Headlines

ભાવનગરમાં ભગવત મંડળ દ્વારા  ૧૬ મો યુવા પસંદગી મેળો યોજાશે

વિપુલ હિરાણી  ભાવનગર  તા.૧ ભગવત મંડળ / વલ્લભ મંડળ મેરેજ બ્યુરો, ભાવનગર દ્વારા 16 મો યુવક યુવતી સર્વ ઉચ્ચ જ્ઞાતિ માટે પરિચય મેળાનું તા.૫/૪/૨૦૨૬ ને રવિવાર શિવ શક્તિ હોલ, ભાવનગર ખાતે સવારે ૯ થી ૨ આયોજન કરવામાં આવેલ છે.    પરિચય મેળવવા ભાગ લેવા ઈચ્છુક આ યુવક – યુવતી તથા વાલીઓ એ ફોર્મ તા. ૧૫/૦૩/૨૦૨૬…

Read More

બીજાનાં ભલામાં આપણું ભલું: ભાવનગરમાં અક્ષરવાડી ખાતે વ્યસન મુક્તિ અભિયાન અને પ્રાર્થના યજ્ઞ

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૧         ભાવનગરનાં અક્ષરવાડી રોડ પર આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને ૨૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે અને BAPS વડા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ ભાવનગર પધારી રહ્યા છે તે નિમિતે ભાવનગરનાં બાલમંડળનાં બાળકો દ્વારા એક સુંદર વ્યસનમુક્તિ અભિયાન ચાલી રહ્યું છે.               …

Read More

ટેકનોલોજીની સાથે આધ્યાત્મિક મૂલ્યોનું સંવર્ધન જરૂરી : રાજ્ય શિક્ષણમંત્રી રીવા જાડેજા

પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં શિક્ષણમંત્રી રીવાબા જાડેજા સહભાગી થયાં વિપુલ હિરાણી  દ્વારા  ભાવનગર  તા.૧ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં સહભાગી થયાં હતાં. આ પાવન અવસરે મંત્રીશ્રીએ મુરલીધર મહારાજના નવનિર્મિત મંદિરમાં દર્શન કર્યા હતા. તેમજ મુરલીધર મહારાજની નગરચર્યામાં સહભાગી…

Read More

પાલિતાણામાં ગિરિરાજ ‘આદિનાથ’ના જયઘોષ સાથે ફાગણ સુદ તેરસની ‘છ ગાઉ’ની મહાયાત્રા સંપન્ન: લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૧ જૈન ધર્મના સર્વોચ્ચ તીર્થધામ પાલિતાણા ખાતે આજે ફાગણ સુદ તેરસના પવિત્ર દિવસે વિશ્વપ્રસિદ્ધ ‘છ ગાઉ’ની મહાયાત્રા ભક્તિમય માહોલમાં યોજાઈ હતી. વહેલી સવારે ૪.૩૦ કલાકે ગિરિરાજની ગોદમાં ‘દાદા આદિનાથ’ના ગગનભેદી જયઘોષ સાથે યાત્રિકોનો અવિરત પ્રવાહ શરૂ થયો હતો, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ ધાર્મિક મહોત્સવને…

Read More

ભાવનગરમાં રીક્ષા પલટી  જતા કડિયા યુવાનનું મોત

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર  તા.૧ ભાવનગર શહેરના જવેલ્સ સર્કલ નજીક આજે સવારના સમયે રિક્ષા પલટી જતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. આ અકસ્માતમાં અન્ય ચાર લોકોને પણ ઈજા પહોંચતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અકસ્માત ની પ્રાપ્ત થતી માહિતી મુજબ  ભાવનગર…

Read More

ભાવનગરમાં વાળંદ  સમાજ નાસમૂહલગ્ન ધામધૂમથી ઉજવાયો:૧૯ યુગલો એ પ્રભુતામાં પગલા પાડ્યા

વિપુલ હિરાણી ભાવનગર સમસ્ત વાળંદ સમાજ ભાવનગર દ્વારા તા.૨૦/૨/૨૬ ના રોજ શ્રી ફૂલઝરીયા હનુમાનજી મંદિર  ખાતે સમુહ લગ્ન મહોત્સવ ભારે ધામધૂમથી ઉજવાયો હતો.જેમાં ૧૯ એ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. દાતાઓ અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા લગ્નમાં જોડાયેલા તમામ કન્યાઓને કરિયાવરમાં ૭૦ થી વધુ ચીજ વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી.  સરોજબેન તથા અશોકભાઈ નાઈ તેમજ ગાયત્રી…

Read More

ઈઝરાયેલ-અમેરિકાના સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત: મિડલ ઈસ્ટમાં ભારે તંગદિલી

​તેહરાન: મિડલ ઈસ્ટના રાજકારણમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલી એક સંયુક્ત સૈન્ય કાર્યવાહીમાં ઈરાનના સર્વોચ્ચ નેતા (સુપ્રીમ લીડર) અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. ઈરાન સરકારે સત્તાવાર રીતે આ બાબતની પુષ્ટિ કરી છે અને દેશમાં…

Read More

ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા.૨૨ થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન ‘નેશનલ સાયન્સ ડે’ની ભવ્ય ઉજવણી

વિપુલ હિરાણી  ભાવનગર તા.૨૮ ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘નેશનલ સાયન્સ ડે’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્ટુડન્ટ્સ દ્વારા ૩૫ કરતાં વધુ વિજ્ઞાન આધારિત મોડેલનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.  શાળાના બાળકોએ વિજ્ઞાન વિષય પર આધારિત ખૂબ સરસ મોડેલ રજૂ કર્યા. ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.  ‘નેશનલ સાયન્સ ડે’ ના દિવસે સ્વામિનારાયણ…

Read More

ભાવનગર રેલવે હોસ્પિટલમાં ઓપીડી ટાઈમ ટેબલમાં ફેરફાર થતા કર્મચારીઓ અને દર્દીઓમાં રાહતની લાગણી

શંભુ સિંહ, ભાવનગર ભારતીય રેલવે બોર્ડના માર્ગદર્શન મુજબ પશ્ચિમ રેલવે અંતર્ગત મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગરમાં ઓપીડી સમયસૂચીમાં કરવામાં આવેલ તાજેતરનો ફેરફાર દર્દીઓ તથા કર્મચારીઓની સુવિધાને કેન્દ્રમાં રાખીને લેવામાં આવેલ એક મહત્વપૂર્ણ અને જનહિતકારી પગલું સાબિત થઈ રહ્યો છે. આ સુધારાથી હોસ્પિટલની આરોગ્ય સેવાઓમાં કાર્યક્ષમતા, સમય વ્યવસ્થાપન તથા દર્દી સંતોષમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.અગાઉ…

Read More

ડોયોજીનસ : સિકંદરને પણ હરાવનાર બ્રહ્માંડ વિજેતા (ધીસ ઇઝ ધેટ -નારન બારૈયા)

ધીસ ઇઝ ધેટ – નારન બારૈયા લોકો તેને ડાયોજીનસ ધ ડોગ કહીને બોલાવતા હતા. કારણકે તે કૂતરાની માફક જીવતો હતો. માણસ કરતા તે કૂતરાને બહુ જ ઊંચા ગણતો હતો કારણ કે કૂતરાઓ તમારું ખાઈ જાય પછી માણસની માફક વધુ પડાવવાની પેંતરાબાજી નથી કરતા. ધરાઈ ગયા, વાત ખતમ. કૂતરો તમારી સાથે કોઈ રાજકારણ ખેલતો નથી. તમારું…

Read More