Headlines

વળાવડ ખાતે વળાવડી માતાજી મંદિરનો દ્વિતીય વાર્ષિક પાટોત્સવ સંપન્ન

મૂકેશ પંડિત, ભાવનગર ગુરુવાર તા.૨૯/૧/૨૦૨૬ ગોહિલવાડના ગૌરવ અને મહેતા તથા દવે કુટુંબની કુળદેવી રાજ રાજેશ્વરી શ્રી વળાવડી માતાજી મંદિર, નવદુર્ગાધામ – વળાવડ ખાતે મહા સુદ એકાદશી, ગુરુવાર તા. ૨૯-૦૧-૨૦૨૬ના રોજ દ્વિતીય વાર્ષિક પાટોત્સવ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક યોજાયો હતો.આ પાવન પ્રસંગે મહેતા તથા દવે કુટુંબ સભ્યોએ હાજરી આપી હતી. પાટોત્સવ અંતર્ગત નવચંડી યજ્ઞ, શ્રીયંત્ર પૂજન, માતાજીના…

Read More

ઘડી કંપની દ્વારા કુરંગા ખાતે આવી રીતે ઉજવાયું પ્રજાસત્તાક પર્વ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૬       દ્વારકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. (ઘડી) કંપની દ્વારા પ્રજાસતાક દિન નિમિત્તે જિલ્લાની 35 જેટલી શાળાઓના અંદાજે 720 જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરી, સન્માનિત કર્યા હતા.      સોમવારે 77 મા પ્રજાસત્તાક પર્વના અવસરે દ્વારકા નજીક કુરંગા ખાતે આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપની દ્વારા સી.એસ.આર. (આર.એસ.પી.એલ. વેલ્ફેર ફાઉન્ડેશન) દ્વારા જિલ્લાની…

Read More

પ્રાણીઓના અધિકાર માટે પોરબંદર સહિતના ભારત વરના શહેરોમાં અવાજ બુલંદ થયો

ભારતમાં પ્રાણીઓના મૂળભૂત અને નૈતિક અધિકાર માટે 26 જાન્યુઆરીએ વિવિધ રેલીઓ અને પ્રતિજ્ઞાઓ સાથે પોરબંદર સહિત દેશના અનેક શહેરમાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. 26મી જાન્યુઆરી ચળવળ શું છે?Animal Rights 3.0 | Republic 4 All Lives 26મી જાન્યુઆરી — ભારતના પ્રજાસત્તાક દિવસે — ભારતના નાગરિકો અને વિશ્વભરમાં વસતા ભારતીયો પ્રાણીઓના અધિકાર માટે એકસાથે, રાષ્ટ્રીય સ્તરે સંકલિત…

Read More

ખંભાળિયામાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિનો સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૬        ખંભાળિયામાં સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ દ્વારા તાજેતરમાં વસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંના મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે યોજવામાં આવેલા આ 36 માં સમૂહ લગ્નમાં ઉપસ્થિત આગેવાનો, જ્ઞાતિજનોએ નવદંપતીઓને શુભાશીષ અને શુભકામનાઓ પાઠવી હતી. આ આયોજન માટે જ્ઞાતિના હોદ્દેદારો, કાર્યકરોએ નોંધપાત્ર જહેમત…

Read More

પોરબંદરમાં તેલંગાણાની 500 કૂતરાઓની સામુહિક હત્યા સામે શાંતિપૂર્ણ કૅન્ડલ લાઇટ વિજિલ યોજાઈ : ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર તાજેતરમાં તેલંગાણા રાજ્યમાં બનેલી એક અત્યંત દુઃખદ અને અમાનવીય ઘટનામાં લગભગ 500 નિર્દોષ સ્ટ્રીટ શ્વાનનો ક્રૂર રીતે હત્યાકાંડ કરવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર આ બેજુબાન જીવોને ઝેર આપી આયોજનબદ્ધ રીતે મારી નાખવામાં આવ્યા, જે ભારતીય કાયદા તેમજ માનવતા બંનેના ઘોર ઉલ્લંઘન સમાન છે.આ નિર્દોષ પ્રાણીઓ ન તો કોઈ માટે જોખમરૂપ હતા,…

