જામ ખંભાળિયા, તા. ૦૩-૦૫-૨૦૨૫
ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ હઝરત નાથનશાહ વલી આશહાબા પીરના ઉર્ષ મુબારકનો કાર્યક્રમ સોમવાર તા. 5 ના રોજ યોજવામાં આવ્યો છે.
ઉર્ષ મુબારકના કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ રવિવાર તા. 4 ના રોજ રાત્રે ઈસાની નમાઝ બાદ મજલીસનું આયોજન કરાયું છે. 24 માં ઉર્ષ મુબારકના આ પ્રસંગે સોમવારે બપોરે 2:30 વાગે સંદલ શરીફ કંચનપુર ગામમાંથી દરગાહ શરીફ સુધી જશે. સાંજે 4 વાગ્યે ચાદર શરીફ અને 5 વાગ્યે આમ ન્યાઝ ઉપરાંત 4 વાગ્યે ઘોડાની રેસનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમના અંતમાં સોમવારે રાત્રે 10 વાગ્યે જાણીતા કવ્વાલ સલીમ જાવીદનો કવાલી મુકાબલાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેવા સમસ્ત સુન્ની મુસ્લિમ સુમરા જમાત – કંચનપુર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)