Saturday June 21, 2025

ખંભાળિયામાં ખામનાથ મહાદેવની પરંપરાગત વરણાંગી નીકળી: મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા

જિલ્લા કલેકટર આર.એમ. તન્નાએ કર્યું પૂજન અર્જન – 

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫

         ખંભાળિયાના પાદરમાં બિરાજતા શ્રી ખામનાથ મહાદેવની પરંપરાગત વરણાંગી આજરોજ સવારે અહીંના વિજય ચોકમાં આવેલી રંગ મહોલ સ્કૂલ વિસ્તારમાંથી નીકળી હતી.

        છેલ્લા આશરે પાંચ સદી જુના ખામનાથ મહાદેવની શિવ વરણાંગી (શોભાયાત્રા) ને પરંપરાગત રીતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખુલ્લા પગે ભૂદેવો જોડાયા હતા. ખૂબ જ વજનદાર ચાંદીની ભવ્ય પ્રતિમા તેમજ ચાંદીની પાલખી સાથે અહીંના રંગ મહોલ પાસેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિ ભાવપૂર્વક આ વરણાંગીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા.

         અહીંના જિલ્લા કલેકટર આર.એમ. તન્નાએ ખામનાથ મહાદેવનું પૂજન અર્ચન કરી, ધન્યતા અનુભવી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top