
વિપુલ હિરાણી દ્વારા
ભાવનગર તા.૩
શાશ્વત તીર્થ સિધ્ધક્ષેત્ર (પાલીતાણા)માં શાશ્વતી ચૈત્ર માસની નવપદની ઓળીની આરાધના-વર્ધમાન તપોનીધી આચાર્ય વિજય અજિતરત્નસૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણાની નિશ્રામાં તા.૪-૪થી તળેટી રોડ પર આવેલ ભાવનગરની સલોત જગજીવન ફુલચંદ જૈન ધર્મશાળા તથા નંદપ્રભામાં કરાવવામાં આવશે. ઓળીમાં ૯ દિવસના પોષધ કરનારની વિશીષ્ટ ભકતી કરવામાં આવશે. પગની તકલીફવાળા માટે પાટ-પલંગની પણ સગવડ થઈ શકશે. તો મોટી સંખ્યામાં શાશ્વતી ચૈત્ર માસની ઓળીની આરાધના કરવા પધારવા સલોત ભવનનાં દિવ્યકાંત સલોત દ્વારા જણાવાયું છે.