Headlines

દ્વારકા: ફુલડોલ ઉત્સવ મનાવવા આવતાં લાખો ભાવિકોને આવકારવા તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૫          યાત્રાધામ દ્વારકામાં ચાર દિવસ બાદ હોળી – ફુલડોલ ઉત્સવ મનાવવા દૂર દૂરથી પગપાળા, રેલ રોડ રસ્તે લાભો ભાવિકોનો પ્રવાહ દ્વારકા તરફ ફંટાઈ રહ્યો છે. ત્યારે યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તે હેતુ યાત્રીકોની સલામતી, સગવડતા, સફાઈ, વ્યવસ્થાની જાળવણી હેતુ વિવિધ વ્યવસ્થા તંત્ર દ્વારા સમન્વય યોજી આગામી તહેવારો…

Read More

મુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા બાદ – રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે

– કુંજન રાડિયા, મુંબઈ        મુંબઈ અને દિલ્હીમાં 37 અવિસ્મરણીય હાઉસફૂલ પ્રયોગ બાદ ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીત મહાનાટિકા, રાજાધિરાજઃ લવ, લાઈફ, લીલા હવે દુબઈમાં 13 મી થી 16 મી માર્ચ સુધી આઈકોનિક દુબઈ ઓપેરા ખાતે દર્શકોને મંત્રમુગ્ધ કરશે.         ધનરાજભાઈ નથવાણી દ્વારા સંકલ્પના કરાયેલી અને…

Read More

કેનેડામાં જગદીશ ત્રિવેદીના રામદરબાર દ્રારા કેન્સર સોસાયટી ઓફ આલ્બર્ટાને 12.50 લાખનું દાન

કેનેડાનાં આલ્બર્ટા રાજ્યનાં એડમન્ટન શહેરમાં ગરવી ગુજરાત એશોશિએશન અનેઅપના મિલવુડ સિનિયર્સ એશોશિએશનના સંયુકત ઉપક્રમેકેન્સર સોસાયટી ઓફ આલ્બર્ટાના લાભાર્થે જગદીશ ત્રિવેદીનો “ રામ દરબાર “યોજાયો હતો.ઈન્ડીયા કાઉન્સિલ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૩૫૦ લોકોએ સાંજના 7 થી 10 રામાયણના પ્રેરણાદાયી પ્રસંગોની સંગીતમય પ્રસ્તુતિ માણી હતી. ભારતમાં રામદરબારનાં સાત જેટલાં સફળ કાર્યક્રમો બાદ નોર્થ અમેરિકામાં આ…

Read More

તળાજા તાલુકાના ઘાટરવાળા ગામે દાતાઓના સન્માન સમારંભ સાથે આનંદપર્વ યોજાયું

ગામના વતની દાતા પરિવાર દ્વારા જન્મભૂમિમાં થયેલાં સદકાર્યને સીતારામબાપુએ આવકારી આશીર્વચન પાઠવ્યાં હરેશ જોષી, ઘાટરવાળા તળાજા તાલુકાના ઘાટરવાળા ગામ ખાતે લોક ઉપયોગી સંખ્યાબંધ કામો કરનાર વતન પ્રેમી દાતા શાહ પરિવારના સન્માન સમારંભ સાથે આનંદ પર્વ ઉજવવામાં આવ્યું હતું. ગામજનો પ્રેરિત આ કાર્યક્રમમાં આખું ગામ જોડાયું હતું. સૌએ ગામ ધુમાડા બંધ રાખી સાથે ભોજન લીધું હતું.ઘાટરવાળાના…

Read More

કલ્યાણપુરના હાબરડી ગામે અપરણિત યુવાનની ઘાતકી હત્યા: સગા ભાઇની ધરપકડ

– નાનાભાઈ સાથે થતી તકરારથી કંટાળીને મોટાભાઈએ ઢીમ ઢાળી દીધું… –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના મણીપુર હાબરડી ગામે રહેતા 40 વર્ષના એક આહિર યુવાનનું શુક્રવારે મોડી રાત્રીના સમયે કોઈ શખ્સોએ ગળું દબાવીને હત્યા નિપજાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી કરી અને આરોપી…

Read More

ભાવનગરમાં આજે કેન્દ્રીય મંત્રી ડો મનસુખ માંડવીયાના હસ્તે “નમો સખી સંગમ મેળો – ૨૦૨૫” નું ઉદ્ઘાટન

હરેશ પરમાર, ભાવનગર ગુજરાત લાઈવ હુડ પ્રમોશન કંપની લિ. ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ભાવનગર શહેર ખાતે આયોજીત “નમો સખી સંગમ મેળો – ૨૦૨૫” નું ઉદ્ઘાટન કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની વિશેષ ઉપસ્થિતિમાં તથા ગ્રાહક બાબતો, અન્ન, નાગરિક, પુરવઠા અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રી…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફુલડોલ ઉત્સવને લઈને કૃષ્ણ ભક્તોમાં અનેરો ઉત્સાહ

– પદયાત્રી કેમ્પની મુલાકાત લેતા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ, જિલ્લા કલેકટર અને એસ.પી. – જામ ખંભાળિયા, તા. ૦૮-૦૩-૨૦૨૫        કાળિયા ઠાકોર સંગ હોળી રમવા ભક્તોમાં હાલ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી તા. 14 માર્ચના રોજ કૃષ્ણ નગરી દ્વારકા ખાતે ભવ્ય રીતે ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવશે. ફુલડોલ ઉત્સવમાં સહભાગી થવા દૂર દૂરથી હજારોની…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બઢતી પામેલા પોલીસ અધિકારીઓની પીપીઈંગ સેરીમની યોજાઇ

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવી રહેલા પી.એસ.આઈ. તેજલ ચુડાસમા, મનીષ મકવાણા તેમજ આકાશ બારસીયાને તાજેતરમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની બઢતી મળી છે. જેને અનુલક્ષીને શુક્રવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તેમજ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા પીપીઈંગ સેરીમની યોજીને ઉપરોક્ત ત્રણેય અધિકારીઓને નવા હોદ્દા મુજબ સોલ્ડર બેઝ પહેરાવીને…

Read More

ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં જન ઔષધિ દિવસની ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫       ખંભાળિયામાં ઇન્ડીયન રેડક્રોસ સંચાલિત પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર, અહીંની સીવિલ હોસ્પિટલ ખાતે આજે જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.        વર્તમાન સમયમાં આરોગ્ય અને દવાઓનો ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતાનું કારણ બનવા પામ્યું છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ ઓછામાં…

Read More

ખંભાળિયાના દ્વારિકાધીશ યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે વિના મૂલ્યે એમ્બ્યુલન્સ સેવા

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫       ફૂલડોલ ઉત્સવ નિમિત્તે જતા પદયાત્રીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એમ્બ્યુલન્સ અને આરોગ્યના સેવા કાર્યનો ખંભાળિયા વિસ્તારમાં શુભારંભ કરવામાં આવ્યો છે. જે પડાણા પાટીયાથી લીંબડી સુધીના વિસ્તારમાં જતા પદયાત્રીઓને ઇમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા તેમજ અહીંની 8 નામાંકીત હોસ્પિટલોમાં વિના મૂલ્યે નિદાન, સારવાર અને મેડિકલ દવા…

Read More