પોરબંદર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા માર્ગ સલામતિ મંથ-૨૦૨૫ ની ઉજવણી કરી શહેરના મુખ્ય માર્ગો ઉપર પોલીસ બાઇક રેલી યોજવામાં આવી
માર્ગ સલામતી મંથના ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ માર્ગ સુરક્ષા અંગે જાહેર જનતા જોગ સલાહો આપી
પોરબંદર
પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતી મંથ- ૨૦૨૫ ની ઉજવણી ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ ઉદ્દઘાટન સમારોહના અંતે પોલીસ વાહનો અને બાઇકમાં પોલીસ જવાનો દ્વારા પોરબંદર નરસંગ ટેકરીથી રાણીબાગ સુધીના મુખ્ય માર્ગ ઉપર રેલી યોજી જુદાજુદા સ્લોગનો વાળા બેનરોના માધ્યમથી માર્ગ સલામતી માસની ઉજવણી અને ટ્રાફિક જાગૃતિનો સંદેશો આપ્યો હતો. આ માર્ગ સલામતી માસની ઉજવણીના ઉદ્દઘાટન સમારોહમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદરની જનતા અને જાગૃત નાગરીકોને આ કાર્યક્રમમાં સાથે જોડાયને સૌની સલામતી માટેના પોલીસના પ્રયાસોને સફળ બનાવવા સહકાર આપવા અપીલ કરી હતી અને લોકો ટ્રાફિકના નિયમોનું દિલથી પાલન કરશે તો જ આપણે માર્ગ સલામતી માસ ઉજવણી કરી સાર્થક ગણાશે અને અકસ્માતો થતા અટકાવી શકીશુ અને આપણી પોતાની સલામતી માટે જાતે જ ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું તો જ આવા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાશે તેવું જણાવ્યું હતું આ ઉદ્દઘાટન સમારોહ કાર્યક્રમમાં મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા, શહેર વિભાગ પોરબંદર તથા પ્રો.નાયબ પોલીસ અધિક્ષક, વી.બી.દલવાડી, ટ્રાફિક ફોજદાર કે.એન.અઘેરા, ટ્રાફિક બ્રિગેડના જવાનો તેમજ એ.આર.ટી.ઓ.ના અધિકારી કે.જી.જાડેજા તથા તેમનો સ્ટાફ તેમજ જે.સી.આઇ.ના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા, પ્રમુખ રાધેશ દાસાણી, આકાશ ગોધીયા, સેક્રેટરી સમીર ધોયડા અને જેસીઆઇના સભ્યોએ તેમજ પોરબંદર લાયન્સ ઇન્ટરનેશનલ પ્રદેશ અધ્યક્ષ નીધી શાહ, સેક્રેટરી હરદત ગૌસ્વામી તથા તેમના તમામ સભ્યો તથા સામાજીક આગેવાનો આ ઉદ્દઘાટન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

