

પ્લાન્ટ એટેન્ડન્ટની ભરતીમાં રાજ્યના 153 ઉમેદવારોને જેટકોનો ઝટકો ! : શું હવે જેટકોને લાગશે ઝટકો?

GETCOની પ્લાન્ટ એટેન્ડન્ટ-૧ ભરતી અચાનક અટકાવી દેવાતાં પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોના ભવિષ્ય બરબાદ થવાની ભીતિ ભાવનગરGETCO એ 06/03/2024 ના રોજ 153 જગ્યાઓ ભરવા પ્લાન્ટ એટેન્ડન્ટ-1 ની ભરતી જાહેર કરેલ હતી. જાહેરાત મુજબ પારદર્શિતાથી ગૌણ અને મુખ્ય એમ બે પરિક્ષા, ડોક્યુમેન્ટ વેરીફિકેશન, મેડિકલ ફિટનેસ અને જાન્યુઆરી મહિનામાં સર્કલ ચોઈસ ફિલીંગ પણ કરાવ્યા બાદ અણીના મોકે અચાનક […]

ખંભાળિયાની શાળા ખાતે ચિત્ર પ્રદર્શન યોજાયું : ગ્રામજનો થયા મંત્રમુગ્ધ

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૫-૨૦૨૫       ખંભાળિયા નજીક આવેલા હર્ષદપુર સ્થિત શ્રી વી.એચ. હાઈસ્કૂલમાં ફરજ બજાવતા અને જામનગરના વતની નીલાબેન ચાવડા જેઓ છેલ્લા ઘણા વર્ષોથી જુદા – જુદા પ્રોફેશનલી પેઇન્ટિંગસ તૈયાર કરે છે, અને તેઓની ટીમ દ્વારા જુદા – જુદા શહેરોમાં આવા ચિત્રોનું વિનામૂલ્યે એક્સિબ્યુશન પ્રદર્શન પણ કરાય છે.        ત્યારે ગત […]

બદલાતા વાતાવરણ વચ્ચે ચઢતા પહોરની આહલાદક તસવીર

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫        સૌરાષ્ટ્રમાં પશ્ચિમે અચાનક ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં માવઠા સાથે ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે… કમોસમી આગાહીથી જગતનો તાત ખેતરે ચિંતાતુર બન્યો છે, ત્યારે આકાશે દોડતા વાદળોની ભરમાર સાથે સોમવારના સૂર્યોદયની ટ્રેનમાંથી લેવાયેલી ગતિશીલ તસવીર… ફોટો: જીતુ જામ (જામ ખંભાળિયા.)

ઉનાળાની રોકડી માટે એસટીની વધારાની રેંકડી: રાજ્યના મુખ્ય શહેરોને જોડતી દૈનિક ૧૪૦૦થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસોની સુવિધા

સુરતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે ૫૦૦ ટ્રીપો, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે ૨૧૦, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત ૩૦૦ તેમજ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે ૩૦૦ ટ્રીપોનું આયોજન અમદાવાદરાજ્યના નાગરીકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે ગુજરાત એસ.ટી દ્વારા વધુ સેવાઓ આપવાનું સફળ આયોજન કરાયું છે. જે અંતર્ગત એસ.ટી નિગમ […]

દીનુ બોઘાના દબાણો દૂર કરનાર ગીર-સોમનાથના બાહોશ જીલ્લા કલેકટર દિગ્વિજય જાડેજાની ગાંધીનગર બદલી: રાજ્યના અન્ય 17 આઈએએસ અધિકારીઓની પણ બદલી

જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારીની ગાંધીનગર બદલી અને ગાંધીનગરથી મુખ્યમંત્રીના સ્પેશિયલ ડ્યુટી ઓફિસર એચ પી પટેલ જુનાગઢ ડીડીઓ તરીકે આવશે ગાંધીનગરરાજ્યના 18 આઈએએસ અધિકારીઓની બદલી થઈ છે તેમાં ખનીજ માફિયાઓ અને દબાણ માફિયાઓ સામે હિમ્મતપૂર્વક કાર્યવાહી કરનાર ગીર-સોમનાથના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની ગાંધીનગર બદલી થઈ છે. ડિમોલેશનની કાર્યવાહીને લઈને ચર્ચામાં આવ્યા હતા. દિનુ બોઘાની દાદાગીરી ની સામે […]

Back to Top