Friday June 20, 2025

હર્ષદપુરમાં રિલાયન્સ દ્વારા નવા શાળા ભવનનો ભૂમિપૂજન સમારંભ યોજાયો

– વિદ્યાર્થીઓને સુરક્ષિત અને પ્રેરણાદાયક શૈક્ષણિક વાતાવરણ મળશે –  જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)        રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શૈક્ષણિક સુવિધાઓને મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલાંરૂપે અખાત્રીજના શુભ દિવસે ખંભાળિયાના હર્ષદપુર ખાતેના શ્રી વી.એચ. એન્ડ વી.એચ. હાઈસ્કૂલના નવા ભવનનો ભૂમિપૂજન સમારંભ યોજાયો હતો. આ વિસ્તારના લોકોની રજૂઆત અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રિલાયન્સના ડાયરેક્ટર […]

THE GREAT JOURNALIST ખંભાળિયાની જાનદાર જર્નાલિસ્ટ જાનવી સોનૈયાએ વધુ એક વખત વધાર્યું ભારત દેશનું ગૌરવ

– રશિયા ખાતે ‘બ્રિક્સ’માં યુવા પત્રકારો સાથે ખાસ કાર્યક્રમમાં આમંત્રિત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૫       ખંભાળિયાના જાણીતા વેપારી અગ્રણી અને સેવાભાવી કાર્યકર જયસુખભાઈ સોનૈયા (પીંડારાવારા) તેમજ હીના સોનૈયાની સુપુત્રી જાનવી સોનૈયાએ પત્રકારત્વ ક્ષેત્રે છેલ્લા દાયકાથી કાર્યરત રહી, અને વૈશ્વિક મંચોએ ઓળખ મેળવી છે. જાનવી સોનૈયાને હવે સિનિયર પત્રકાર તરીકે રશિયન […]

ખંભાળિયાની પરિણીત મહિલા લાપતા બનતા શોધખોળ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૫            ખંભાળિયામાં જૂની કોર્ટ પાછળ આવેલા રાવલ પાડા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા મુનેશભાઈ ભીખુભાઈ મપારા નામના યુવાનની 43 વર્ષની પત્ની જયશ્રીબેન ગત તારીખ 11 એપ્રિલના રોજ પોતાના ઘરેથી કામે જવાનું કહી અને લાપતા બનતા આ અંગે સ્થાને પોલીસને જાણ કરવામાં આવી છે. જે અંગે પોલીસે […]

‘સ્વચ્છ ભારત મિશન’ પર પ્રેમ કંડોલિયા પીએચડી થયા

મૂકેશ પંડિત ભાવનગર તા. ૩૦/૦૪/૨૦૨૫ જીવદયા અને પર્યાવરણ બચાવ સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા પ્રેરણા ફાઉન્ડેશનના સીઈઓ પ્રેમ કંડોલિયા ડોક્ટર બની ગયા છે. તેઓ એ ‘ભારતમાં લોકશાહી વિકેન્દ્રીકરણ અને સ્વચ્છ ભારત મિશન : અસરકારકતા અને નીતિ માળખાનું વિશ્લેષણ’ વિષય પર પીએચડીની ડિગ્રી પૂર્ણ કરી લીધી છે. સીવીએમ યુનિવર્સીટી વલ્લભ વિદ્યાનગરથી ગાઈડ પ્રો. ડો. અર્ણવ અંજારીયાના […]

ખંભાળિયાના સેવાભાવી યુવા કાર્યકર ભાર્ગવ શુકલનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા.૩૦- ૦૪-૨૦૨૫ જન્મદિન શુભેચ્છા       ખંભાળિયાના સક્રિય અને સેવાકીય પ્રવૃતિઓમાં સદાય અગ્રેસર રહેતા ભાર્ગવભાઈ મુકેશચંદ્ર શુક્લનો આજે 31 મો જન્મદિવસ છે. ભાર્ગવ શુકલ ખંભાળિયા પીજીવીસીએલમાં ફરજ બજાવી રહ્યા છે. સરકારી નોકરી સાથે તેઓ હંમેશા સમાજ સેવાના કાર્યો માટે અગ્રેસર રહે છે. કોઈપણ જાતની ખોટી પ્રસિદ્ધિ વગર દર મહિને તેઓ જરૂરિયાતમંદ પરિવારોને અનાજ […]

રૂપમોરાના ભગીરથ યુવા ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા, ચકલીઘર અને બર્ડ ફીડરનું વિનામૂલ્યે વિતરણ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫         હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે માત્ર પાણીના અભાવે ડી-હાઇડ્રેશનના કારણે કેટલાય પક્ષીઓ પોતાનો જીવ ગુમાવે છે અને પાણી માટે વલખા મારતા હોય છે. ત્યારે ભાણવડ તાલુકાના રૂપામોરા ગામના શ્રી ભગીરથ યુવા ગ્રુપના યુવાનો દ્વારા આ અબોલ જીવોની મદદ અર્થે આગળ આવી અને રૂપામોરા ગામની […]

સફેદ ડુંગળીમાં સરકાર ખેડૂતોને માટે સહાય પેકેજ જાહેર કરે: આપ દ્વારા રજૂઆત

– ટેકાના ભાવે ચણાની ખરીદી ઓછામાં ઓછી 200 મણ કરવા માંગ – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યના ખેડૂતોને ચણાની ટેકાના ભાવે ખરીદી, સફેદ ડુંગળીમાં સહાય તેમજ સિંચાઈના પાણી સહિતના મુદ્દે ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા ખેતી વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.         […]

પહેલગામ આતંકવાદી હુમલાને વખોડતા ખંભાળિયા સુન્ની મુસ્લિમ જમાત: કડક પગલાની માંગ

– જિલ્લા કલેક્ટરને અપાયું આવેદનપત્ર – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫        કાશ્મીરના પહેલગામમાં ગત તારીખ 22 એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં અનેક નિર્દોષ પ્રવાસીઓના જીવ ગયા છે. આટલું જ નહીં, અનેક લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા છે. આ ઘાતકી કૃત્યને ખંભાળિયાના સમસ્ત સુની મુસ્લિમ જમાતના લોકોએ સખત શબ્દોમાં વખોડીને વિરોધ કર્યો છે.  […]

ખંભાળિયા સહિત દેવભૂમિ જિલ્લાની શાળાઓમાં વોટર પ્યુરીફાયર અને વોટર કુલર અર્પણ

– જિલ્લાની 102 શાળાઓને મળ્યો લાભ – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લાની જુદી જુદી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં નવી દિલ્હીની સંસ્થાના સહયોગથી વોટર કુલર અને વોટર પ્યુરીફાયર અર્પણ કરવામાં આવ્યા છે.        નોયડા (નવી દિલ્હી) સ્થિત વિસ્ટા કન્સોલ્સ ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સી.એસ.આર. એક્ટિવિટીના ભાગરૂપે જામનગર સંસદીય વિસ્તારમાં […]

નંદાણા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બે નો ભોગ લીધો

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫        કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા રવજીભાઈ રાજાભાઈ નકુમ નામના 55 વર્ષના પ્રૌઢ શનિવારે તેમની વાડીએ ગયા હતા. ત્યાં તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પુત્ર રામભાઈ નકુમે કલ્યાણપુર પોલીસને કરી છે.         અન્ય એક બનાવમાં ગીર સોમનાથ […]

Back to Top