પ્લાસ્ટિકના પાઇપ અને છુટ્ટા પથ્થરના ઘા કરી બાઈક ને રૂ 50,000 નું નુકસાન કરવા સહિતના મામલે એફ.આઇ.આર
પોરબંદર
પોરબંદરમાં છાયા ભીમરાવચોક પાસે રહેતા એક યુવક અને તેના મામાને બે શખ્સોએ માર મારી બાઇકને રૂપિયા 50,000 નું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે ગોપાલભાઇ કરશનભાઇ શીંગરખીયા (ઉ.વ.૨૮, ધંધો-મજુરીકામ રહે. છાયા ભીમરાવચોક પાસે, પોરબદર)એ (૧) શરદ ઉર્ફે શરો દીનેશભાઈ રાઠોડ (૨) મયુર ઉર્ફે મયલોચોર દીનેશભાઈ રાઠોડ (રહે. બંન્ને છાયા અંબેનગર કેનાલની બાજુમાં પોરબંદર) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર આરોપીઓ શરદ તથા મયુરને મિત્રતા હોય અને ફરીયાદીનું ઘોરવુ આરોપીઓ શરદ તથા મયુર લઇ જતા રહેલ જેથી ફરીયાદી તથા તેના મામા જયેશ ધોરવુ લેવા આરોપીઓના ઘરે જતા આરોપી બંન્ને ભાઇઓ એકદમ ઉશ્કેરાઇ જઇ અને આરોપીઓ તેના ઘરની બહાર આવી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી બંન્ને આરોપીઓ પ્લાસ્ટીકના પાઇપથી ફરીયાદી તથા તેના મામા જયેશભાઇને માર મારેલ હોય ફરીયાદીનુ મોટરસાઇકલ રજી નં GJ-25-AD-4996 કિ.રૂ. ૫0000/- નુ નુકશાન કરી ફરિયાદિના ઘરેની ડેલીએ છુટા પથ્થરના ઘા કરી એકબીજા ની મદદગારી કરી હતી. તા.૨૭/૧૨/૨૦૨૪ કલાક- ૧૨/૦૦ થી તા. ૧૬/૦૧/૨૦૨૫ કલાક ૨૨/૦૦ સુધીમા છાંયા અંબેનગર કેનાલની બાજુમાં શેરીના ખુણે બનેલી આ ઘટના અંગે 17 જાન્યુઆરીના રોજ 17 વાગ્યે કમલાબાગ પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૨૪(૪), ૩૫૨, ૩૫૧(૩) ,૫૪, ૧૨૫ તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ ગુનો દાખલ થતાં કમલાબાગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએમ ભોળાએ તપાસ હાથ ધરી છે. સબ ઇન્સ્પેક્ટર ભોળાએ કોઈ જાતનું ભોળપણ દાખલા વગર બંને આરોપીની ધરપકડ કરી લીધી છે.