Headlines

મીઠાપુરના યુવાન સાથે ઓનલાઈન ફ્રોડ કરનારા મુંબઈના શખ્સને દબોચી લેવાયો

– સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા દોઢ લાખના મુદ્દામાલ સાથે એરોલીના શખ્સની અટકાયત – Kunjan Radiya, જામ ખંભાળિયા        દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર વિસ્તારમાં રહેતા જીવણભા કેર નામના એક યુવાનને ગત તારીખ 5 ફેબ્રુઆરી 2025 ના રોજ વોટ્સએપમાં ચોક્કસ નામની .એપીકે ફાઇલ આવતા આ ફાઈલના કારણે મોબાઈલ એક્સપ્રેસ મેળવીને અજાણ્યા શખ્સોએ તેમના બેન્ક ઓફ…

Read More

ભાણવડના ભેનકવડમાં ચડી આવ્યો મગર : રેસ્ક્યુ કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫        ભાણવડના વર્તું -2 નજીકના ભેનકવડ ગામમાં ગુરુવારે એક મગર ચડી આવ્યો હતો. આ અંગેની જાણ ગ્રામજનોને થતા આ મગરને જોવા માટે લોકોના ટોળે-ટોળા એકઠા થયા હતા.        ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગના ફોરેસ્ટર ખીમભાઈ ચાવડા અને એનિમલ લવર્સ ગ્રુપના રેસ્ક્યુઅર તુરંત…

Read More

હક્ક જ્ઞાપન તથા કાયમી મનાઈ હુકમનો દાવો ફગાવતી ખંભાળિયાની સિવિલ અદાલત

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૫        જામનગર જિલ્લાના નાઘેડી વિસ્તારના રહીશ લાખાભાઈ વીરાભાઈ ઔદિચ્યએ મુંબઈના રહીશ શાહ નેમચંદ લાધાભાઈ ગંઢકાના વારસો જ્યોત્સનાબેન વિગેરે સામે ખંભાળિયા તાલુકાના કાકાભાઈ સિંહણ મુકામે ચોક્કસ રેવન્યુ સર્વે નંબરની ખેતીની જમીન સંદર્ભે ખંભાળિયાના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં વર્ષ 2012 માં દાવો દાખલ કર્યો હતો. આ કેસમાં નામદાર કોર્ટમાં…

Read More

ટાવરનું કામ અટકાવવા કોલવા ગામે યુવાનો પર હુમલો: પાંચ સામે રાયોટિંગ હેઠળ ગુનો

       કુંજન રાડિયા, જામ ખંભાળિયા ખંભાળિયા તાલુકાના કોલવા રહેતા વિશાલભાઈ નારણભાઈ કરમુર નામના 24 વર્ષના યુવાનના ભાઈ સાગરભાઈ ગુરુવારે સવારના સમયે કોલવા ગામની સરકારી ખરાબાની જમીન પર પાવરિકા કંપનીનું ટાવર બનાવવા માટે ખાડાનું કામ કરવા માટે જે.સી.બી. લઈને ગયા હતા. ત્યારે આ કામ અટકાવવાના ઇરાદે ગોવિંદ મારખી કરમુર, લખમણ મારખી કરમુર, મેરામણ મારખી…

Read More

“ગુજરાત સમાચાર”ના ડિરેક્ટર સ્મૃતિબેન શાહને પરિમલ નથવાણી દ્વારા શ્રધ્ધાસુમન

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫       પ્રથમ હરોળના ગુજરાતી અખબાર “ગુજરાત સમાચાર”ના ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાંસભાઈ શાહનું ગઈકાલે ગુરુવારે મોડી સાંજે નિધન તથા પત્રકારત્વની દુનિયામાં એક ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ગુજરાતી અખબારી જગતના વિરલ સંચાલક અને નારી પ્રતિભા શ્રીમતી સ્મૃતિબેન શાહનું અવસાન થતાં અનેક વિતરકો, એજન્ટો તેમજ પત્રકારોએ પોતાના પરનું…

Read More

“ગુજરાત સમાચાર”ના ડિરેક્ટર સ્મૃતિબેન શાહને સાંસદ પરિમલ નથવાણી દ્વારા શ્રધ્ધાસુમન

Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫       પ્રથમ હરોળના ગુજરાતી અખબાર “ગુજરાત સમાચાર”ના ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાંસભાઈ શાહનું ગઈકાલે ગુરુવારે મોડી સાંજે નિધન તથા પત્રકારત્વની દુનિયામાં એક ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ગુજરાતી અખબારી જગતના વિરલ સંચાલક અને નારી પ્રતિભા શ્રીમતી સ્મૃતિબેન શાહનું અવસાન થતાં અનેક વિતરકો, એજન્ટો તેમજ પત્રકારોએ પોતાના પરનું…

Read More

ત્રણ ચોપડી ભણેલા નકલી એસઓજી પોલીસ અધિકારી સબીર હારુને લોકો પાસેથી લાખો ખંખેર્યા: ધરપકડ

સલાયાના ત્રણ ચોપડી પાસ ભેજાબાજે આચરી નવતર ઠગાઈ: ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, અનેક પાસેથી નાણાં ખંખેર્યા – સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અટકાયત: ત્રણ સીમકાર્ડ કબજે – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫        ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એક માછીમાર શખ્સ દ્વારા જુદા જુદા દુકાનદારો, વેપારીઓને ફોન કરી અને પોતાને પોલીસની…

Read More

ભોપલકા ગામે વૃદ્ધની ઘાતકી હત્યા પ્રકરણમાં બે મહિલાઓ સહિત ચારની ધરપકડ

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામે રહેતા દેવરામભાઈ વાલાભાઈ સોનગરા નામના આશરે 60 વર્ષના સતવારા વૃદ્ધની ગત તા. 15 ના રોજ લાકડીના ઘા મારી, ઘાતકી હત્યા નીપજાવવા બદલ મૃતકના પુત્ર દ્વારા આ જ વિસ્તારમાં રહેતા રમેશભાઈ દામજીભાઈ રાઠોડ, સામુબેન રમેશભાઈ રાઠોડ, જયસુખ ટપુભાઈ રાઠોડ અને રમીલાબેન જયસુખ રાઠોડ સામે…

Read More

ભાણવડના મોડપર ખાતે સોમવારે કોટેચા પરિવારનો હવન

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૫      દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોડપર ગામે બિરાજમાન કોટેચા પરિવારના પૂજ્ય વાછરા ડાડાના વાર્ષિક યજ્ઞનું આયોજન આગામી સોમવાર, તા. 21 ને ચૈત્ર વદ આઠમના રોજ કરવામાં આવ્યું છે.         દર વર્ષની પરંપરા મુજબ મોડપર ગામમાં વાછરા ડાડાના યોજવામાં આવેલા આ ભવ્ય યજ્ઞના પાવન પ્રસંગે કોટેચા પરિવારના…

Read More

ખંભાળિયામાં ગૌસેવાના લાભાર્થે શુક્રવારથી ભાગવત સપ્તાહનો પ્રારંભ

– એનિમલ ચેરીટેબલ તેમજ આઈ બેલી ગ્રુપ દ્વારા આયોજન – જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫       ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા દ્વારા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ તથા આઈ બેલી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આગામી શુક્રવાર તારીખ 18 થી તા. 24 એપ્રિલ સુધી ખંભાળિયા – જામનગર હાઈવે પર શ્રી આઈ બેલી આવળ માતાજીના મંદિરના વિશાળ પટાંગણમાં…

Read More