Headlines

તળાજાના જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને મુખ્યમંત્રી સન્માન

હરેશ જોષી, તળાજા જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૨૨નું શ્રેષ્ઠ ચરિત્રનિબંધનું પ્રથમ પારિતોષિક જાહેર થયું છે. આગામી ૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એમને એવોર્ડ અર્પણ થશે. ‘તેજસ્વિની’ પુસ્તક પદ્મશ્રી સન્માનિત મહિલાઓની સંઘર્ષ ગાથાને આલેખે છે. ટૂંક સમયમાં આ પુસ્તકનો હિન્દી…

Read More

તત્ત્વભેદ: પ્રા. પ્રવીણ સલિયા : તમને કક્કો આવડતો નથી! (ભાગ 6) : વિવૃત્ત-સંવૃતનો તત્ત્વભેદ સમજવા જેવો છે

ઉચ્ચારણમાં જે સ્વર ઓછો સમય લે તે લઘુ અને જે વધુ સમય લે તે ગુરુ એવી સાદી સમજ છે જે સ્વર બે માત્રા કરતાં વધુ અથવા બે સ્વરોના જોડાણથી આવે એને પ્લુત કહેવાય છે; પ્લુતનું કાલમાન ગુરુ સ્વરની તુલનાએ વધુ હોય છે સંસ્કૃતમાં ઉચ્ચારતા ‘ૠ’ ‘ૡ’ ના સાચાં ઉચ્ચારણો આપણને આવડતાં નથી, પણ નવા પ્રવેશેલા…

Read More

હરદ્વાર ગોસ્વામીના કાવ્યસંગ્રહનો વિમોચન સમારોહ યોજાયો

હરેશ જોષી, અમદાવાદ વેલેન્ટાઇન ડે નિમિત્તે જાણીતા કવિ હરદ્વાર ગોસ્વામીના પ્રેમકાવ્યોનું પુસ્તક ‘અઢી ફૂટનું આકાશ’નો વિમોચન સમારોહ અમદાવાદના કૉલેબ ખાતે યોજાયો હતો. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને સુખ્યાત સર્જક ભાગ્યેશ જહાએ વિમોચન કરતા જણાવ્યું કે ‘સાંપ્રત કવિતાનો નોખો-અનોખો અવાજ એટલે હરદ્વાર ગોસ્વામી. સંચાલક તરીકે એ ખ્યાત છે અને કવિ તરીકે સુખ્યાત છે, એણે સાહિત્યના વિધવિધ…

Read More

ખંભાળિયાના વિવિધ મહત્વના પ્રશ્ને બિન રાજકીય નાગરિક સમિતિ દ્વારા તંત્રને રજૂઆતો

– શહેરને ખાડા મુક્ત કરવા પાલિકા તંત્ર સમક્ષ માંગ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫       ખંભાળિયા શહેરના નગરજનોને કનડતા વિવિધ પ્રશ્નો તેમજ મહત્વની પાયાની જરૂરિયાતો સંદર્ભે અહીંની બિન રાજકીય અને સેવાભાવી વ્યક્તિઓ સાથેની નાગરિક સમિતિ દ્વારા સંબંધિત તંત્રને લેખિત રજૂઆતો કરવામાં આવી છે.         ખંભાળિયા શહેરમાં આવેલા વિવિધ…

Read More

અમદાવાદમાં વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ તળાજાના વતની કવિ હરદ્વાર ગોસ્વામીના નેહ નીતરતા કાવ્યસંગ્રહ”અઢી ફૂટનું આકાશ”નું થશે વિમોચન

હરેશ જોષી, અમદાવાદ વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ તા. ૧૩ ફેબ્રુઆરી સાંજે : ૭.૦૦ કલાકે કોલેબ કલ્ચરલ સેન્ટર, ઓફ સિંધુભવન રોડ, અમદાવાદ ખાતે ‘પ્રેમનાં કાવ્ય અને કાવ્યનો પ્રેમ’ કાર્યક્રમ યોજાશે. સુપ્રસિદ્ધ શાયર હરદ્વાર ગોસ્વામીનો નેહનીતરતો કાવ્યસંગ્રહ ‘અઢી ફૂટનું આકાશ’નું વિમોચન પણ થશે.સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને વિખ્યાત વક્તા ભાગ્યેશ જહાની વિશેષ ઉપસ્થિતિ રહેશે. કલારસિકોને જાહેર નિમંત્રણ છે. પ્રેમરંગી…