Read More

બેટ દ્વારકામાં દેવસ્થાન સમિતિના નિર્ણય સામે તીર્થ પુરોહિતો દ્વારા કાળી પટ્ટી સાથે વિરોધ

– 25 દિવસથી યજમાનવૃત્તિ કરતા બ્રાહ્મણો આવક વિહોણા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા        બેટના દ્વારકાધીશ મંદિરમાં દેવસ્થાન સમિતિ દ્વારા યજમાનવૃત્તિ કરનારા બ્રાહ્મણોને પ્રવેશ નિષેધના નિર્ણયને 25 દિવસ થવા છતાં ઉકેલ ન આવતા બ્રાહ્મણો દ્વારા કાળી પટ્ટી બાંધી દેવસ્થાન સમિતિના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.      આજરોજ બેટ દ્વારકાધીશ મંદિર નજીક…

Read More

ખંભાળિયામાં ગુરુવારે રઘુવંશી જ્ઞાતિના સમૂહ ભોજન (નાત)નું ભવ્ય આયોજન

– વીરદાદા જસરાજજીના “શૌર્યદિન” નિમિત્તે વિઠ્ઠલાણી પરિવારનું સેવાકાર્ય – જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૬       રઘુવંશી જ્ઞાતિના પૂજનીય વીર દાદા જસરાજીની પુણ્યતિથિના “શૌર્ય દિન” નિમિત્તે આગામી ગુરૂવાર તા. 22 ના રોજ અહીંના રઘુવંશી અગ્રણી અને લોહાણા જ્ઞાતિના ટ્રસ્ટી કમલેશભાઈ વિઠલાણી પરિવાર દ્વારા રઘુવંશી જ્ઞાતિના સમૂહ પ્રસાદ (નાત)નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.     …

Read More

મહિલાઓ, બાળકોના ટેલેન્ટ નિખારવા “રાજકોટ ગોટ ટેલેન્ટ” કાર્યક્રમ યોજાયો

– મોટી સંખ્યામાં સ્પર્ધકો જોડાયા: વિજેતાઓને કરાયા પુરસ્કૃત – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૬        મહિલા સંસ્થા – રાજકોટ દ્વારા દર વર્ષે બાળકો અને બહેનોની છુપાયેલી ટેલેન્ટ બહાર લઈ આવવા માટે એક ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગત રવિવારે રાજકોટની જાણીતી વી.જે. મોદી સ્કૂલ ખાતે “રાજકોટ ગોટ ટેલેન્ટ” નામના કાર્યક્રમનું સુંદર આયોજન…

Read More

પોરબંદર નજીક આવેલ કેવલધામ ખાતે મંગળવારે કોટેચા પરિવારનો વાર્ષિક પાટોત્સવ

– પાટોત્સવ સાથે અન્નકૂટ અને ધ્વજાજી સહિતના કાર્યક્રમો – જામ ખંભાળિયા, તા. ૧૭-૦૧-૨૦૨૬       રઘુવંશી જ્ઞાતિના કોટેચા પરિવાર દ્વારા આગામી મંગળવાર તારીખ 20 મીના રોજ કોટેચા પરિવારના 10 માં વાર્ષિક પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.         પોરબંદર નજીક ત્રીજો માઈલ, રજવાડી પાર્ક ખાતે આવેલા “કોટેચા કેવલધામ સંકુલ” ખાતે કુળદેવી…

Read More

દેવભૂમિમાં આમ આદમી પાર્ટી દ્વારા જન સંપર્ક અભિયાન પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ લોકોના ઘરે ઘરે જઈને મુલાકાત કરી

ખંભાળિયામાં “આપ” દ્વારા જન સંપર્ક અભિયાન જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૫       ખંભાળિયામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી તથા પક્ષના કાર્યકરોની ટીમે ઘરે-ઘરે જઈને નાગરિકો સાથે મુલાકાત લીધી હતી. અહીં તેઓએ પાર્ટીના વિવિધ વચનો અને વિકાસની યોજનાઓ વિશે માહિતી આપી હતી.     આ અભિયાન દરમિયાન શહેરના લોકો તરફથી અત્યંત સારો આવકાર…

Read More