Headlines

પાલિતાણામાં ગિરિરાજ ‘આદિનાથ’ના જયઘોષ સાથે ફાગણ સુદ તેરસની ‘છ ગાઉ’ની મહાયાત્રા સંપન્ન: લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૧ જૈન ધર્મના સર્વોચ્ચ તીર્થધામ પાલિતાણા ખાતે આજે ફાગણ સુદ તેરસના પવિત્ર દિવસે વિશ્વપ્રસિદ્ધ ‘છ ગાઉ’ની મહાયાત્રા ભક્તિમય માહોલમાં યોજાઈ હતી. વહેલી સવારે ૪.૩૦ કલાકે ગિરિરાજની ગોદમાં ‘દાદા આદિનાથ’ના ગગનભેદી જયઘોષ સાથે યાત્રિકોનો અવિરત પ્રવાહ શરૂ થયો હતો, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ ધાર્મિક મહોત્સવને…

Read More

ભાવનગરમાં રીક્ષા પલટી  જતા કડિયા યુવાનનું મોત

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર  તા.૧ ભાવનગર શહેરના જવેલ્સ સર્કલ નજીક આજે સવારના સમયે રિક્ષા પલટી જતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. આ અકસ્માતમાં અન્ય ચાર લોકોને પણ ઈજા પહોંચતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અકસ્માત ની પ્રાપ્ત થતી માહિતી મુજબ  ભાવનગર…

Read More

ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા.૨૨ થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન ‘નેશનલ સાયન્સ ડે’ની ભવ્ય ઉજવણી

વિપુલ હિરાણી  ભાવનગર તા.૨૮ ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘નેશનલ સાયન્સ ડે’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્ટુડન્ટ્સ દ્વારા ૩૫ કરતાં વધુ વિજ્ઞાન આધારિત મોડેલનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.  શાળાના બાળકોએ વિજ્ઞાન વિષય પર આધારિત ખૂબ સરસ મોડેલ રજૂ કર્યા. ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.  ‘નેશનલ સાયન્સ ડે’ ના દિવસે સ્વામિનારાયણ…

Read More

ભાવનગર રેલવે હોસ્પિટલમાં ઓપીડી ટાઈમ ટેબલમાં ફેરફાર થતા કર્મચારીઓ અને દર્દીઓમાં રાહતની લાગણી

શંભુ સિંહ, ભાવનગર ભારતીય રેલવે બોર્ડના માર્ગદર્શન મુજબ પશ્ચિમ રેલવે અંતર્ગત મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગરમાં ઓપીડી સમયસૂચીમાં કરવામાં આવેલ તાજેતરનો ફેરફાર દર્દીઓ તથા કર્મચારીઓની સુવિધાને કેન્દ્રમાં રાખીને લેવામાં આવેલ એક મહત્વપૂર્ણ અને જનહિતકારી પગલું સાબિત થઈ રહ્યો છે. આ સુધારાથી હોસ્પિટલની આરોગ્ય સેવાઓમાં કાર્યક્ષમતા, સમય વ્યવસ્થાપન તથા દર્દી સંતોષમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.અગાઉ…

Read More

સ્વામિનારાયણ મુખ્ય મંદિર  બોટાદ ખાતે સંકલ્પસિદ્ધ ચરણારવિંદ સમક્ષ ગોળનો અન્નકૂટ ધરાવાયો

વિપુલ હિરાણી  ભાવનગર તા.૨૮ ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજના તાબાનું અને શ્રી સરધારધામ સંચાલિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર – બોટાદ ખાતે,પૂજ્ય સદગુરુ નિત્યસ્વરૂપદાસજી સ્વામી સરધારવાળાની પ્રેરણાથી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી હવેલીમાં મહાપ્રતાપી સંકલ્પસિદ્ધ ચરણારવિંદ સમક્ષ ગોળનો અન્નકૂટ ધરાવાયો હતો.અને બહોળી સંખ્યામાં  ભક્તોએ જે અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો.. અને દરરોજ હજારો શ્રધ્ધાળુઓ બોટાદધામમાં મહાપ્રતાપી સંકલ્પસિદ્ધ ચરણારવિંદ…

