Friday June 20, 2025

રોહિત શાહ : પોલિટિશિયનના હાથે સન્માન !?

મને સન્માન મળવું જોઈએ એવી કોઈ અપેક્ષા નથી એ સાચું, પણ સન્માન મળે એ મને ગમે છે, ખૂબ ગમે છે. જોકે મને કોઈ પોલિટિશિયનના હાથે સન્માન મળે એ બિલકુલ ગમતું નથી.મેં એવા ઘણા સમારોહ જોયા છે, જેમાં કોઈ પોલિટિશિયનના હાથે કોઈ વ્યક્તિનું સન્માન થવાનું હોય, ત્યારે પેલી સન્માનિત વ્યક્તિ કરતાં પેલા પોલિટિશિયનને વિશેષ મહત્ત્વ આપવામાં […]

પહેલી ધારની વાત @ નારન બારૈયા @ Peering : જહાં તેરી યે નજર હૈ, મેરી જાં મુઝે ખબર હૈ…

પહેલી ધારની વાત – નારન બારૈયા સ્નૂપીંગ : જહાં તેરી યે નજર હૈ, મેરી જાં મુઝે ખબર હૈ… સ્નૂપીંગ એ તપાસની એક રીત છે: પિઅરિંગની પ્રક્રિયા દરમિયાન ઉપર ઉપર બધું શાંત- શાંત માલુમ પડે, પણ સફળતા મળે તો અંતે કડાકા-ભડાકા થાય પોલીસમાં જેને ડી-સ્ટાફ કહેવામાં આવે છે તે સ્ટાફના ‘ધંધા’ પણ મોટાભાગે સ્નૂપિંગના જ હોય […]

જવાહર બક્ષીને પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક અર્પણ

હરેશ જોષી, ગાંધીનગર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રારંભ કરાયેલ અમૃત ગઝલ પારિતોષિક સર્વ પ્રથમ શ્રી જવાહર બક્ષીને ગુજરાતી ગઝલમાં અવિસ્મરણીય પ્રદાન તથા ગુજરાતી સાહિત્યની આજીવન સેવા બદલ વર્ષ ૨૦૨૪ માટે ગાંધીનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન દરમ્યાન ભૂતપૂર્વ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન અને જાણીતા સાહિત્યકાર શ્રી રમેશ પોખરીયાલવે હસ્તે અપાયો હતો.ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી […]

સહજ સાહિત્ય અને ભાવનગર ઇવેન્ટના દ્વારા મેઘાણી ઓડિટોરિયમમાં વાર્તા, કવિતા અને હાસ્યના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ યોજાયો

હરેશ જોષી, ભાવનગર સહજ સાહિત્ય અને ભાવનગર ઇવેન્ટના સહયોગથી 30 માર્ચને રવિવારના રોજ ઝવેરચંદ મેઘાણી મીની ઓડિટોરિયમમાં વાર્તા, કવિતા અને હાસ્યના ત્રિવેણી સંગમરૂપ એક સરસ મજાનો સાહિત્યિક કાર્યક્રમ યોજાયો હતો. સાહિત્યના ત્રિવેદી સંગમ જેવા આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન ભાવનગર યુનિવર્સિટીના ડૉ. મહેન્દ્રસિંહ પરમાર, લોકભારતી સણોસરા વિદ્યાપીઠના ઉપકુલપતિ વિશાલભાઈ ભાદાણી, કવિતા કવિતાકક્ષાના જિતુભાઈ વાઢેર, ઉદયભાઈ […]

રેલવેની ભાવનગર મંડળ કચેરીમાં પ્રસિદ્ધ હિન્દી કવયિત્રી મહાદેવી વર્માની જન્મજયંતિની ભવ્ય ઉજવણી

પશ્ચિમ રેલવેની ભાવનગર ડિવિઝનલ ઓફિસમાં તારીખ 26.03.2025 ના રોજ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારની અધ્યક્ષતામાં પ્રખ્યાત હિન્દી કવયિત્રી મહાદેવી વર્માની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દી કવયિત્રી મહાદેવી વર્માજીનો જન્મ 26 માર્ચ, 1907ના રોજ ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં થયો હતો, આ અવસરે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ડિવીઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક […]

સ્નેહપૂર્વક: સ્નેહા દૂધરેજીયા : અંતરના આશીર્વાદથી ભરેલું અનેરી યાદોથી મહેકેલું “ગોદડું “

