કુંજન રાડિયા, કલ્યાણપુર કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા સવિતાબેન જયંતીભાઈ નાથાભાઈ ચાવડા નામના 32 વર્ષના મહિલાએ રવિવારે પોતાના રહેણાંક મકાનમાં એસિડ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. સવિતાબેનના મોટાભાઈ અજયભાઈ તથા તેમના પત્ની અમીબેન તેમના ઘરે આવ્યા હતા. […]
Tag: SOCIAL
ખંભાળિયામાં હાપી સામોર વાડી શાળાના આચાર્યનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો
જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫ ખંભાળિયા તાલુકામાં હાપી સામોર વાડી શાળાના આચાર્ય કૌશિકકુમાર પ્રજાપતિ વય મર્યાદાના કારણે સેવા નિવૃત્ત થતાં તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કિશોરભાઈ મંડપિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં હરિપુર તાલુકા શાળાની પેટા શાળાનો સ્ટાફ, હાપી સામોર વાડી વિસ્તારના વાલીઓ તથા હરિપુરના ગ્રામજનો મોટી […]
ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડ માં જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં કિસાન સન્માન સમારોહ યોજાયો
– કિસાન સન્માન નિધિ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતોને 13.85 કરોડની રકમ બેક ખાતામાં ચૂકવાઈ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19 મો હપ્તો સોમવારે બિહારના ભાગલપુર ખાતે આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં ડિજિટલ માધ્યમથી જમા કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે […]
અમદાવાદમાં સ્વદેશી જ્ઞાનને સંકલિત કરવાં હેતુ આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું
અનંત રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયમાં અનુન્યા ચૌબે તથા રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં પર્યાવરણ અને સામાજિક જાગૃતિનું ચિંતન મૂકેશ પંડિત, અમદાવાદ: સોમવાર તા.૨૪-૨-૨૯૨૫ અમદાવાદમાં અનંત રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયમાં સ્વદેશી જ્ઞાનને સંકલિત કરવાં હેતુ આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું. શ્રી અનુન્યા ચૌબે તથા શ્રી રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં પર્યાવરણ અને સામાજિક જાગૃતિનું વૈશ્વિક ચિંતન થયું જેમાં ૧૮ દેશોનાં પ્રતિનિધિઓ જોડાયાં. શુક્રવારથી રવિવાર દરમિયાન જલપુરૂષ શ્રી રાજેન્દ્રસિંહજીનાં […]
વિકસિત ભારત – શિક્ષિત ભારત અંતર્ગત દાંતા ગામમાં શિક્ષણ અને ગ્રામ વિકાસના રૂ. 48 લાખના વિકાસ કામનું ભૂમિપૂજન
કુંજન રાડિયા, દાંતા : તા. ૨૪-૦૨-૨૦૨૫ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન મુજબ સરકારી શાળાઓ હવે ખાનગી શાળાઓ કરતાં વધુ આધુનિક બની રહી છે. ગુજરાત સરકારના સર્વ શિક્ષા અભિયાન અને નવી શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્યભરમાં શૈક્ષણિક અને ગ્રામ વિકાસના મોટા કામો થય રહ્યા છે. તે અંતર્ગત ખંભાળિયા […]
ખંભાળિયાના યાર્ડ ખાતે આજે “કિસાન સન્માન સમારોહ” યોજાશે
જામ ખંભાળિયા રાજ્યમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આગામી સોમવાર તા. 24 ના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ખંભાળિયામાં માર્કેટિંગ યાર્ડ ખાતે બપોરે 1 વાગ્યે જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાશે. જેમાં કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ, પદાધિકારીઓ, ખેડૂતો તેમજ પશુપાલકો જોડાશે. ____________________________________________________________________________ (કુંજન રાડિયા)
ખંભાળિયામાં શિવરાત્રી પર્વને અનુલક્ષીને ખામનાથ નજીકનો કેનેડી બ્રિજ ખુલ્લો કરવા શ્રદ્ધાળુઓની માંગ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા ખંભાળિયા શહેરના પાદરમાં આવેલા ખામનાથ બ્રિજ નજીક રજવાડાના સમયનો કેનેડી બ્રિજ (ખામનાથ પુલ) જર્જરિત બની ગયો હોવાથી તંત્ર દ્વારા આ પુલ પર અવર-જવર માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે આગામી તારીખ 26 ના રોજ શિવરાત્રી પર્વ નિમિત્તે પુરાણ પ્રસિદ્ધ એવા ખામનાથ મહાદેવ મંદિર નજીકના આ કેનેડી બ્રિજને […]
અવસાન નોંધ જામખંભાળિયા ગણાત્રા
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫ જામ ખંભાળિયા: સ્વ. તુલસીદાસ ગોકલદાસ ગણાત્રા (બાબુભાઈ કિરણ કોલ્ડ્રિંક્સ વારા)ના ધર્મ પત્ની ગં.સ્વ. જયાબેન (તારાબેન, ઉ.વ. 86) તે અરવિંદભાઈ (જામનગર), અશોકભાઈ (કિરણ કોલ્ડ્રિંક્સ હાઉસ), નીલાબેન સુરેશકુમાર રાયઠઠ્ઠા (જામનગર), સ્વ. હર્ષિદાબેન અનિલકુમાર કારીયા (રાજકોટ) અને મીનાબેન ભાવિનકુમાર ઘેલાણી (પોરબંદર)ના માતુશ્રી તેમજ નિકેત, અર્જુન અને શ્રુતિ (આફ્રિકા)ના દાદી તા. 23 મી ના રોજ […]
ખંભાળિયામાં પૂ. જલારામ બાપાને રોટલાનો અન્નકૂટ ધરાવાયો
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫ પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે આજરોજ ખંભાળિયાના જલારામ મંદિરમાં અનેકવિધ ધર્મમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જલારામ બાપાને વિવિધ પ્રકારના ધાન્ય અને અનાજથી બનાવવામાં આવેલા જુદા જુદા 75 પ્રકારના રોટલાનો અન્નકૂટ ધરાવાયો હતો. મહિલા સંસ્થા શ્રી લોહાણા મહિલા મિત્ર મંડળના ઉપક્રમે યોજવામાં […]
દ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ: “કૃષ્ણ: નાટ્ય કથા” પ્રસ્તુત કરાઈ
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૨-૨૦૨૫ ગુજરાત સરકારના પર્યટન વિભાગ અને ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ (IGNCA) વડોદરા પ્રાદેશિક કેન્દ્ર દ્વારા દ્વારકામાં ગઈકાલે રવિવારે વિખ્યાત કલાકાર તેમજ પદ્મવિભૂષણ ડો. સોનલ માનસિંહ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી ‘કૃષ્ણ: નાટ્ય કથા’ એક અદ્વિતીય નૃત્ય-નાટ્ય પ્રસ્તુત કરાઇ હતી. ભગવાન શ્રી […]
