Headlines

ખેડુતો માટે ઉનાળુ કઠોળના પાકમાં સંકલિત રોગ- જીવાત નિયંત્રણ અંગે માર્ગર્શીકા જાહેર

ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી દ્વારા પોરબંદર જિલ્લાના ખેતુતો માટે ઉનાળુ કઠોળ પાન ટપકાં, પીળો પચરંંગીયા, બેક્ટેરીયલ બ્લાઇટ જેવા રોગ તેમજ સફેદ માખી, તડતડીયા જેવી ચૂસિયા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે જે પ્રમામે ખેડુતોએ રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું. મગ અને ગુવારમાં બેક્ટેરીયલ બ્લાઇટ રોગના નિયંત્રણ માટે…

Read More

ખંભાળિયામાં મહિલા દિન નિમિતે યોજાયેલા વિશિષ્ટ કાર્યક્રમમાં મહિલાઓને કરાયા પુરસ્કૃત 

– જિલ્લા મહિલા મોરચા દ્વારા પ્રથમ વખત પ્રેરણારૂપ આયોજન – જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬      ખંભાળિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ રચનાબેન મોટાણી અને મહામંત્રી લીલાબેન લેહરુ તથા દિપ્તીબેન કણજારીયાના વડપણ હેઠળ જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ અહીંના જિલ્લા ભાજપ કાર્યાલય “દ્વારકેશ કમલમ” ખાતે “મહિલા સન્માન” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં…

Read More

ભાણવડ સરકારી હોસ્પિટલને મળી નવી એમ્બ્યુલન્સની ભેટ

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨-        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય સુવિધાઓનો સતત વિકાસ થઈ રહ્યો છે. ભાણવડ તાલુકા આરોગ્ય તંત્રને નવી બેઝિક લાઈફ સપોર્ટ સુવિધાયુક્ત એમ્બ્યુલન્સની ભેટ મળી છે. પાવરિકા કંપની દ્વારા સી.એસ.આર. અંતર્ગત અપાયેલી આ એમ્બ્યુલન્સને સાંસદ પુનમબેન માડમ તથા ધારાસભ્ય મુળુભાઈ બેરા દ્વારા ભાણવડ કન્યા શાળા ખાતેથી જનસેવા માટે સમર્પિત કરવામાં આવી…

Read More

સમગ્ર રાજ્ય સાથે ખંભાળિયાની નગરપાલિકામાં પણ આજથી વહીવટદાર શાસન

– વિવિધ નીતિવિષયક નિર્ણયોમાં મામલતદારનો હસ્તક્ષેપ – જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૬      રાજ્યની જુદી જુદી 71 નગરપાલિકાઓમાં કાર્યરત વર્તમાન બોડીની મુદ્દત પૂર્ણ થતા સરકાર દ્વારા આજથી રાજ્યની આ 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તથા રાવલ નગરપાલિકામાં પણ હવેથી વહીવટદારનું શાસન રહેશે.       ખંભાળિયા નગરપાલિકાની…

Read More

યાત્રાધામ દ્વારકા ભક્તિભાવથી છલકાયું : 1000થી વધુ કુમારીકાઓમાં પ્રાગટ્યું રાંદલ માતાજીનું દિવ્ય સ્વરૂપ

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬      યાત્રાધામ દ્વારકામાં કકળાશ કુંડ પાસે આવેલ શ્રી રાંદલ માતાજીના મંદિરે યોજાયેલા ભવ્ય વૈશ્વિક રાંદલ મહોત્સવમાં ભક્તિનો વિરાટ અને અદભુત નજારો જોવા મળ્યો હતો. આ અનોખા પ્રસંગે 1000થી વધુ કુમારીકાઓએ રાંદલ માતાજીનું સ્વરૂપ ધારણ કરી ભક્તોને દિવ્ય દર્શન આપ્યા હતા. આ આધ્યાત્મિક અને અલૌકિક દ્રશ્યે હજારો ભક્તોના હૃદયને ભાવવિભોર કરી…

