Saturday July 26, 2025

સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે: મોરારિબાપુ

તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે પ્રતિભાઓને અર્પણ થયાં ‘હનુમંત સન્માન’ અને વિવિધ સન્માન મહુવા, શનિવાર તા.૧૨-૪-૨૦૨૫( મૂકેશ પંડિત ) ચિત્રકુટધામ તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે વિવિધ પ્રતિભાઓને ‘હનુમંત સન્માન’ અને વિવિધ સન્માન અર્પણ થયાં આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ ચિંતન ઉદ્બોધન કરતાં કહ્યું કે, સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે. હનુમંત જન્મોત્સવ પ્રસંગે […]

મોરારીબાપુ દ્વારા તલગાજરડા ખાતે હનુમંત સંગીત મહોત્સવ સાથે હનુમાન જયંતીની ઉજવણી થશે

ત્રિ દિવસીય આ કાર્યક્રમમાં હનુમાન જયંતીના દિવસે વિવિધ ક્ષેત્રના એવોર્ડ અર્પણ કરીને વંદના કરવામાં આવશે હરેશ જોશી, મહુવા પૂજ્ય મોરારીબાપુની પ્રેરણા અને માર્ગદર્શન સાથે સૌરાષ્ટ્રના મહુવા નજીકના તલગાજરડા ગામ ખાતેના ચિત્રકૂટ ધામ ખાતે હનુમાનજી મહારાજને વિશેષ રૂપે સંગીતાજલી અર્પણ કરીને 48માં હનુમંત જન્મોત્સવ- 2025 ની ઉજવણી કરવામાં આવશે.ત્રિદિવસીય આ કાર્યક્રમમાં તા.10 /11/12 એપ્રિલ, (ગુરુ,શુક્ર,શનિ) ના […]

જવાહર બક્ષીને પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક અર્પણ

હરેશ જોષી, ગાંધીનગર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રારંભ કરાયેલ અમૃત ગઝલ પારિતોષિક સર્વ પ્રથમ શ્રી જવાહર બક્ષીને ગુજરાતી ગઝલમાં અવિસ્મરણીય પ્રદાન તથા ગુજરાતી સાહિત્યની આજીવન સેવા બદલ વર્ષ ૨૦૨૪ માટે ગાંધીનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન દરમ્યાન ભૂતપૂર્વ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન અને જાણીતા સાહિત્યકાર શ્રી રમેશ પોખરીયાલવે હસ્તે અપાયો હતો.ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી […]

સહજ સાહિત્ય અને ભાવનગર ઇવેન્ટના દ્વારા મેઘાણી ઓડિટોરિયમમાં વાર્તા, કવિતા અને હાસ્યના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ યોજાયો

હરેશ જોષી, ભાવનગર સહજ સાહિત્ય અને ભાવનગર ઇવેન્ટના સહયોગથી 30 માર્ચને રવિવારના રોજ ઝવેરચંદ મેઘાણી મીની ઓડિટોરિયમમાં વાર્તા, કવિતા અને હાસ્યના ત્રિવેણી સંગમરૂપ એક સરસ મજાનો સાહિત્યિક કાર્યક્રમ યોજાયો હતો. સાહિત્યના ત્રિવેદી સંગમ જેવા આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન ભાવનગર યુનિવર્સિટીના ડૉ. મહેન્દ્રસિંહ પરમાર, લોકભારતી સણોસરા વિદ્યાપીઠના ઉપકુલપતિ વિશાલભાઈ ભાદાણી, કવિતા કવિતાકક્ષાના જિતુભાઈ વાઢેર, ઉદયભાઈ […]

રેલવેની ભાવનગર મંડળ કચેરીમાં પ્રસિદ્ધ હિન્દી કવયિત્રી મહાદેવી વર્માની જન્મજયંતિની ભવ્ય ઉજવણી

પશ્ચિમ રેલવેની ભાવનગર ડિવિઝનલ ઓફિસમાં તારીખ 26.03.2025 ના રોજ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારની અધ્યક્ષતામાં પ્રખ્યાત હિન્દી કવયિત્રી મહાદેવી વર્માની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દી કવયિત્રી મહાદેવી વર્માજીનો જન્મ 26 માર્ચ, 1907ના રોજ ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં થયો હતો, આ અવસરે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ડિવીઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક […]

