Headlines

કલોલમાં રામકથાનો મંગલ પ્રારંભ: ‘જપ-તપથી પરમાત્મા અને પ્રેમથી સદગુરુ પ્રાપ્ત થાય છે’ – પૂ. રામેશ્વર બાપુ

મુકેશ પંડિત, ગાંધીનગર ​ગાંધીનગરના કલોલ સ્થિત પંચવટી વિસ્તારમાં શ્રીરામ દૂત હનુમાનજીના સાનિધ્યમાં પૂજ્ય રામેશ્વર બાપુના મુખેથી રામકથાનો ભવ્ય પ્રારંભ થયો છે. કથાના પ્રથમ દિવસે નીકળેલી દિવ્ય પોથી યાત્રામાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. પૂજ્ય બાપુએ કથાના પ્રારંભમાં જણાવ્યું હતું કે, રામચરિત માનસમાં તુલસીદાસજીએ સરસ્વતી અને ગણપતિની વંદના દ્વારા વાણી અને જ્ઞાનના સમન્વયનો મહિમા સમજાવ્યો છે….

Read More

ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં ‘આનંદ બજાર’ની જમાવટ: બાળકોએ વેપારી બની મેળવી વ્યવહારુ કેળવણી

મુકેશ પંડિત, ઈશ્વરીયા ​ભાવનગરના ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને સાત્વિક ખાણીપીણીની સાથે વ્યાપારિક સમજ અને વ્યવહારુ જ્ઞાન મળે તેવા શુભ હેતુથી ‘આનંદ બજાર’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક વેપારી અને ગ્રાહકની ભૂમિકા ભજવી હતી. વાલીઓએ પણ આ મેળાની મુલાકાત લઈ બાળકો દ્વારા તૈયાર કરાયેલી વાનગીઓ અને વસ્તુઓની હોંશભેર ખરીદી કરી…

Read More

ધોળાને મળી અત્યાધુનિક ‘મોક્ષરથ’ની ભેટ: સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાના અનુદાનથી સુવિધા ઉપલબ્ધ

​મૂકેશ પંડિત, ઈશ્વરિયા ભાવનગર જિલ્લાના ધોળા ખાતે અંતિમયાત્રાના હેતુ માટે સાંસદ અનુદાન અંતર્ગત નવીન ‘મોક્ષરથ’ની સુવિધા પ્રાપ્ત થઈ છે. તત્કાલીન રાજ્યસભા સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા ફાળવવામાં આવેલા ₹14 લાખના અનુદાનમાંથી આ રથ તૈયાર કરવામાં આવ્યો છે. ધોળા વીશી ગામના ભવેશ્વર મહાદેવના સાનિધ્યમાં અગ્રણી પેથાભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ રથનું વિધિવત પૂજન કરવામાં આવ્યું…

Read More

સુફી સંત શંકરડાડાની પુણ્યતિથિની બુધવારે ખંભાળિયામાં થશે ભક્તિભાવપૂર્વક ઉજવણી

– સંતવાણી, રક્તદાન કેમ્પ, મહાપ્રસાદ સહિતના આયોજનો – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૬       સુફી સંત શ્રી શંકરડાડાની 38 મી પુણ્યતિથિ નિમિત્તે આગામી બુધવાર તા. 25 ફેબ્રુઆરીના રોજ ખંભાળિયામાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.         પૂજ્ય શંકરડાડાની પુણ્યતિથિના અનુસંધાને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયામાં દ્વારકા હાઈવે પર કુવાડીયા…

Read More

મીઠાપુરના વિદેશી દારૂ પ્રકરણમાં નાસતો ફરતો શખ્સ ઝડપાયો

– એસ.ઓ.જી. પોલીસે રાપરના શખ્સને દબોચી લીધો – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૬        દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે વિદેશી દારૂની 181 બોટલ મળી આવી હતી. આ પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી. પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કચ્છ જિલ્લાના રાપર…

Read More

ખંભાળિયામાં સ્વિમિંગ પૂલને આખરે ખુલ્લો મુકાયો

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૬         ખંભાળિયા શહેરના નગર ગેઈટ વિસ્તારમાં મ્યુનિસિપલ ગાર્ડન પાછળના ભાગે થોડા સમય પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સ્વિમિંગ પૂલને શનિવારે સાંજે સત્તાવાહકો દ્વારા વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.         ખંભાળિયા શહેરમાં હાલ કોઈ જાહેર સ્વિમિંગ પૂલની સુવિધા ઉપલબ્ધ ન હતી. ત્યારે નગરપાલિકા સંચાલિત…

Read More

ખંભાળિયા વિસ્તારમાંથી દ્વારકા જતા પદયાત્રીઓનો પ્રવાહ શરૂ

– વિનામૂલ્યે એમ્બ્યુલન્સ તથા તબીબી સારવારની સુવિધા પ્રાપ્ય – જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૬        સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી, ધૂળેટીના ફૂલડોલ ઉત્સવને મનાવવા માટે હજારો પદયાત્રીઓ દ્વારા પ્રયાણ કરવામાં આવનાર છે. ત્યારે આગામી દિવસોમાં પદયાત્રીઓ માટે ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં અનેક પદયાત્રી સેવા કેમ્પનો ધમધમાટ શરૂ…

Read More

ભાણવડના વેરાડ આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ સેવા કાર્યો સંપન્ન

– પોષણ કીટ વિતરણ, નિદાન અને રક્તદાન કેમ્પનો ત્રિવેણી સંગમ – જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૬       ભાણવડના સંકલ્પ ગ્રુપ અને વેરાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્રિવિધ સેવા સંકલ્પ કાર્યક્રમ સંપન્ન થયો હતો.      વેરાડ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખાસ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાણવડના સંકલ્પ ગ્રુપ ભાણવડ અને વેરાડ પ્રાથમિક…

Read More

ભાણવડમાં જિલ્લા આરોગ્ય તંત્રના ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૬        ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જરૂરી રક્ત ઉપલબ્ધ રહે તે માટે જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા નિયમિત રીતે રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે. જિલ્લા આરોગ્ય તંત્રના માર્ગદર્શન હેઠળ ભાણવડના શેઢાખાઈ ગામે સંકલ્પ ગ્રુપ, શેઢાખાઈ આયુષ્માન આરોગ્ય મંદિર, મોરઝર પી.એચ.સી. અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાયો હતો….

Read More

ભાણવડ ખાતે બુધવારે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૩૦૨૬        દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા બુધવાર તા. 25 ના રોજ સવારે 10:30 વાગ્યે ભાણવડમાં આઈ.ટી.આઈ. ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે.        ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ…

Read More