Read More

કૂવો ગાળતા માથા પર પથ્થર પડ્યો: નાના આંબલાના યુવાનનું અપમૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૬    ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા ઈરફાન ઉર્ફે યાસીન દાઉદભાઈ નામના 35 વર્ષના સંધી મુસ્લિમ યુવાન ગત તારીખ 4 માર્ચના રોજ એક વાડીએ કુવો ગાળવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર ઉપરથી તેમના માથા પર પથ્થર પડતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર…

Read More

ભાવનગર જીલ્લાના પીપરાળા ગામે થયેલી હત્યા કેસમાં પિતા-પુત્રને આજીવન કેદની સજા અદાલતે ફટકારી

વિપુલ હિરાણી  ભાવનગર તા. ૯ દોઢ વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના પીપરાળા ગામે વાડીમાં બકરા ચરાવવા તેમજ નીલગીરીના વૃક્ષો કાપી નાખવાની બાબતે ઠપકો આપતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ એક સંપ કરી કૌટુંબીક ભાઈ ઉપર જ તલવાર સહિતના હથીયારો વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચી મોત નિપજાવી નાખતા બનાવ હત્યામાં પરીણમ્યો હતો. આ અંગેનો આજરોજ ભાવનગરના…

Read More

આરંભડા વિસ્તારમાંથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬        ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં રવિવારે સ્થાનિક પી.આઈ. ડી.એન. વાંઝા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ નરેન્દ્રસિંહ જાડેજા, મહીરાજદાન ગઢવી, જયપાલસિંહ જાડેજા અને ધર્મદિપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરંભડા ગામમાં ટાટા કંપનીના મીઠાના કયારાની આગળ બાવળની ઝાડીમાં બેસીને ગંજીપાના વડે જુગાર રમી રહેલા મુકેશ…

Read More

દ્વારકા નજીક ખાનગી કંપનીમાંથી રૂ. અડધા લાખના મુદ્દામાલની ચોરી

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬       દ્વારકા વિસ્તારમાં ચરકલા – નાગેશ્વર રોડ પર આવેલી વરુણ મિનરલ કંપનીના પ્લાન્ટની દીવાલ કૂદીને ગત તા. 27 ફેબ્રુઆરીથી તા. 1 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ અહીં રાખવામાં આવેલી રૂ. 40 હજારની કિંમતની વોટર પંપની ઇલેક્ટ્રીક મોટર, રૂ. 5,000 ની કિંમતની સાદી મોટર તથા રૂ. 3,000 ની કિંમતના…

Read More

નર્મદા પાઇપલાઈનના પમ્પીંગ સ્ટેશનમાં ઇલેક્ટ્રિક ફોલ્ટના કારણે પોરબંદરમાં પાણી પુરવઠો ૧૧ માર્ચ સુધી નહીંવત અપાશે

પોરબંદર, તા. ૦૯/૦૩/૨૦૨૬ પોરબંદર મહાનગરપાલિકાના સર્વે નાગરિકોને જાણ કરતા જણાવવામાં આવે છે કે, રાણાવાવ કોર્ટ બિલ્ડીંગ પાસે આવેલ એન.સી.–૩૮ નર્મદા પાઈપલાઈનના પમ્પીંગ સ્ટેશનમાં ઇલેક્ટ્રિક ફોલ્ટને કારણે પાણીનું પમ્પીંગ સ્ટેશન બંધ છે, જે કારણે નર્મદા પાઈપલાઈન એન.સી.–૩૮ નું પાણી પમ્પીંગ થઈ શકે તેમ નથી. જેથી પોરબંદર મહાનગરપાલિકાના વિસ્તારોમાં તા. ૦૯-૦૩-૨૦૨૬ થી ૧૧-૦૩-૨૦૨૬ કુલ ત્રણ (૩) દિવસ…

Read More