Headlines

નવારતનપર ગામના ગ્રામજનો માટે ખુશખબર: ભાવનગર-કોળીયાક રોડથી ગામને જોડતો એપ્રોચ રોડ થશે નવોનકોર

​પૂર્વ અને વર્તમાન સરપંચના સંયુક્ત પ્રયાસોથી અંદાજે ₹36.60 લાખના ખર્ચે રસ્તાનું કામ મંજૂર; આગામી સમયમાં ખાડામુક્ત અને સુરક્ષિત પરિવહનનો માર્ગ મોકળો થશે ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર તાલુકાના નવારતનપર ગામના પ્રવેશદ્વાર સમાન મુખ્ય એપ્રોચ રોડની હાલત હવે સુધરવા જઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો જે સુવિધાની રાહ જોઈ રહ્યા હતા, તે હવે સાકાર થવા…

Read More

સિહોરના તરશીંગડા ડુંગર પર બિરાજમાન ખોડિયાર માતાજીના મંદિરે પૂનમની ભવ્ય ઉજવણી: ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

કિશોર ચિમનાણી, સિહોર ​ભાવનગર જિલ્લાના સિહોર ખાતે ડુંગરોની હારમાળા વચ્ચે બિરાજતા અને ભક્તોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવતા આઈ શ્રી તરશીંગડા વાળા ખોડિયાર માતાજીના મંદિરે પૂનમના પવિત્ર અવસરે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ‘હાલતા હોકારો દેનારી’ રાજરાજેશ્વરી ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા. ​આ ધાર્મિક ઉત્સવમાં…

Read More

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈયદ અલી ખામેનીના નિધનથી ભાવનગરમાં શોક: ખોજા શિયા સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ સભા યોજાઈ

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈયદ અલી ખામેનીના નિધનથી ભાવનગરમાં શોક: ખોજા શિયા સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ સભા યોજાઈ ​શહેરના આંબાચોક મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, ખોજા સમાજ ત્રણ દિવસનો શોક પાળશે અને એક દિવસ ધંધા-રોજગાર બંધ રાખશે ​ભાવનગર: ​ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈયદ અલી ખામેની અને તેમની સાથે અન્ય મહાનુભાવોના થયેલ આકસ્મિક નિધનના સમાચારથી સમગ્ર…

Read More

નવા રતનપર ગામમાં હોળીના પર્વ પૂર્વે ‘ઓપરેશન ક્લીન’: સરપંચે જેસીબી ફેરવી હોળી ટીંબાની સફાઈ કરાવતાં પૂર્વ સરપંચ નટુ જેરામનું દબાણ મળી આવ્યું : રાજકારણમાં ગરમાવો

પૂર્વ સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા કરવામાં આવેલા દબાણો હટાવવાની પ્રક્રિયાથી ગામમાં ખળભળાટ ​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં આગામી હોળીના પર્વને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન તેજ કરવામાં આવ્યું છે. પરંપરાગત રીતે જ્યાં હોળી પ્રાગટ્ય થાય છે તે ‘હોળી ટીંબા’ વિસ્તારમાં ગઈકાલે સરપંચ ગૌતમ બારૈયા દ્વારા જેસીબીની મદદથી…

Read More

ભાવનગર તાલુકા વિકાસ અધિકારી પી.કે. રાવતની સુરેન્દ્રનગર બદલી: તલાટી મંત્રી એસોસિએશન દ્વારા યોજાયો વિદાય સમારંભ

લોકપ્રિય અધિકારી પી.કે. રાવતની લખતર ખાતે બદલી થતા ભાવનગર તાલુકા પંચાયત પરિવાર દ્વારા અપાઈ ભાવભીની વિદાય ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા પી.કે. રાવતની સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે બદલી કરવામાં આવી છે. આ નિમિત્તે ભાવનગર તાલુકા તલાટી કમ મંત્રી એસોસિએશન દ્વારા એક ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું…

