Saturday June 21, 2025

જલદ એસિડ ગટગટાવી જતા દ્વારકાની મહિલાનું મૃત્યુ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા         ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ વતની અને હાલ દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલા ખારા તળાવ ખાતે રહેતા નીલોફર ઉર્ફે નીલમ અબ્બાસભાઈ આમદભાઈ મોદી નામના 43 વર્ષના મહિલાએ થોડા દિવસો પૂર્વે કોઈ અકળ કારણોસર પોતાના હાથે એસિડ પી લીધું હતું. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં […]

મીઠાપુર નજીક રીક્ષા અકસ્માતમાં પરપ્રાંતિય યુવાનનું કરુણ મોત

અન્ય મુસાફરો પણ ઘવાયા: ચાલક સામે ગુનો કુંજન રાડિયા, જામ ખંભાળિયા          મીઠાપુરથી આશરે 10 કિલોમીટર દૂર મોજપ ગામ સ્થિત ગૌશાળા માર્ગ પર શનિવારે મુસાફરોને લઈને જઈ રહેલી જી.જે. 18 એ.એક્સ. 6325 નંબરની એક પેસેન્જર રીક્ષા ડિવાઇડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં રિક્ષામાં જઈ રહેલા ખેડા જિલ્લાના મહેમદાબાદ […]

કુરંગામાં RSPL દ્વારા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ: 40 શાળાના 800 બાળકોને કરાયા પુરસ્કૃત

– – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫         દ્વારકા નજીકના કુરંગા સ્થિત RSPL ઘડી કંપનીએ આજરોજ પ્રજાસત્તાક પર્વે દ્વારકા જિલ્લાની 40 જેટલી શાળાઓના અંદાજે 800 જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરી સન્માનિત કર્યા હતા.        આજે 76 મા પ્રજાસત્તાક દિનના અવસરે દ્વારકા તાલુકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. (RSPL) ઘડી કંપની […]

દ્વારકા સર્કિટ હાઉસમાં મોટી દુર્ઘટના: લગ્ન સમારંભના ફટાકડાની ચિનગારીથી બગીચામાં લાગી આગ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫      દ્વારકાના દરિયા કિનારે આવેલા સર્કિટ હાઉસના પ્રાંગણમાં આવેલા બગીચામાં ગંભીર અકસ્માત સર્જાયો છે. ચર્ચાતી વિગત મુજબ બાજુમાં ચાલી રહેલા લગ્ન સમારંભમાં ફોડવામાં આવેલા ફટાકડાની ચિનગારીથી બગીચામાં આગ લાગવાની ઘટના બની છે.      આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, લગ્ન સમારંભમાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. જેમાંથી એક […]

અવસાન નોંધ: જામ ખંભાળિયા: બથિયા પરિવાર

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫ જામ ખંભાળિયા: સ્વ. રાઘવજી ઓધવજી બથિયાના પુત્ર વ્રજલાલ રાઘવજી બથિયાના ધર્મપત્ની જમનાબેન વ્રજલાલ બથિયા (ઉ.વ. 87 વર્ષ), તે સ્વ. પ્રદીપભાઈ વ્રજલાલ બથિયા, જયશ્રીબેન હસમુખલાલ મશરૂ, જ્યોતિબેન અશ્વિનભાઈ ગાંધી, નીલાબેન વિજયભાઈ ઠક્કર, ઉષાબેન ભદ્રેશભાઈ અઢિયા અને ગં. સ્વ. રેણુકાબેન ભરતભાઈ બદિયાણીના માતુશ્રી તેમજ મગનલાલ છગનલાલ દતાણીના પુત્રી અને જીનલબેન દીપેશભાઈ બદિયાણી, તૃપ્તિબેન […]

ખંભાળિયામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી

– જિલ્લા કલેકટરએ ધ્વજવંદન કરી, પરેડ નિરીક્ષણ કર્યું – – ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓ પ્રશસ્તિપત્ર વડે સન્માનિત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫                પ્રજાસતાક પર્વ નિમિતે જિલ્લાવાસીઓને શુભકામના પાઠવતા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, આજના પાવન દિવસે દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપનારા નામી અનામી […]

ખંભાળિયાના સલાયામાં ચુંટણી સંદર્ભે ખાસ બેઠક યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના સલાયા નગરપાલિકાની આગામી માસમાં યોજાનારી સામાન્ય ચૂંટણી સંદર્ભે આજરોજ ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા મહામંત્રી રસિકભાઈ નકુમ, ચૂંટણી પ્રભારી અનિલભાઈ તન્ના, મંડળ પ્રભારી પરેશભાઈ કાનાણી, પી.એમ. ગઢવી, શહેર પ્રમુખ ચિરાગભાઈ તન્નાની ઉપસ્થિતિમાં પાર્ટીના કાર્યકર્તાઓ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી ચૂંટણીને […]

દ્વારકાના કુખ્યાત બિચ્છુ ગેંગના ગુજસીટોકના આરોપીની જામીન અરજી રદ

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૫        ઓખા મંડળમાં થોડા સમય પૂર્વે સ્થાનિક રહીશોને વિવિધ પ્રકારે પરેશાનીમાં મૂકી અને આતંક ફેલાવતી બિચ્છુ ગેંગને પોલીસે ઝડપી પાડી, આ ગેંગના સદસ્યોને ગુજસીટોકના કાયદા હેઠળ જેલ હવાલે કર્યા હતા. ત્યારે જેલમાં રહેલા એક આરોપીએ જામીનમુક્ત થયા બાદ પોલીસની કાર્યવાહી પછી આરંભડાના આ શખ્સના જામીન રદ કરાવી અને પુનઃ […]

ખંભાળિયાની મહાપ્રભુજી બેઠકમાં બુધવારે ભવ્ય ધર્મોત્સવ: શ્રીનાથજીની ધ્વજાજીની થશે મંગલ પધરામણી

– – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૫          ખંભાળિયાના પાદરમાં આવેલી પૂજ્ય શ્રી મહાપ્રભુજીની 57 મી બેઠકજી ખાતે આગામી બુધવાર તા. 29 મીના રોજ શ્રીનાથજીની ધ્વજાજીની મંગલ પધરામણી થશે. આ પ્રસંગે બુધવારે સવારે દર્શન પૂજનના વિવિધ આયોજન તથા સવારે 11 થી 12 વાગ્યા દરમિયાન રાજભોગનું પણ આયોજન કરવામાં આવ્યું છે.   […]

ખંભાળિયા પાલિકાના શોપિંગ સેન્ટરની સોમવારે થશે હરાજી: રૂ. પાંચ કરોડથી વધુ આવક થવાની સંભાવના

– કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૫         છેલ્લા લાંબા સમયથી કંગાળ અવસ્થામાં રહેલી ખંભાળિયા નગરપાલિકાને હાલ ઘણા સમયથી કર્મચારીઓના પગારના પણ સાંસા છે. ત્યારે સોમવાર તા. 27 જાન્યુઆરીના રોજ અહીંના કોમર્શિયલ વિસ્તારમાં આવેલા અને છેલ્લા ઘણા વર્ષોથી બંધ રહેલા નગરપાલિકાના શોપિંગ સેન્ટરની દુકાનોની હરાજી મારફતે કરોડો રૂપિયાની આવક થવાની સંભાવના છે.  […]

Back to Top