પહેલી ધારની વાત – નારન બારૈયા: ઇતિહાસને ઇતિહાસ રહેવા દો…
જમાનો બદલાઈ ગયો છે સાહેબ! પહેલાંના જમાનામાં ઇતિહાસ લખવા માટે ‘હેરોડોટસ’ જેવા ઇતિહાસકારોને આખી દુનિયા ફરીને, કાંટાળા રસ્તાઓ કાપીને, ધૂળ ફાકીને માહિતી એકઠી કરવી પડતી હતી. પણ આજે? આજે તો લેખકને ઘરે બેઠા બેઠા ગરમાગરમ ભજીયાં ખાતા ખાતા ‘ઐતિહાસિક નવલકથા’ લખવાનો વિચાર આવે છે. કલમ પકડી અને થઈ ગયા ઈતિહાસકાર! મૂળ ઈતિહાસ ભલે ડ્રાય (કોરો) હોય, પણ આજના લેખકો તો તેમાં એટલી ‘ગ્રેવી’ અને ‘મસાલા’ ઉમેરે છે કે ઇતિહાસ પોતે પણ પોતાની ઓળખ ભૂલી જાય.
“લેખનકળા કે વાર્તાલાપનો વાલ્મિકી?”
આપણા સાહિત્યિક લેખકો જ્યારે ઈતિહાસ પર હાથ નાખે, ત્યારે જાણે ઇતિહાસને ‘પ્લાસ્ટિક સર્જરી’ માટે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હોય તેવું લાગે છે. વાલ્મિકીએ રામાયણ લખી ત્યારે કદાચ એમને સ્વપ્નમાં પણ ખ્યાલ નહીં હોય કે ભવિષ્યમાં કોઈ મહાશય આવીને તેમાં ‘લક્ષ્મણ રેખા’ જેવી સજાવટી રેખાઓ દોરી દેશે. અરે ભાઈ, લક્ષ્મણજીએ ક્યાંય એવી કોઈ આધુનિક ટેકનોલોજીની લક્ષ્મણ રેખા દોરી જ નહોતી, પણ આપણા કવિરાજ તુલસીદાસજીએ તો એમાં એટલો બધો ભક્તિરસ અને ‘ડ્રામેટિક ઇફેક્ટ’ ઉમેરી દીધી કે આજે આખું ભારત એને જ ઇતિહાસ માનીને બેઠું છે! ઈતિહાસને ‘ઇતિહાસ’ રહેવા દેવામાં લેખકોને જાણે એલર્જી હોય તેમ લાગે છે.
“ઇતિહાસના પોસ્ટમોર્ટમની કળા”
આજકાલના નવલકથાકારોનું મંતવ્ય એવું છે કે: “જો ઇતિહાસમાં પાત્ર પાસે સંવાદો ન હોય, તો તે પાત્ર જીવંત નથી!” એટલે શું? એટલે કે સિકંદર જ્યારે યુદ્ધના મેદાનમાં હોય, ત્યારે એની બાજુમાં બેસીને કોઈ લેખક પૃથ્વીરાજ ચૌહાણ કે અકબર સાથે એની ગપસપ કરાવે! અરે, સિકંદરને બિચારાને ગ્રીક ભાષા પણ વ્યવસ્થિત આવડતી હતી કે નહીં એના પુરાવાઓ શોધવામાં ઇતિહાસકારોના પરસેવા છૂટી જાય છે, અને અહીં આપણા લેખકો એને શુદ્ધ ગુજરાતી કે હિન્દીમાં ‘ડાયલોગબાજી’ કરાવે છે!
આ લેખકોની કલમમાં એવી જાદુઈ શક્તિ છે કે જે ઇતિહાસમાં નથી, તે પણ તે લોકો હૂબહૂ એ રીતે લખી નાખે છે કે વાંચનારને લાગે કે હા, આ તો સગી આંખે જોયું હોય તેમ જ છે! રાધાજીનું પાત્ર લો. ભાગવતમાં જેનો ક્યાંય પત્તો નથી, છતાં આ કલ્પનાના કારીગરોએ એને કૃષ્ણના જીવનનો એટલો અભિન્ન ભાગ બનાવી દીધો કે આજે તો લોકો રાધા વિના કૃષ્ણને કલ્પવાનું પણ પાપ સમજે છે. શું ગજબની કળા છે! ઇતિહાસને બાજુ પર મૂકીને કલ્પનાને સત્યના સિંહાસન પર બેસાડી દીધી.
મનોરંજનના નામે ઇતિહાસનું બલિદાન થઈ રહ્યું છે. લોકોને આજે ‘સાચો ઇતિહાસ’ નથી જોતો, લોકોને ‘ખોટુકલુ મનોરંજન’ જોઈએ છે. લોકો ઇતિહાસના નામે ગપગોળા સાંભળવા માટે ટેવાઈ ગયા છે. ગબગોડાને જ તેઓ ઇતિહાસ માને છે અને આપણા લેખકો તો મનોરંજનના વેપારી છે! જે ડ્રાય ઇતિહાસ છે તે વેચાતો નથી, એટલે એમાં થોડા કાલ્પનિક કલાકારો ઉમેરી દો, થોડો રોમાન્સનો તડકો લગાવો, થોડી અતિશયોક્તિનું મીઠું ભભરાવો – અને તૈયાર છે તમારી ‘બેસ્ટ સેલર’ ઐતિહાસિક નવલકથા!