Sneha Dudhrejiyaનાનપણમાં આપણી માતા જે સાડી ના પાલવ થી આપણને તડકાથી ઢાંકીને રાખ્યા હતા. પોતે આખો દિવસ કામ કરીને થાકી ગયા પછી જે પાલવ વડે પોતાનું કપાળ લુછતાં અને વાપરવા માટે જે પાલવડે બાંધેલો સીકો કે નોટ આપતાં હું વાત કરુ છું એજ સાડીમાંથી બનાવેલા ગોદડા ની. દરેક ના ઘરમાં દાદીમાં કે નાનીમાં એ બનાવેલા […]

રક્ષા શુક્લ લિખિત ‘કાર્યેષુ મંત્રી’ પુસ્તકનું વિમોચન

હરેશ જોષી, કોલેબ તાજેતરમાં કોલેબ ખાતે જાણીતા લેખિકા રક્ષા શુક્લ લિખિત વિશ્વની નારીઓની ગૌરવગાથાઓને આલેખતું પુસ્તક ‘કાર્યેષુ મંત્રી…’નો વિમોચન સમારોહ યોજાઈ ગયો. સુખ્યાત એન્કર ફિટનેસકોચ સપના વ્યાસે પુસ્તકનું વિમોચન કરતા જણાવ્યું કે ‘રક્ષાબહેનના પુસ્તકમાં શૂન્યમાંથી શિખર સુધી પહોંચેલી નારીનોનો સંઘર્ષ બખૂબી આલેખાયો છે, દરેક મહિલાએ આ પુસ્તક વાંચવું રહ્યું’નવભારત સાહિત્ય મંદિરના દર્શના કૃણાલ શાહ અને […]

વિશ્વ મહિલાદિને થશે નારીચેતનાનો ઉલ્લાસ

તળાજાના કવિયત્રી રક્ષા શુક્લના “કાર્યેષુ મંત્રી…” પુસ્તકનું અમદાવાદ ખાતે વિમોચન થશે: પ્રવેશ નિ:શુલ્ક હરેશ જોષી, અમદાવાદ તા. ૮ માર્ચ સાંજે : ૭.૦૦ કલાકે વિશ્વ મહિલાદિને કોલેબ કલ્ચરલ સેન્ટર, ઓફ સિંધુભવન રોડ, અમદાવાદ ખાતે નારી ચેતનાનો ઉલ્લાસ કરતો કાર્યક્રમ યોજાશે. સ્ત્રીસશક્તિકરણનો વિસ્તાર કરતું તળાજાના સુપ્રસિદ્ધ કવયિત્રી રક્ષા શુક્લનું પુસ્તક ‘કાર્યેષુ મંત્રી…’નું વિમોચન પણ થશે. ડૉ. બાબાસાહેબ […]

પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં યોજાશે કાગ વંદનાનો ત્રિવિધ કાર્યક્રમ

હરેશ જોષી, મજાદર મજાદરના માડુ, ભક્ત કવિ દુલા ભાયા કાગની ૪૮મી પૂણ્ય તિથિ- ફાગણ સુદ ચોથના દિવસે, તારીખ ૩- ૩- ૨૦૨૫ના રોજ પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં કાગધામ, મજાદર ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે.પૂજ્ય બાપુની પ્રેરણાથી, ૨૦૦૨થી કાગબાપુની પુણ્ય તિથિ ઉપર “કાગ એવૉર્ડ” સાથે “કાગ વંદના” નો ઉપક્રમ આરંભાયો. એ રીતે આ ૨૪ મો એવૉર્ડ અર્પણ કાર્યક્રમ છે. […]

રાજકોટના લેખક એસ. બી. ગોહિલના પુસ્તક “એક પોલીસ અમલદારના અનુભવો”ને સાહિત્ય અકાદમીના આત્મકથા વિભાગનું પ્રથમ ઇનામ

રાજકોટ, તા.19ગુજરાતભરમાં પોતાની એક ઉજ્જવળ અને યશસ્વી પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયેલા એસીપી એસ બી ગોહિલ દ્વારા લિખિત “એક પોલીસ અમલદારના અનુભવો” પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનો રેખાચિત્ર-પત્ર-આત્મકથાજીવનચરિત્ર વિભાગનો પ્રથમ એવોર્ડ જાહેર થયો છે.ઉલ્લેખનીય છે કે પોતાની સુદીર્ઘ પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયા પછી લેખક બનેલા સહદેવસિંહ ગોહિલે પોતાના પોલીસ અધિકારી તરીકેના પ્રથમ દિવસથી લઈને અંતિમ […]

Back to Top