Headlines

બકરાના ઘઉં ચરી જવાના મુદ્દે યુવક પર લાકડાનો ધોકાઅને કુહાડા વડે હુમલો

કુતિયાણા (તા.પોરબંદર) બકરાના ઘઉં ચરી જવાના મુદ્દે ઉશ્કેરાઈ બે વ્યક્તિઓએ યુવક પર લાકડાનો ધોકાઅને કુહાડા વડે હુમલો કરી ઈજા પહોંચાડ્યાનો બનાવ કુતિયાણા તાલુકાના માંઝાપરા સરકારી આવાસ વિસ્તારમાં સામે આવ્યો છે. ફરિયાદી વૈદેભાઈ રામભાઈ ખુંટી (ઉંમર ૨૮, જાતિ મેહર, ધંધો ટ્રક ડ્રાઈવિંગ, રહે. કુતિયાણા-માંઝાપરા સરકારી આવાસ) એ કુતિયાણા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, વૈદેભાઈ રામભાઈ ખુંટીના…

Read More

ડીસા-પાલનપુરના છેતરપિંડી-વિશ્વાસઘાતના ગુનામાં 4 વર્ષથી નાસતા કરતા “રેડ”ને “બ્લ્યુ હેન્ડેડ” ઝડપી લેતી પોરબંદર પોલીસ

પોરબંદરજુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા દ્વારા તેમજ પોલીસ અધીક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પિરોલ, ફર્લો, વયગાઢના જામીન પરથી ફરાર કેદી/ આરોપીઓ તથા ગેઝેટ તથા લાલશાહીથી ફરાર આરોપીઓ શોધી કાઢવા સૂચના કરવામા આવેલ જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના પો.સબ.ઇન્સ્પેકટર એચ.એમ.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઈ. એચ.આર.સિસોદીયા તથા પો.હેડ.કોન્સ. વજશીભાઇ વरे…

Read More

શિવકુંજ આશ્રમ જાળિયામાં તુલસી વિવાહનું થયેલ આયોજન

વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં રવિવારે થશે પર્વ ઊજવણી જાળિયા બુધવાર તા.૨૯-૧૦-૨૦૨૫ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં તુલસી વિવાહનું આયોજન થયેલ છે. શ્રી વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં રવિવારે આ પર્વ ઉજવણી થશે. સનાતન પરંપરામાં દિવાળી બાદ નૂતનવર્ષમાં લગ્ન પ્રસંગોનાં પ્રારંભે તુલસીજી અને ઠાકોરજીનાં વિવાહનું સાંસ્કૃતિક મહાત્મ્ય રહેલું છે. કારતક સુદ ૧૧ એટલે આગામી રવિવારે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ઉત્સાહ…

Read More

૩૧ ઓક્ટોબરથી વેરાવળ–ગાંધીગ્રામ વચ્ચે દૈનિક વિશેષ ટ્રેન ચાલશે: ટિકિટ બુકિંગ શરૂ

શંભુ સિંહ, ભાવનગર જૂનાગઢમાં યોજનારા પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની વધતી ભીડ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર વેરાવળ–ગાંધીગ્રામ વચ્ચે વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી મુજબ આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:ટ્રેન નંબર 09226 વેરાવળ–ગાંધીગ્રામ દૈનિક વિશેષ ટ્રેન વેરાવળથી રાત્રે…

Read More

ખંભાળિયા રેલવે કોલોનીમાં પાણી ભરાવાની લાંબા ગાળાની સમસ્યાનું કાયમી નિરાકરણ: રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિદ્ધિ

– કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૯-૧૦-૨૦૨૫        રાજકોટ રેલવે ડિવિઝનના ખંભાળિયા સ્ટેશન ખાતેની રેલવે કોલોનીમાં છેલ્લા આશરે દોઢેક દાયકાથી સતત પાણી ભરાવા (જળભરાવ)ની સમસ્યા રહેતી હતી. દર વર્ષે ચોમાસા દરમિયાન કોલોનીના ક્વાર્ટર્સમાં પાણી ભરાઈ જવાથી રહેવાસીઓને બિન-આરોગ્યપ્રદ અને અસુવિધાજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હતો. આ લાંબા ગાળાની સમસ્યાના નિરાકરણ માટે કોલોનીમાં એક…