Read More

પહેલી ધારની વાત: હે કહેવાતા લોકસાહિત્યકારો ! મુજરા ન કરો ! નાચવા-ગાવા વાળીઓ પણ તમારા કરતાં પવિત્ર હોય છે

આમાં બીજી કોઈ મહાનતા નથી. આ તો રાજકારણ અને સાયકોલોજીનો વિષય છે. એવા ખરખરાના બહાને સમાધાન થઈ જાય. બાકી બેય એકબીજાથી ડરતા જ હોય. આવા પ્રસંગમાં ખાનદાની દાખવે તો સમાજમાં એકબીજાનું માન રહી જાય. બાકી એ ખાનદાની ખાલી રાજાઓમાં કે બહારવટિયાઓમાં જ નથી સાવ સામાન્ય જનતામાં પણ છે. આજે તમે આવા તમારા કોઈપણ દુશ્મનના આવા…

Read More

પદ્મશ્રી દુલાભાઈ ભાયાભાઈ કાગ ની જન્મ ભૂમિ માં – કાગચોથની ઉજવણી થશે

પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં તા. ૦૩.૦૩.૨૦૨૫ કાગધામ (મજાદર) ખાતે યોજાશે કાગ ઉત્સવ (કાગ ચોથ) (હરેશ જોશી-કૂંઢેલી)તા.4/2/2025, મંગળવાર પ્રતિવર્ષ પુજ્ય કાગબાપુની જન્મભુમી કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ યોજાય છે. જેમાં “ કાગ ના ફળિયે કાગ ની વાતું “, કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાત ના…

Read More

તત્ત્વભેદ: પ્રા. પ્રવીણ સલિયા: તમને કક્કો આવડતો નથી! (ભાગ 5)

પ્રા. પ્રવીણ સલિયા સ્વરયંત્રનો આવાજ સાંભળો ઘોષ અઘોષનો ભેદ અનુભવો હવે એક વાચકમિત્ર પૂછે છે કે ‘હ’ના ઉમેરણથી ઉચ્ચારમાં કોઈ ફેરફાર થાય? એનો ઉત્તર ગયા ભાગમાં આપેલો જ છે કે એમ થવાથી અલ્પપ્રાણ વ્યંજન મહાપ્રાણ થાય. આ મહાપ્રાણ સિવાયના પણ કેટલાંક ભેદો આપણા કક્કમાં છે. એમાનો એક ભેદ છે ઘોષ વ્યંજન અને અઘોષ વ્યંજન. આ…

Read More

કેનેડામાં બ્રાહ્મણ સમાજ ઓફ ઓન્ટેરીયો દ્વારા સેવાયજ્ઞ સ્વરૂપે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજાયો

નવ લાખ રુપિયા જેવી માતબર રકમ ગુજરાતના જરુરીયાતમંદ ભૂદેવો માટે એકત્ર થઈ હરેશ જોષી, કેનેડાકેનેડાનાં ઓન્ટેરીયો રાજ્યમાં આશરે ૫૪ વર્ષ જૂની બ્રાહ્મણોની સંસ્થા “ બ્રાહ્મણ સમાજ ઓફ ઓન્ટેરીયો “ દ્રારા ૨૪ જાન્યુઆરી ૨૦૨૫ શુક્રવારે સાંજે જરૂરિયાતમંદ બ્રાહ્મણ પરિવારોના આરોગ્ય અને શિક્ષણ માટે જાણીતા હાસ્યકલાકાર અને સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીનો હાસ્યનો કાર્યક્રમ યોજાયો હતો. કેનેડામાં…

Read More

તત્ત્વભેદ: પ્રા. પ્રવીણ સલીયા : તમને કક્કો આવડતો નથી! (ભાગ 4)

વિદ્યાર્થી મિત્રો પૂછી રહ્યા છે : ‘અર્ધસ્વર-અર્ધવ્યંજન જેવું કાંઈ હોય?’ આના ઉત્તર બાબતે વિદ્વાનોમાં મતમતાંતર છે. જે ધ્વનિનો ઉચ્ચાર થોડો સ્વર જેવો અને થોડો વ્યંજન જેવો થાય છે એને અર્ધસ્વર કહેવાય. ઉચ્ચારણની સ્વતંત્રતા બાબતે સ્વર જ સંપૂર્ણ છે, વ્યંજનો તો સ્વરના ટેકાથી ઉચ્ચાર પામે ત્યારે પૂર્ણ બને છે. તેથી સામાન્ય રીતે ‘અર્ધવ્યંજન’ જેવી સંજ્ઞા જોવા…

Read More