Sunday July 27, 2025

ખંભાળિયા ધાર્મિક સેવા પ્રવૃત્તિ બદલ મહંતને સન્માનિત કરાયા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫  ખંભાળિયામાં છેલ્લા 35 વર્ષથી શ્રી મારુતિ રામધૂન મંડળ ચલાવતા સુરેશભાઈ મહંત અને ગ્રૂપ દ્વારા દર વર્ષે હનુમાન જયંતી નિમિત્તે બટુક ભોજન અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો મહાપ્રસાદનો લાભ લ્યે છે. ત્યારે આજના આ પાવન પર્વે સુરેશભાઈ મહંતનું છબી અર્પણ કરીને ઉપરણા ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. […]

સાળંગપુરમાં ઉજવાયો ગુજરાતનો સૌથી મોટો હનુમાન જન્મોત્સવ

7થી 10 લાખ ભક્તોએ દાદા સમક્ષ શિશ ઝુકાવી અનુભવી ધન્યતા શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય છપ્પનભોગ ધરાવાયો વિપુલ હિરાણી, સાળંગપુર તા.૧૨સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ 11 અને 12 એપ્રિલ-2025ને શુક્રવાર-શનિવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી શ્રીવિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ હતી. આજે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર […]

FILMORIUM : NARAN BARAIYA : માત્ર અમીરો, ગરીબો કે રાજાઓનો જ નહીં, ફિલ્મકારોનો પણ બેલી – હરક્યુલિસ

ફિલ્મોરિયમ – નારન બારૈયા માત્ર અમીરો, ગરીબો કે રાજાઓનો નહીં, ફિલ્મકારોનો પણ બેલી – હરક્યુલિસ રોમન લોકો જેને જ્યુપીટર કહેતા હતા એ જ ગ્રીક લોકોના ગોડ ઝિયુસ છે. આ ગોડ ઝીયુસ અને મનુષ્ય લોકમાં જન્મેલી અલ્કિમી વચ્ચે કશુંક ન થવાનુ થઇ ગયા બાદ તેના પરિણામ રુપે પૃથ્વી પ્રગટ થયેલો પ્રચંડ શક્તિશાળી અને પરાક્રમી પુરુષ એટલે હરક્યુલિસ. ગોડ ઝિયુસ […]

ખંભાળિયામાં આવતીકાલે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫     બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં આવતીકાલે રવિવારે સવારે 9 થી 12:30 વાગ્યા સુધી અત્રે શક્તિનગર વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સ્કૂલ, ડિવાઈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.        સેવા ભારતી ગુજરાત પ્રેરિત શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ – […]

સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે: મોરારિબાપુ

તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે પ્રતિભાઓને અર્પણ થયાં ‘હનુમંત સન્માન’ અને વિવિધ સન્માન મહુવા, શનિવાર તા.૧૨-૪-૨૦૨૫( મૂકેશ પંડિત ) ચિત્રકુટધામ તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે વિવિધ પ્રતિભાઓને ‘હનુમંત સન્માન’ અને વિવિધ સન્માન અર્પણ થયાં આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ ચિંતન ઉદ્બોધન કરતાં કહ્યું કે, સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે. હનુમંત જન્મોત્સવ પ્રસંગે […]

બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: રાબેતા મુજબ બુટલેગર ફરાર

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫          દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આજરોજ શનિવારે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, જયદેવસિંહ જાડેજા, પરેશભાઈ સાંજવા અને મનહરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે […]

ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ: ડૉ.યશ તથા ડૉ. શિવાની હિન્ડોચા

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫         ખંભાળિયાની જૂની અને જાણીતી પેઢી ઠા. રણછોડદાસ કેશવજી હિંડોચા વારા સેવાભાવી એવા સ્વ. પ્રાણજીવનભાઈ હિંડોચાના નાનાભાઈ પ્રતાપભાઈ અને ભારતીબેનના પુત્ર યશ તેમજ તેમની પુત્રી શિવાનીએ તાજેતરમાં લેવાયેલ એમ.બી.બી.એસ. તથા બી.એચ.એમ.એસ.ની પરીક્ષા રાજસ્થાનની અમેરિકન મેડીકલ કોલેજમાંથી અને બરોડાની મહાલક્ષ્મી મહિલા કોલેજમાંથી પ્રથમ પ્રયાસે અને ખૂબ સારી ટકાવારી સાથે […]

ખંભાળિયામાં આવતીકાલે ડાયાબિટીસ, બીપીનો કેમ્પ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫          ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે દર મહિને યોજાતા કેમ્પ અંતર્ગત આગામી રવિવાર તા. 13 એપ્રિલના રોજ અત્રે જલારામ મંદિર ખાતે ડાયાબિટીસ અને બીપીની ચકાસણીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.       યુ.કે. સ્થિત ઉર્મિલાબેન મુકુન્દરાય સામાણી પરિવારના આર્થિક સહયોગથી યોજાયેલા આ કેમ્પનો સવારે 9 […]

ખંભાળિયા બાલનાથ મંદિરે આજે હનુમાન ચાલીસાના 108 પાઠ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫      ખંભાળિયા નજીક પોરબંદર માર્ગ પર આવેલા પ્રાચીન અને પ્રખ્યાત એવા શ્રી બાલનાથ મહાદેવના મંદિર ખાતે આજરોજ હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે 108 હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંજે 5 વાગ્યાથી યોજાનારા આ પાઠના ધાર્મિક આયોજનમાં સહભાગી થવા સર્વે હનુમાન ભક્તોને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો […]

અમદાવાદમાં સ્વ. દીપકભાઈ પારલેવાળાની પુણ્યતિથિ નિમિત્તે પરિવાર દ્વારા સેવાકીય કાર્ય

વિપુલ હિરાણી, અમદાવાદ તા.૧૨સ્વ. દીપકભાઈ શાંતિલાલ પારલે વાળા ની ૧૫ મી પુણ્યતિથિ નિમિત્તે તેમના તેમના ધર્મપત્ની કુંદનબેન દીપકભાઈલાંગરેજા( પારલેવાળા )દ્વારા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ ના સગા સંબંધીઓને વિનામૂલ્યે ભોજન આપવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં કુંદનબેન દીપકભાઈ, પ્રશાંતભાઈ નટવરભાઈ , રીપલબેન પ્રશાંતભાઈ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે કુંદનબેન દ્વારા અનેક સામાજિક કાર્યો થઈ […]

Back to Top