પાલિતાણામાં ગિરિરાજ ‘આદિનાથ’ના જયઘોષ સાથે ફાગણ સુદ તેરસની ‘છ ગાઉ’ની મહાયાત્રા સંપન્ન: લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૧ જૈન ધર્મના સર્વોચ્ચ તીર્થધામ પાલિતાણા ખાતે આજે ફાગણ સુદ તેરસના પવિત્ર દિવસે વિશ્વપ્રસિદ્ધ ‘છ ગાઉ’ની મહાયાત્રા ભક્તિમય માહોલમાં યોજાઈ હતી. વહેલી સવારે ૪.૩૦ કલાકે ગિરિરાજની ગોદમાં ‘દાદા આદિનાથ’ના ગગનભેદી જયઘોષ સાથે યાત્રિકોનો અવિરત પ્રવાહ શરૂ થયો હતો, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ ધાર્મિક મહોત્સવને…
