
ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતી ભાવિશાબેન રમેશભાઈ અપારનાથી નામની 16 વર્ષની બાવાજી તરુણીને ગત તારીખ 11 માર્ચના રોજ પોતાના રહેણાંક મકાનમાં ઝેરી જંતુનાશક દવાના છંટકાવ તેણીને મોઢામાં દવા ઉડતા ઝેરી દવાની વિપરીત અસર વચ્ચે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા રમેશગર ભાવગર અપારનાથી (ઉ.વ. 50) એ અહીંની પોલીસને કરી છે.
____________________________________________________________________________
મોટા ગુંદા ગામના વૃદ્ધનું અપમૃત્યુ
ભાણવડ તાલુકાના મોટા ગુંદા ગામે રહેતા મગનભાઈ મોહનભાઈ શિહોરા નામના 68 વર્ષના વૃદ્ધનું રવિવારે સવારના સમયે મૃત્યુ નિપજ્યું હતું. મૃતક મગનભાઈને ઇલેક્ટ્રીક શોક લાગતા અથવા હાર્ટ એટેક આવી જવાના કારણે તેમનું મોત નિપજ્યું હોવા અંગેની જાણ ભાવેશભાઈ દામજીભાઈ શિહોરાએ ભાણવડ પોલીસને કરી છે. જે અંગે પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી હતી.