આ લોકોને તો કાયદાની ભાષામાં સમજાવવા જોઈએ. જેમ બજારમાં ભેળસેળિયા દૂધ વેચનારને સજા થાય છે, તેમ ઇતિહાસમાં ભેળસેળ કરનાર લેખકોને કેમ નહીં? જો કોઈ ફિલ્મકાર ૨૦૦૪ની ‘એલેક્ઝાન્ડર’ જેવી ફિલ્મ બનાવીને સત્યની પડખે રહી શકતો હોય, તો આપણા દેશી લેખકોને શું તકલીફ છે? તેમને કદાચ એવું લાગે છે કે ઇતિહાસ જો સત્ય રજૂ કરશે તો તે કોઈ ખરીદશે નહીં. અરે ભાઈ, સત્ય કડવું હોય છે, પણ તે લાંબે ગાળે જ ટકે છે. આ તમારી ખાંડ-મસાલાવાળી વાર્તાઓ તો થોડા સમયમાં ખાટી થઈ જવાની છે!
“સાક્ષરતા પણ અજ્ઞાનતાનો અંધકાર”
આજે જમાનો ડિજિટલ છે, ગૂગલ પર બધું જ ઉપલબ્ધ છે, છતાં લોકો ‘જ્ઞાનની દ્રષ્ટિએ અભણ’ છે. કેમ? કારણ કે એમને સત્ય નથી જોઈતું. એમને તો એવું સત્ય જોઈએ છે જે એમને ગમે. જો કોઈ કહે કે “રામાયણના આ અંશમાં આ ઘટના નથી”, તો લોકો એને જ જ્ઞાનનો અભાવ કહેશે! આપણે તો કાલ્પનિક કથાઓના એટલા બંધાણી થઈ ગયા છીએ કે આપણને સત્ય હવે કંટાળાજનક લાગે છે.
તમે કહો છો કે રાધાનું પાત્ર મંદિરોમાંથી હટવું જોઈએ? અરે, જો તમે આવું કહેશો તો લોકો તમને જ મંદિરની બહાર કાઢી મૂકશે! કારણ કે, સાહેબ, સત્ય કરતાં આસ્થા અને કલ્પનાનો મોહ વધુ પ્રબળ છે. આજના લેખકોએ લોકોના મગજમાં એવું ‘કલ્પનાનું પ્રદૂષણ’ ફેલાવ્યું છે કે હવે એમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય છે.
“કટુ સત્ય અને કાયદાનું ચાબુક”
એટલે હવે તો એક જ માર્ગ છે. ઇતિહાસના વિદ્યાર્થીઓએ અને પ્રોફેસરોએ હવે હાથમાં ઝંડા લઈને નહીં, પણ હાથમાં તથ્યોના પુરાવા લઈને મેદાને પડવું પડશે. જે લેખક ઇતિહાસની લાશ પર પોતાની કલ્પનાના કપડાં પહેરાવે, એની એવી ઝાટકણી કાઢવી પડશે કે બીજી વાર કલમ ઉપાડતા પહેલા એ દસ વાર વિચાર કરે. ઇતિહાસ એ કોઈ રમતનું મેદાન નથી કે જ્યાં તમે ઈચ્છો તે નિયમો બદલી શકો.
સરકારે પણ હવે કડક કાયદો બનાવવો જોઈએ: “જે કોઈ લેખક ઇતિહાસ સાથે છેડછાડ કરીને તેને ‘સત્ય’ તરીકે રજૂ કરશે, તેને ઇતિહાસના મૂળ પાનાઓ લખવાની સજા કરવામાં આવશે!” તો જ આ ‘ગપગોળા’ લેખકો ઠેકાણે આવશે.
અંતમાં, એટલું જ કહેવું છે કે, કલ્પના કરવાની ના નથી. અદભૂત વાર્તાઓ લખો, નવલકથાઓ લખો, ભલે ને રાત-દિવસ લખો! પણ મહેરબાની કરીને તેને ‘ઇતિહાસ’ નામનું લેબલ ન લગાવો. ઇતિહાસ તો બિચારો પહેલેથી જ ડ્રાય છે, એને તો આ તમારા રંગીન રંગોથી મુક્ત રહેવા દો. ઇતિહાસને ઇતિહાસ રહેવા દો, નહીંતર ભવિષ્યમાં તો એવું થશે કે આપણો ઇતિહાસ પણ કોઈ નવલકથાની કબાટમાં ખોવાઈ જશે!
ચાલો, હવે આપણે બધા મળીને સાક્ષર થવાની સાથે થોડા ‘જ્ઞાની’ પણ બનીએ અને કલ્પનાના દરિયામાં ડૂબી જવાને બદલે સત્યની ધરતી પર પગ મૂકીએ! શું આ આજના લેખકોને સમજાય તેવું છે? કદાચ નહીં, પણ આપણે તો સત્ય બોલવાનું ચાલુ રાખીશું જ!

Слушайте кто сталкивался Близкий человек уже 10 дней в запое Жена рыдает Платная клиника просит бешеные деньги Короче, врачи стационара реально вытащили — вывод из запоя стационар с круглосуточным наблюдением Капельницы и уколы по схеме В общем, не потеряйте контакты — вывод из запоя стационар вывод из запоя стационар Стационар — это единственный выход Перешлите тем кто в беде