Read More

ભાવનગરના આનંદનગરમાં ગુંજ્યો સનાતન ધર્મનો નાદ: ભવ્ય ‘વિરાટ હિન્દુ સંમેલન’ સંપન્ન

​ડુંગરિયા હનુમાનજી મંદિરે સંતો અને હિન્દુ શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતિમાં હજારોની મેદની વચ્ચે હિન્દુત્વની જ્યોત પ્રજ્વલિત કરાઈ ​ભાવનગર, 2 ફેબ્રુઆરી 2026 ​ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં ગત ૨૮ ફેબ્રુઆરી, શનિવારના રોજ એક ઐતિહાસિક અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ડુંગરિયા હનુમાનજી મંદિર ખાતે ‘હિન્દુ સંમેલન સમિતિ – આનંદનગર’ દ્વારા આયોજિત ‘વિરાટ હિન્દુ સંમેલન’માં ઉમટેલી જનમેદનીએ હિન્દુત્વ અને સનાતન…

Read More

૫ વર્ષની બાળકી નૈત્રીએ શેત્રુંજય મહાતીર્થની ‘છ ગાઉ’ની પદયાત્રા કરી અનોખી ભક્તિ પ્રગટ કરી

વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૧​ શેત્રુંજય મહાતીર્થની પવિત્ર ભૂમિ પર આજે ભક્તિ અને મક્કમ મનોબળનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સુરતની વતની અને માત્ર ૫ વર્ષની વય ધરાવતી બાળકી નૈત્રી અક્ષત દોશીએ ગિરિરાજની કઠિન ગણાતી ‘છ ગાઉ’ની પદયાત્રા પગે ચાલીને અત્યંત ઉત્સાહપૂર્વક પૂર્ણ કરી સમગ્ર જૈન સમાજનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું છે.​આજરોજ તા. ૧/૩/૨૦૨૬ના…

Read More

ભાવનગરમાં ભગવત મંડળ દ્વારા  ૧૬ મો યુવા પસંદગી મેળો યોજાશે

વિપુલ હિરાણી  ભાવનગર  તા.૧ ભગવત મંડળ / વલ્લભ મંડળ મેરેજ બ્યુરો, ભાવનગર દ્વારા 16 મો યુવક યુવતી સર્વ ઉચ્ચ જ્ઞાતિ માટે પરિચય મેળાનું તા.૫/૪/૨૦૨૬ ને રવિવાર શિવ શક્તિ હોલ, ભાવનગર ખાતે સવારે ૯ થી ૨ આયોજન કરવામાં આવેલ છે.    પરિચય મેળવવા ભાગ લેવા ઈચ્છુક આ યુવક – યુવતી તથા વાલીઓ એ ફોર્મ તા. ૧૫/૦૩/૨૦૨૬…

Read More

બીજાનાં ભલામાં આપણું ભલું: ભાવનગરમાં અક્ષરવાડી ખાતે વ્યસન મુક્તિ અભિયાન અને પ્રાર્થના યજ્ઞ

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૧         ભાવનગરનાં અક્ષરવાડી રોડ પર આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને ૨૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે અને BAPS વડા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ ભાવનગર પધારી રહ્યા છે તે નિમિતે ભાવનગરનાં બાલમંડળનાં બાળકો દ્વારા એક સુંદર વ્યસનમુક્તિ અભિયાન ચાલી રહ્યું છે.               …

Read More

ટેકનોલોજીની સાથે આધ્યાત્મિક મૂલ્યોનું સંવર્ધન જરૂરી : રાજ્ય શિક્ષણમંત્રી રીવા જાડેજા

પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં શિક્ષણમંત્રી રીવાબા જાડેજા સહભાગી થયાં વિપુલ હિરાણી  દ્વારા  ભાવનગર  તા.૧ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં સહભાગી થયાં હતાં. આ પાવન અવસરે મંત્રીશ્રીએ મુરલીધર મહારાજના નવનિર્મિત મંદિરમાં દર્શન કર્યા હતા. તેમજ મુરલીધર મહારાજની નગરચર્યામાં સહભાગી…

Read More