કુંભમાં ભાગદોડમાં મૃત્યુ પામનારાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
હરેશ જોષી, મહુવા૧૪૪ વર્ષે જેનો યોગ રચાયો છે તે મહાકુંભનું પર્વ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે. દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ગઈકાલે રાત્રે મૌની અમાસને દિવસે કુંભમાં વધુ પડતી ભીડ ઉમટી પડી હતી. એ સંજોગોમાં લોક પ્રવાહને નિયંત્રિત કરવા માટે લગાવેલી બેરીકેડ તૂટી જતાં પ્રાપ્ત વિગતો અનુસાર ૩૦ લોકોનાં કરુણ મોત નિપજયા છે…
