પ્રયાગરાજ સંગમક્ષેત્રમાં મહાકુંભમેળામાં અખાડા સ્નાન
મૂકેશ પંડિત,પ્રયાગરાજ મંગળવાર તા.૧૪-૧-૨૦૨૫ ભારતવર્ષનાં ઐતિહાસિક પર્વ મહાકુંભપર્વ પ્રારંભ સાથે ઉત્તરાયણ પર્વ અખાડા અને વિવિધ ખાલસા તથા મહામંડલેશ્વર, સાધુ, મહંત તથા આચાર્યો દ્વારા વહેલી સવારથી ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ ક્ષેત્રમાં સ્નાન થયેલ છે. પ્રયાગરાજમાં સનાતન સંસ્કૃતિનાં વૈશ્વિક સ્વયંભુ મહાકુંભમેળામાં માત્ર ભારત જ નહિ સમગ્ર સંસારમાંથી ભાવિકો, શ્રદ્ધાળુઓ અને ભારતીય સંસ્કૃતિને જાણવા ઈચ્છુકો ભારે મોટી…
