2026ને મંગલમય બનાવવાની કામના સાથે દ્વારકામાં જગદીશ મંદિરે યાત્રાળુઓની ભીડ
– નૂતનવર્ષની સવારે હજારો ભાવિકોએ દર્શન કર્યા – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૧-૨૦૨૬ ઈસુનું વર્ષ 2025 પૂર્ણ થતાં અને 2026ની શરૂઆત થતાં હાલમાં ચાલતા નાતાલના વેકેશનમાં યાત્રાધામ દ્વારકામાં યાત્રાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. 2026ના આરંભ સાથે નવવર્ષના પ્રથમ દિવસે આજે ગુરુવારે સમગ્ર વર્ષ મંગલમય નિવડે તેવી કામના સાથે હજારો શ્રધ્ધાળુઓએ ચિકકાર ગીર્દી હોવા છતાં…