Read More

પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં રાજ્યમંત્રી પરસોતમભાઈ સોલંકી સહભાગી થયાં

વિપુલ હિરાણી   ભાવનગર તા.૨૮ મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી શ્રી પરસોતમભાઈ સોલંકીએ આજે તેમનાં ભાવનગર જિલ્લાના પ્રવાસ દરમિયાન વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં સહભાગી થયાં હતાં. આ પાવન અવસરે પ્રખ્યાત કથાકાર રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)ના વ્યાસપીઠ પરથી પ્રસ્તુત થયેલ શ્રીમદ્ ભાગવત કથામૃતનું રાજ્ય મંત્રીશ્રીએ રસપાન કરી આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. મહોત્સવ પ્રસંગે…

Read More

હાથબ ગ્રામ પંચાયતનો વીસીઇ દીપક બારૈયા મેરેજ સર્ટિફિકેટ માટે 7,000 પૈસાની લાંચ લેતા ઝડપાયો

​ ભાવનગર: મેરેજ સર્ટિફિકેટ માટે 70 રૂપિયાની લાંચ લેતા હાથબ ગ્રામ પંચાયતનો VCE રંગેહાથ ઝડપાયો ​એસીબી (ACB) એ છટકું ગોઠવી દીપક બારૈયાને દબોચી લીધો: ભ્રષ્ટાચારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહીનો સંકેત ​ભાવનગર: ​ગુજરાતમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) સતત સક્રિય ભૂમિકા ભજવી રહી છે. તાજેતરમાં ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાંથી લાંચ લેવાનો એક ચોંકાવનારો…

Read More

ભાવનગરના પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી તંત્રમાં દોડધામ: રાબેતા મુજબ વાત ‘ખોટી’ નીકળી

​ વિપુલ હિરાણી  ​ભાવનગર તા. ૨૭ ભાવનગરમાં મુખ્ય પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રને સાઈનાઈડ ગેસ ભરેલા RDX બોમ્બ દ્વારા ઉડાવી દેવાની ધમકી ઈમેઈલ દ્વારા મળી હતી. જેના પગલે સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ દ્વારા આજે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં જાણ કરાઈ હતી. આથી મામલાની ગંભીરતાને ધ્યાને લઈ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ, SOG, LCB તથા…

Read More

ભાવનગરના માલણકા ગામે યુવાનનું રહસ્યમય મોત: કુટુંબી ભાઈઓએ જ હત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ : નફરતની ઘટના પાછળ પ્રેમ જવાબદાર?!

​૨૧ વર્ષીય રાધેશ બારૈયા બેભાન હાલતમાં મળ્યા બાદ હોસ્પિટલમાં દમ તોડ્યો, વરતેજ પોલીસે તપાસ તેજ કરી ​ભાવનગર, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ​ભાવનગર નજીક આવેલા માલણકા ગામે એક ૨૧ વર્ષીય યુવાનના શંકાસ્પદ મોતને લઈને ભારે ચકચાર મચી ગઈ છે. માલણકા ગામે રહેતા રાધેશ મનસુખભાઈ બારૈયા નામના યુવાનની હત્યા તેના જ કુટુંબી ભાઈઓએ કરી હોવાનો ગંભીર આક્ષેપ પરિવાર…

Read More

જિલ્લા-તાલુકા-નગર પંચાયતની ચૂંટણીઓ નજીક આવતા જ સરકારને ‘સેવા સેતુ’ કાર્યક્રમ યાદ આવ્યા: એક વર્ષથી બંધ યોજના ભાવનગરમાં ફરી શરૂ થશે

​માર્ચ મહિનામાં ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આયોજન, મનપાના ૧૪થી વધુ અધિકારીઓ બજાવશે ફરજ ​ભાવનગર, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ​ગુજરાતમાં આગામી બે માસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે. આ ચૂંટણીઓ નજીક આવતા જ રાજ્ય સરકાર ફરી એકવાર સક્રિય મોડમાં આવી ગઈ હોય તેવું જણાય છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી બંધ પડેલા ‘સેવા સેતુ’…

Read More