જામ ખંભાળિયા, તા. ૨૯-૦૫-૨૦૨૬
ખંભાળિયામાં ન્યુ રામનાથ સોસાયટીમાં શ્રી વલ્લભ માર્ગ ખાતે આવેલી શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે આગામી રવિવાર તા. 31 ના રોજ નૌકા વિહાર મનોરથના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
રવિવારે સાંજે 6 થી 8 વાગ્યા સુધી આ અલૌકિક દર્શનનો લાભ લેવા હવેલીના મુખ્યાજી દ્વારા સર્વે વૈષ્ણવો ભાઈઓ-બહેનોને અનુરોધ કરવામાં આવ્યો છે.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
