Saturday June 21, 2025

ઠાકરધામ બાવળિયાળીમાં ગોવાળિયાનો લાકડીરાસ

મૂકેશ પંડિત, બાવળિયાળી શુક્રવાર તા.૨૧-૩-૨૦૨૫ સંત શ્રી નગા લાખા બાપા મંદિર ઠાકરધામ બાવળિયાળીમાં ગોવાળિયાનો લાકડીરાસ ઉત્સાહભેર યોજાઈ ગયો. મહંત શ્રી રામબાપુનાં નેતૃત્વ સાથે ઠાકર ધામમાં ધર્મોત્સવમાં દૂર સુદુરથી ભાવિક શ્રોતાઓ સાથે આજે ભરવાડ સમાજનાં બાળકો, યુવાનો અને આધેડ વૃધ્ધો મોજ સાથે લાકડી રાસમાં જોડાયાં. આગેવાનોની ઉપસ્થિતિ અને કલાકારોનાં રાસ ગાન અને ઢોલનાં તાલ સાથે લાકડીઓનાં […]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેઠક યોજી યુ.સી.સી. અંગેના મંતવ્યો મેળવતા સમાન નાગરિક સંહિતા સમિતિના સભ્યો

– સમાન નાગરિક સંહિતાની અમલવારી પૂર્વે લોકોના વિચારો જાણવા આવશ્યક: સી.એલ.મીણા –  જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૩૦૨૫        દેશના નાગરિકોને સમાન પ્રકારનો કાયદો અને વ્યવસ્થા મળે તેવી પરિકલ્પના આપણા બંધારણના ઘડવૈયાઓએ સેવી હતી. જે પથ પર આગળ વધતા રાજ્યમાં સમાન સિવિલ કોડ સંદર્ભે યુ.સી.સી. (UCC) સમિતિ દ્વારા વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ નાગરિકોના પ્રતિભાવો મેળવવામાં […]

બાંગ્લાદેશ બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ઘુસણખોરી કરીને દ્વારકા ઘૂસી આવેલી પાંચ બાંગ્લાદેશી મહીલાઓ ઝબ્બે

– એસ.ઓ.જી. પોલીસે સિલસિલા બંધ વિગતો મેળવી –  જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫      ભારતના છેવાડાના અને સંવેદનશીલ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કાંઠે પોલીસ તંત્ર દ્વારા વિદેશથી ઘુસી આવતા નાગરિકો તેમજ માદક પદાર્થો સંદર્ભે સધન કાર્યવાહી કરવામાં આવે છે. આ વચ્ચે રવિવારે દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી બાંગ્લાદેશની રહીશ એવી પાંચ મહિલાઓને એસ.ઓ.જી. પોલીસે ઝડપી […]

‘શ્રી કૃષ્ણ’ પર આધારીત વિશ્વના પ્રથમ મેગા મ્યુઝિકલ ‘રાજાધિરાજ – લવ.લાઈફ.લીલા’ની દિલખોલ પ્રશંસા કરતા શેખ નહ્યાન બિન મુબારક

“ હું તમારી મૌલિકતા, સર્જનાત્મકતા અને જીવન તથા કળા પ્રત્યેના પ્રેમની પ્રશંસા કરું છું”: શેખ નહ્યાન બિન મુબારક – હિઝ હાઈનેસ શેખ નહ્યાન બિન મુબારક અલ નહ્યાનની ‘રાજાધિરાજ: લવ. લાઈફ. લીલા’ નિહાળ્યા બાદ પ્રતિક્રિયા – – દુબઈમાં આ અનન્ય મેગા મ્યુઝિકલને મળ્યો અપાર પ્રતિસાદ –  યુ.એ.ઇ., તા. ૧૮-૦૩-૨૦૨૫         (કુંજન રાડિયા દ્વારા) […]

દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં જતા પદયાત્રીઓ માટે શિવ બળદ આશ્રમના સભ્યોની પ્રસંશનીય સેવા

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવમાં લાખો પદયાત્રીઓ જોડાય છે અને સૌ યથા યોગ્ય સેવામાં સહભાગી થાય છે. ત્યારે ભાણવડ અબોલ જીવોની સેવા સાથે સંકળાયેલા એનિમલ લવર્સ અને શિવ બળદ આશ્રમના યુવાનો દ્વારા સતત ત્રણ દિવસ સુધી પગપાળા જતા યાત્રીઓ જે દૂરથી ચાલીને આવતા હોય જેથી કોઈને પગ , […]

ફૂલફોલ ઉત્સવમાં સહભાગી થયેલા પદયાત્રીઓને આર.એસ.પી.એલ. કંપની દ્વારા નોંધપાત્ર સેવા

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫       કાળીયા ઠાકોર સંગ ધુળેટી પર્વ ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે તાજેતરમાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ જુદા જુદા વિસ્તારોમાંથી દ્વારકા ખાતે આવ્યા હતા. પદયાત્રાથી દ્વારકા પહોંચેલા સહિતના આ યાત્રાળુઓને સહાયભૂત થવાના ઉમદા આશયથી દ્વારકા નજીક આવેલા કુરંગા ગામ પાસે આરએસપીએલ (ઘડી) કંપનીના 60 જેટલા કર્મચારીઓ અને સ્વયંસેવકોની ટીમે અવિરત રીતે દ્વારકા […]

દ્વારકામાં કૃષ્ણ ભક્તોને પ્લાસ્ટિક અંગે અપાઈ જાગૃતિ

– આર.એસ.પી.એલ.ની સામાજિક સેવા પ્રવૃત્તિ –  જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫          ફાગણી પૂનમ નિમિતે તાજેતરમાં હજારોની સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે દ્વારકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીના વેલ્ફેર ફાઉન્ડેશન અંતર્ગત અને જામનગર જી.પી.સી.બી.ના સયુંકત ઉપક્રમે “પ્લાસ્ટિક ના કચરાનો સંગ્રહ” કરવાની કામગીરી કરવામાં આવી હતી. અહીં આવતા […]

દ્વારકાના જગદગુરૂ શંકરાચાર્ય સદાનંદજીના પ્રયાસોથી ઝારખંડના 68 પરિવારના 200 લોકો મૂળ ધર્મમાં પાછા ફર્યા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫      દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ઝારખંડના ગ્રામીણ આદિવાસી વિસ્તારમાં ગહન સમજ આપી વનવાસી સમુદાયના 68 પરિવારના 200 જેટલા લોકોને પુનઃ મૂળ સનાતન ધર્મમાં પરત લાવવામાં સફળતા મેળવી હતી.               દ્વારકાના શારદાપીઠાધીશ્વર સદાનંદજી મહારાજના સાનિધ્યમાં ઝારખંડના આદિવાસી વિસ્તાર પશ્ચિમ સિંહભૂમના પરાખંડ ગોઈલકેરાના […]

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન સમગ્ર દેશમાંથી સાત લાખ જેટલા શ્રધ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા

– યાત્રાળુઓને પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ રીતે સહાયભૂત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫          વિશ્વ વિખ્યાત યાત્રાધામ દેવભૂમિ દ્વારકા ખાતે હોળી, ધુળેટીના ફૂલડોલ ઉત્સવની ઉજવણીનું અનન્ય મહાત્મય છે. ત્યારે દર વર્ષે આ તહેવારના દિવસોમાં ફક્ત ગુજરાત રાજ્ય જ નહીં, પરંતુ સમગ્ર દેશ તેમજ વિદેશમાંથી પણ હજારો-લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફૂલડોલ ઉત્સવ […]

Back to Top