Read More

અભી મોસમ બડા બેઈમાન હૈ : 30 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો ખેડવા નહીં જવા દેવાય: પછી પણ નક્કી નહીં

ભાવનગરભાવનગર સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખરાબ હવામાન તથા ભારે પવન ફૂંકાવનો હોય માછીમારી બોટસને ટોકન ઇસ્યુ ન કરવા તથા માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.મોસમ વિજ્ઞાન કેન્દ્ર, અમદાવાદની સુચના અનુસાર તા,૨૭/૧૦/૨૦૨૪ થી તા.૩૦/૧૦/૨૦૨૪ સુધી ખરાબ હવામાન તથા ભારે પવન ફૂંકાવનો હોય દરિયામાં માછીમારી માટે ગયેલ તમામ બોટસને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવી તેવી…

Read More

ભાવનગરમાં આનંદ નગર જલારામ મંદિરે થશે જલારામ બાપાના 226 માં જન્મદિવસની ભવ્ય ઉજવણી

પૂ.જલારામ બાપા ની 226 મી જન્મ જયંતિ ની આનંદનગર જલારામ મંદિરે ભવ્ય ઉજવણી કરવા માં આવશે – ધજા પૂજન,250 થી વધુ વાનગીઓ નો અન્નકૂટ દર્શન, મહાઆરતી, રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ સહિત ના કાર્યક્રમો યોજાશે સુમિત ઠક્કર, ભાવનગર સમગ્ર વિશ્વમાં જેમની સેવાના નામના ડંકા વાગે છે તેવા વિશ્વ વંદનીય સંત પૂજ્ય જલારામ બાપાની 226 મી જન્મ…

Read More

રેડક્રોસ સોસાયટી દ્વારા ભાવનગર અને અલંગ ખાતે પરિવાર અને દર્દી અને કામદારો ના બાળકો સાથે દિવાળી ના ફટાકડા ફોડી ઉત્સવ ની ઉજવણી કરાઈ

સુમિત ઠક્કર, ભાવનગર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા દિવાળી ના પર્વ ની સૌ સાથે સામુહિક ઉજવણી કરી હતી.રેડક્રોસ ના તમામ વિભાગો ના મેડિકલ સ્ટાફ અને ડોકટર ના પરિવાર સહિત રેડક્રોસ માં સારવાર મેળવી રહેલા થેલેસેમિયા ના દર્દી બાળકો, પેશન્ટ કેર એટેન્ડન્ટ, સ્વંયસેવકો, હોદ્દેદારો અને શુભેચ્છકો સાથે મળી ને દિવાળી ઉત્સવ ની ઉજવણી કરવા માં આવી…

Read More

વેરાવળ–રાજકોટ–વેરાવળ દૈનિક પેસેન્જર ટ્રેનમાં 27 ઑક્ટોબરથી વધારાના જનરલ કોચની સુવિધા

શંભુ સિંહ, ભાવનગર યાત્રિયોની વધતી આવનજાવન અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળની વેરાવળ–રાજકોટ–વેરાવળ દૈનિક પેસેન્જર ટ્રેન (નંબર 59424/59423) માં એક વધારાના જનરલ કોચ ની સુવિધા કાયમી રીતે શરૂ કરવામાં આવી છે.વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર, મુસાફરોની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના અંતર્ગત નીચે…

Read More

પરવાળા ગામે સોમવારથી યોજાશેશ્રીમદ્ ભાગવત કથા પારાયણ

બાલા હનુમાનજી અને શ્રી ન્યાલદાસજીબાપુ આશ્રમ જીર્ણોધ્ધાર તથા પિતૃઓનાં મોક્ષાર્થે આયોજન મૂકેશ પંડિત, ઈશ્વરિયા શનિવાર તા.૨૫-૧૦-૨૦૨૫ પરવાળા ગામે શ્રી બાલા હનુમાનજી અને શ્રી ન્યાલદાસજીબાપુ આશ્રમ જીર્ણોધ્ધાર તથા સર્વ પિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથા પારાયણ યોજાશે. સોમવારથી ભક્તિભાવ સાથે આયોજન થનાર છે. સોમવાર તા.૨૭થી રવિવાર તા.૨ દરમિયાન પરવાળા ગામે શ્રીમદ્ ભાગવત કથા પારાયણ યોજાશે. વ્યાસપીઠ પર…

Read More