પોરબંદરમાં નારદ જયંતી નિમિત્તે પત્રકાર સન્માન સમારોહ યોજાયો: આદર્શ પત્રકારત્વના પાઠ ભણાવવામાં આવ્યા
દેવર્ષિ નારદના જીવન મૂલ્યો અને સંઘ શતાબ્દી વર્ષના ‘પંચ પરિવર્તન’ સંકલ્પો પર વિશેષ ભાર મૂકાયો ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જિલ્લા પ્રચાર વિભાગ દ્વારા નારદ જયંતીના પવિત્ર અવસરે વિશેષ પત્રકાર મિલન અને સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના પત્રકારો ઉપરાંત લેખકો, કવિઓ અને પત્રકારત્વના…
