જિલ્લા પંચાયતના ઉમેદવાર શિલ્પાબેન પ્રકાશભાઈ ગોહિલ અને તાલુકા પંચાયતના ઉમેદવાર હસીનાબેન રફાઈની પરોપકારી છબી અને લોકસેવાએ મતદારોમાં જગાવ્યો ભારે ઉત્સાહ
ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ વખતે ઘોઘાની જનતા પરંપરાગત પક્ષોને બદલે ‘પરિવર્તન’ ઈચ્છી રહી હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. આ પરિવર્તનના કેન્દ્રમાં આમ આદમી પાર્ટીના બે મહિલા ઉમેદવારો – ૧૨-ઘોઘા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર શિલ્પાબેન પ્રકાશભાઈ ગોહિલ અને ઘોઘા તાલુકા પંચાયત (૫-ઘોઘા-૨) બેઠકના ઉમેદવાર હસીનાબેન મહેબૂબભાઈ રફાઈ – અત્યંત લોકપ્રિય બની રહ્યા છે. તેમની નિઃસ્વાર્થ સેવા અને લોકો પ્રત્યેની સંવેદનાએ તેમને જનતાના હૃદયમાં વિશેષ સ્થાન અપાવ્યું છે.


શિલ્પાબેન ગોહિલ: જનસેવાના પર્યાય અને નીડર નેતૃત્વ
૧૨-ઘોઘા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર શિલ્પાબેન પ્રકાશભાઈ ગોહિલ છેલ્લા લાંબા સમયથી ઘોઘા પંથકમાં સામાજિક અને શૈક્ષણિક કાર્યોમાં સક્રિય છે. કુડા, મલેકવદર, હોઈદડ અને બાડી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં શિલ્પાબેનની પકડ મજબૂત જોવા મળી રહી છે. લોકો તેમને માત્ર એક નેતા તરીકે નહીં, પણ એક ‘પરોપકારી દીકરી’ તરીકે જોઈ રહ્યા છે. ગ્રામીણ સમસ્યાઓ હોય કે મહિલાઓના પ્રશ્નો, શિલ્પાબેને હંમેશા આગળ આવીને અવાજ ઉઠાવ્યો છે.
મતદારોનું કહેવું છે કે, “શિલ્પાબેન માત્ર ચૂંટણી સમયે જ દેખાય તેવા નેતા નથી, પણ સુખ-દુઃખમાં હંમેશા સાથે ઊભા રહેતા વ્યક્તિ છે.” તેમની સ્વચ્છ છબી અને લોકોના કામ કરવાની ધગશને કારણે ઘોઘા જિલ્લા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. પરિવર્તન માટેની તેમની અપીલ હવે લોકોનો અવાજ બની ગઈ છે.
હસીનાબેન મહેબૂબભાઈ રફાઈ: લોકપ્રિયતા અને સેવાના વારસાનો સંગમ
ઘોઘા તાલુકા પંચાયતની સીટ (ઘોઘા-૨) માટે હસીનાબેન મહેબૂબભાઈ રફાઈનું નામ હાલ આખા પંથકમાં ગુંજી રહ્યું છે. હસીનાબેનની લોકપ્રિયતા પાછળ તેમનું પોતાનું પરોપકારી વ્યક્તિત્વ તો છે જ, સાથે સાથે તેમની સામાજિક પૃષ્ઠભૂમિ પણ અત્યંત પ્રભાવશાળી છે. ઉલ્લેખનીય છે કે, હસીનાબેન રફાઈ એ ઘોઘાના જાણીતા, નિષ્પક્ષ અને અત્યંત લોકપ્રિય પત્રકાર મહેબૂબભાઈ રફાઈના ધર્મપત્ની છે. મહેબૂબભાઈ રફાઈએ વર્ષોથી પત્રકારત્વના માધ્યમથી લોકોના પ્રશ્નોને વાચા આપી છે અને ગરીબ-વંચિત લોકોની પડખે ઊભા રહ્યા છે. આ જ સેવાના સંસ્કારો હસીનાબેનના કાર્યોમાં પણ ઝળકે છે. હસીનાબેન પોતે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અનેક જરૂરિયાતમંદ પરિવારોની ગુપ્ત રીતે મદદ કરવા માટે જાણીતા છે. તેમની આ પરોપકારી વૃત્તિને કારણે ઘોઘાના સ્થાનિક રહિવાશોમાં તેમને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. પત્રકાર પત્ની હોવાને નાતે તેઓ સમાજની વાસ્તવિક સમસ્યાઓથી વાકેફ છે, જે તેમના પ્રચારમાં પણ દેખાઈ આવે છે.
ઘોઘા પંથકની મુખ્ય સમસ્યાઓ અને ‘આપ’ના લક્ષ્યો
ચૂંટણી પ્રચાર દરમિયાન શિલ્પાબેન ગોહિલ અને હસીનાબેન રફાઈ સંયુક્ત રીતે લોકોની વચ્ચે જઈ રહ્યા છે. તેમના મુખ્ય એજન્ડામાં રોડ-રસ્તા, ગટર લાઈન, પીવાના પાણીની અછત દૂર કરવી અને ગ્રામ્ય શાળાઓને અત્યાધુનિક બનાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક વહીવટ આપવાનું વચન પણ તેઓ આપી રહ્યા છે.
અવાણીયા (તગડી), કરેડા, પડવા, રાજપરા, વાલેસપુર, નેસવડ, માલપુર, મામસા અને લાખણકા જેવા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આ બંને મહિલા નેતાઓના સમર્થકો દ્વારા ‘ગલી ગલી મેં નારા હૈ… આમ આદમી હમારા હૈ’ ના નાદ સાથે માહોલ ઉભો કરવામાં આવ્યો છે.
લોકોમાં પરિવર્તનની લહેર
“બસ! હવે બહુ થયું.. હવે નહીં સહીશું.. બદલીને રહીશું..” ના સૂત્ર સાથે શિલ્પાબેન અને હસીનાબેન મતદારોને એક મોકો આપવા વિનંતી કરી રહ્યા છે. જે રીતે તેમને જનસમર્થન મળી રહ્યું છે, તે જોતા ઘોઘામાં આ વખતે રાજકીય સમીકરણો બદલાય તેવા પૂરેપૂરા સંકેતો છે.
શિલ્પાબેન પ્રકાશભાઈ ગોહિલ (ક્રમ નં. ૩) અને જગદીશકુમાર ગોંડલિયા (અવાણીયા સીટ) તેમજ હસીનાબેન રફાઈ (ઘોઘા સીટ) ના નેતૃત્વમાં ઘોઘા પંથક વિકાસની નવી દિશા તરફ પ્રયાણ કરશે તેવી આશા મતદારો વ્યક્ત કરી રહ્યા છે. આગામી રવિવાર, તા. ૨૬-૪-૨૦૨૫ ના રોજ યોજાનાર મતદાનમાં સાવરણીના નિશાન પર બટન દબાવી આ સેવાભાવી ઉમેદવારોને વિજયી બનાવવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઘોઘાના રાજકીય વિશ્લેષકોના મતે, હસીનાબેન રફાઈની નમ્રતા અને શિલ્પાબેન ગોહિલની મક્કમતા – આ બંનેનું મિશ્રણ આમ આદમી પાર્ટી માટે ઘોઘામાં જીતનો માર્ગ પ્રશસ્ત કરી શકે છે.
