Friday June 20, 2025

હરિદ્વાર જનારા રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર: રેલવે પ્રશાસને મે મહિનામાં બ્લોકને કારણે રદ કરાયેલી ભાવનગર-હરિદ્વાર ટ્રેનને બદલાયેલા રૂટથી દોડાવવાનો નિર્ણય કર્યો

શંભુ સિંહ, ભાવનગર

ઉત્તર પશ્ચિમ રેલવેના બીકાનેર મંડળના મોલીસર અને ચૂરૂ સ્ટેશનો વચ્ચે પેચ ડબલિંગ કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના કારણે મે મહિનામાં ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દોડતી ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનને રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, રેલવે પ્રશાસને હવે આ ટ્રેનને રદ કરવાને બદલે ડાયવર્ટ કરેલા રૂટથી ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃ-

  1. ટ્રેન નંબર 19271 ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ 08.05.2025, 12.05.2025, 15.05.2025, 19.05.2025, 22.05.2025 અને 26.05.2025ના રોજ તેના નિર્ધારિત માર્ગ મેડતા રોડ-ડેગાના જં.-રતનગઢ જં.-હિસાર જં.- જાખલ જં.-ધુરી જં. ના બદલે પરિવર્તિત માર્ગ મેડ઼તા રોડ-બીકાનેર જંક્શન-બઠિણ્ડા જંક્શન-ધૂરી જંક્શન થઈને ચાલશે.
  2. ટ્રેન નં. 19272 હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ 10.05.2025, 14.05.2025, 17.05.2025, 21.05.2025, 24.05.2025 અને 28.05.2025 ના રોજ તેના નિર્ધારિત માર્ગ ધૂરી જં.- જાખલ જં.- હિસાર જં.- રતનગઢ જં. – ડેગાના જં.-મેડતા રોડને બદલે, પરિવર્તિત માર્ગ ધૂરી જં.-બઠિણ્ડા જં.-બીકાનેર જં.-મેડતા રોડ થઈને ચાલશે.

નોંધનીય છે કે ઉપરોક્ત બન્ને ટ્રેનો મેડતા રોડ, નાગૌર, નોખા, બીકાનેર જં., લાલગઢ જં., સુરતગઢ જં., પીલી બંગા, માહિમ્બા, સંગરિયા, મંડી ડબવાલી અને બઠિણ્ડા જં. સ્ટેશનોં પર બંને દિશામાં રોકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top