તળાજાના જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને મુખ્યમંત્રી સન્માન

હરેશ જોષી, તળાજા જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૨૨નું શ્રેષ્ઠ ચરિત્રનિબંધનું પ્રથમ પારિતોષિક જાહેર થયું છે. આગામી ૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એમને એવોર્ડ અર્પણ થશે. ‘તેજસ્વિની’ પુસ્તક પદ્મશ્રી સન્માનિત મહિલાઓની સંઘર્ષ ગાથાને આલેખે છે. ટૂંક સમયમાં આ પુસ્તકનો હિન્દી […]

હરદ્વાર ગોસ્વામીના કાવ્યસંગ્રહનો વિમોચન સમારોહ યોજાયો

હરેશ જોષી, અમદાવાદ વેલેન્ટાઇન ડે નિમિત્તે જાણીતા કવિ હરદ્વાર ગોસ્વામીના પ્રેમકાવ્યોનું પુસ્તક ‘અઢી ફૂટનું આકાશ’નો વિમોચન સમારોહ અમદાવાદના કૉલેબ ખાતે યોજાયો હતો. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને સુખ્યાત સર્જક ભાગ્યેશ જહાએ વિમોચન કરતા જણાવ્યું કે ‘સાંપ્રત કવિતાનો નોખો-અનોખો અવાજ એટલે હરદ્વાર ગોસ્વામી. સંચાલક તરીકે એ ખ્યાત છે અને કવિ તરીકે સુખ્યાત છે, એણે સાહિત્યના વિધવિધ […]

અમદાવાદમાં વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ તળાજાના વતની કવિ હરદ્વાર ગોસ્વામીના નેહ નીતરતા કાવ્યસંગ્રહ”અઢી ફૂટનું આકાશ”નું થશે વિમોચન

હરેશ જોષી, અમદાવાદ વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ તા. ૧૩ ફેબ્રુઆરી સાંજે : ૭.૦૦ કલાકે કોલેબ કલ્ચરલ સેન્ટર, ઓફ સિંધુભવન રોડ, અમદાવાદ ખાતે ‘પ્રેમનાં કાવ્ય અને કાવ્યનો પ્રેમ’ કાર્યક્રમ યોજાશે. સુપ્રસિદ્ધ શાયર હરદ્વાર ગોસ્વામીનો નેહનીતરતો કાવ્યસંગ્રહ ‘અઢી ફૂટનું આકાશ’નું વિમોચન પણ થશે.સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને વિખ્યાત વક્તા ભાગ્યેશ જહાની વિશેષ ઉપસ્થિતિ રહેશે. કલારસિકોને જાહેર નિમંત્રણ છે. પ્રેમરંગી […]

પદ્મશ્રી દુલાભાઈ ભાયાભાઈ કાગ ની જન્મ ભૂમિ માં – કાગચોથની ઉજવણી થશે

પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં તા. ૦૩.૦૩.૨૦૨૫ કાગધામ (મજાદર) ખાતે યોજાશે કાગ ઉત્સવ (કાગ ચોથ) (હરેશ જોશી-કૂંઢેલી)તા.4/2/2025, મંગળવાર પ્રતિવર્ષ પુજ્ય કાગબાપુની જન્મભુમી કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ યોજાય છે. જેમાં “ કાગ ના ફળિયે કાગ ની વાતું “, કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાત ના […]

ગઝલ સંગ્રહ ‘’તો તમે રાજી?”રિન્કુ રાઠોડને મળ્યો રાષ્ટ્રીય યુવા ગૌરવ પુરસ્કાર

રિન્કુ આ રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ આદિવાસી મહિલા બન્યા હરેશ જોષી, નવી દિલ્હી તાજેતરમાં જાણીતા કવયિત્રી રિન્કુ વજેસિંહ રાઠોડને કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ગુજરાતી ભાષા માટે યુવા પુરસ્કાર – 2024 ભુવનેશ્વર, ઓરિસ્સા ખાતે એનાયત થયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ કેન્દ્રિય સાહિત્ય અકાદમીના પ્રમુખ માધવ કૌશિક હતા તથા મુખ્યઅતિથિ વિખ્યાત અંગ્રેજી લેખક જેરી પિન્ટો […]

Back to Top