Saturday June 21, 2025

લગ્ન ન થતા હોવાથી મોજપના યુવાને જિંદગી ટૂંકાવી

જામ ખંભાળિયા

         ઓખા મંડળના મીઠાપુર તાબેના મોજપ ગામે રહેતા રાયધરભા ઉર્ફે બલી લધુભા કુંભાણી નામના આશરે 27 વર્ષના હિન્દુ વાઘેર યુવાન કોઈ કામ ધંધો ન કરતા હોય, તેના કારણે તેમના લગ્ન થતા ન હતા.

         આ બાબતથી કંટાળીને તેમણે પોતાના હાથે કપડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ પ્રવીણભા કુંભાણીએ મીઠાપુર પોલીસને કરી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top