Headlines

ભાવનગરમાં વડવા- બ ની પેટા ચૂંટણી અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે બેઠકોનો ધમધમાટ

ચૂંટણી અંગેની પ્રબંધન અને સંચાલન સમિતિની બેઠકમાં પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ તેમજ અપેક્ષિત આગેવાનો ઉપસ્થીત રહ્યા હરેશ પરમાર, ભાવનગર આજ રોજ વડવા- બ ની ચૂંટણી અંગે શહેર ભાજપ કાર્યાલય સતત વ્યસ્ત રહ્યું હતું. વડવા- બ ના બુથોમાં સતત પત્રિકા રાઉન્ડ શરૂ હતા, ત્યારે શહેર ભાજપ કાર્યાલય ખાતે અધ્યક્ષ. અભયસિંહ ચૌહાણ અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીની…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધો. 10-12 બોર્ડની પરીક્ષામાં 13,288 છાત્રો પરીક્ષા આપશે

– જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ કલેક્ટરની અધ્યક્ષતામાં એક્શન પ્લાન – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૧-૦૨-૨૦૨૫        ગુજરાત રાજ્યમાં આગામી તારીખ 27 ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ 10 તથા 12 ની બોર્ડની પરીક્ષાઓ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પરીક્ષા સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેકટર આર.એમ. તન્નાની આગેવાનીમાં સમિતિના સદસ્ય જિલ્લા શિક્ષણ અધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા દ્વારા…

Read More

દ્વારકાના મનોદિવ્યાંગ બાળકોનો ખેલ મહાકુંભમાં અનેરી સિધ્ધિ: 14 ખેલાડીઓએ 30 મેડલ જીત્યા: 11 બાળકો રાજ્ય કક્ષા માટે ક્વોલિફાઇડ

કુંજન રાડિયા, કલ્યાણપુર પુર૧૧-૦૨-૨૦૨૫        કલ્યાણપુર તાલુકાના નંદાણા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ખાસ ખેલ મહાકુંભમાં દ્વારકાની રાધે ડિફરન્ટલી એબલ્ડ સંસ્થાના વિદ્યાર્થીઓએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સંસ્થાના 12 વિદ્યાર્થીઓ અને 2 વિદ્યાર્થીનીઓએ કુલ 30 મેડલ જીતીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે. જેમાં 13 ગોલ્ડ, 9 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.  …

Read More

અવસાન નોંધ: ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખના પિતાનું અવસાન

      જામ ખંભાળિયા: સાબરકાંઠાના ઈડર તાલુકાના નિવાસી અમૃતલાલ માધવલાલ પટેલ (મુખી) (ઉ.વ. 72) તે ભાનુપ્રસાદ પટેલ (ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ તથા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્ય)ના પિતાશ્રી તેમજ ડો. સ્મિત પટેલના દાદા તારીખ 10 ના રોજ અવસાન પામ્યા છે.         સદગતનું બેસણું ગુરૂવાર તારીખ 13 મીના રોજ સવારે 9:30 થી…

Read More

પોરબંદરના કાશ્મીરા ખોરાવા આપધાત કેસમાં એડવોકેટ ભરત લાખાણીની સ્પેશ્યલ સ૨કા૨ી વકીલ તરીકે એન્ટ્રી

દશેક વર્ષ પહેલાના કાશ્મીરા ખોરાવાના આપધાત કેસમાં આરોપી તરીકે ખા૨વા જ્ઞાતિના ખૂબ જ મોટા આગેવાનોના નામ હોઇ તે વખતે આ કેસ ખૂબ જ ચકચારી બનેલો અગાઉ આ કેસ લડી રહેલા એક વકીલનું મૃત્યુ થયું અને બીજા વકીલ રાજકોટથી આવતા નહોતા: કેસમાં હવે સરકારી વકીલ તરીકે એડવોકેટ લાખાણીની એન્ટ્રી પોરબંદરપો૨બંદ૨માં દશેક વર્ષ પહેલા ખૂબ જ ચકચારી…

Read More

બાબરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો કરાવતા એડવોકેટ હરનીલ ત્રિવેદી

અમરેલીએડવોકેટ હરનીલ ત્રિવેદીની ધારદાર દલીલો ને ધ્યાને લઇ અમરેલીના સ્પે. પોકસો કોર્ટ ના જજ ડી.એસ. શ્રીવાસ્તવે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કામે બાબરા કરીયાણા રોડ પર રહેતા ભોગ બનનારને આરોપી શૈલેન્દ્રકુમાર મહાવીરસેન લલચાવી ફોસલાવી બદકામ ક૨વાના ઈરાદાથી ભોગ બનનારને કાયદેસ૨ના વાલીપણામાંથી ઉપાડી ગયેલ હતા. તે અંગેની ફરીયાદ ફરીયાદીએ બાબરા પોલીસ સ્ટેશનમાં…

Read More

દ્વારકા જિલ્લામાં ટી.બી. અંગે જાગૃતી માટે આરોગ્ય કર્મચારીઓની ટુર્નામેન્ટ યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫        દેશભરમાં ચાલી રહેલા 100 દિવસ ટી.બી. અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “ટી.બી. હારેગા, દેશ જીતેગા”ની થીમ પર ટી.બી. અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી જિલ્લાના તમામ પુરુષ આરોગ્ય કર્મચારીઓની ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.        જેમાં જિલ્લાના તમામ ચાર તાલુકા તેમજ જિલ્લા પંચાયત…

Read More

ખંભાળિયા નજીક અનધિકૃત રીતે થતી ખનીજ ચોરી ઝડપાઈ: મુદ્દામાલ કબ્જે

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫       ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર આજરોજ એલ.સી.બી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગેરકાયદેસર રીતે બોકસાઈટ લઈને જઈ રહેલા એક ટ્રકને ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી.            દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ દ્વારા હાથ…

Read More

ખંભાળિયાના વિવિધ મહત્વના પ્રશ્ને બિન રાજકીય નાગરિક સમિતિ દ્વારા તંત્રને રજૂઆતો

– શહેરને ખાડા મુક્ત કરવા પાલિકા તંત્ર સમક્ષ માંગ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫       ખંભાળિયા શહેરના નગરજનોને કનડતા વિવિધ પ્રશ્નો તેમજ મહત્વની પાયાની જરૂરિયાતો સંદર્ભે અહીંની બિન રાજકીય અને સેવાભાવી વ્યક્તિઓ સાથેની નાગરિક સમિતિ દ્વારા સંબંધિત તંત્રને લેખિત રજૂઆતો કરવામાં આવી છે.         ખંભાળિયા શહેરમાં આવેલા વિવિધ…

Read More

ભાણવડના વિજયપુર ખાતે પેરેલાઇઝ થયેલ નર શિયાળની વ્હારે એનિમલ લવર્સ ટ્રસ્ટ

કુંજન રાડિયા, ભાણવડ, તા. ૧૦-૦૨-૨૦૨૫       ભાણવડના વિજયપુર ગામની એક વાડીમાં રાત્રિના સમયે એક નર શિયાળ લથડતી હાલતમાં તકલીફમાં હોય અને ચાલી શકવા પણ સક્ષમ ના હોય તેવી હાલત જણાતા સ્થાનિક રહીશ દ્વારા ભાણવડના એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો હતો.       આથી અશોકભાઈ ટીમના સભ્યો સાથે તુરંત આ…

Read More