
પોરબંદર
જુનાગઢ જિલ્લાના વિસાવદરના વતની અને હાલ કુતિયાણા વાળી વિસ્તારમાં ખેત મજૂરી કરતા જશુભાઈને તેમના પત્ની બાઘુબેન સાથે ઝઘડો થતાં લાગી આવતાં તેમણે ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન એમનું મોત થયું છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ ઘટનામાં મરનાર જસુભાઇ ભીખાભાઇ વાધેલા (ઉ.વ.૩૦ રહે.કુતિયાણા વાડી વિસ્તાર, લખુભાઇ ભુરાભાઇ ઓડેદરાની વાડીએ, તા.કુતિયાણા જી.પોરબંદર) તથા તેમની પત્નિ બાધુબેન સાથે ઝધડો થયેલ હોય અને આ વાતનુ જસુભાઇને મનમા લાગી આવતા પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા સારવારમા દાખલ થયેલ અને સારવાર દરમ્યાન મરણ ગયા છે. તા.૨૯/૧/૨૦૨૫ કલાક ૯/૦૦થી ૯/૩૦ વાગ્યાના અરસામાં કુતિયાણા વાડી વિસ્તાર લખુભાઇ ઓડેદરાની વાડીએ બનેલી આ ઘટના અંગે રમેશભાઇ ભીખાભાઇ વાધેલા (ઉ.વ.૪૦ ધંધો- ખેતમજુરી, રહે.કુતિયાણા, લખુભાઇ ઓડેદરાની વાડીએ, તા.કુતિયાણા મુળ- વિસાવદર કાબરાપરા તા.વિસાવદર જી.જુનાગઢ)એ 6 ફેબ્રુઆરી ના રોજ પોલીસને જાણ કરતા કુતિયાણા પીએસઆઇ કે એન ઠાકરીયાએ તપાસ હાથ ધરી છે.