Headlines

ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતી નિમિતે રિલાયન્સ દ્વારા વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત, સહાય વિતરણ સહિત અનેકવિધ લોકાભિમુખ કાર્યક્રમો યોજાયા

– બેડમાં શાળાના નિર્માણ ઉપરાંત અને ખાતે સ્મશાનઘાટની ખાત મુહૂર્તવિધિ યોજાઈ –  જામ ખંભાળિયા, તા. ૦૯-૦૧-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા)       રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંસ્થાપક અને દિર્ઘદ્વષ્ટા ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતી નિમિતે ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ રિફાઈનરીની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત- શિલાન્યાસ, લોકાર્પણ-અર્પણવિધી…

Read More

બગદાણામાં સદગુરુ સંત બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિની ભાવ અને શ્રદ્ધાભેર ઉજવણી: ભાવિક ભક્તો મહોત્સવમાં સામેલ થઇને દર્શન તેમજ પ્રસાદ લઈને ધન્ય થયા

હરેશ જોશી, કુંઢેલીતા.6, મંગળવાર બગદાણા ધામ ખાતે આજે સદગુરુ સંત પૂજ્ય બજરંગદાસ બાપાની 49 મી પુણ્યતિથિ મહોત્સવની ભારે ભાવ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.અગાઉથી જ ગુરુઆશ્રમ, બગદાણા દ્વારા ઘોષિત થયેલા આજના ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા મુજબ વહેલી સવારના પાંચ કલાકથી મંગળા આરતી થઈ હતી. બાદમાં ધ્વજા પૂજન…

Read More

ભાવનગરમાં હેલ્થ એક્સ્પો યોજાયો: ડી.ઈ.આઈ.સી. સ્ટોલને મળ્યો ઉત્તમ પ્રતિસાદ : નોડલ ઓફિસર ડૉ. મેહુલ ગોસાઈના માર્ગદર્શન હેઠળ સર ટી હોસ્પિટલની ટીમ દ્વારા ગ્રેટ પર્ફોમન્સ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગરમાં તારીખ ૦૩/૦૧/૨૦૨૬ તથા ૦૪/૦૧/૨૦૨૬ના રોજ જવાહર મેદાન, ભાવનગર ખાતે ભાવનગર–બોટાદ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિયેશન દ્વારા હેલ્થ એક્સ્પોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ હેલ્થ એક્સ્પોમાં ડીન ચિન્મય શાહ (જી.એમ.સી.બી.), તબીબી અધિક્ષક સર ટી હોસ્પિટલ તથા ડી.ઈ.આઈ.સી.ના નોડલ ઓફિસર ડૉ. મેહુલ ગોસાઈના માર્ગદર્શન હેઠળ સર ટી હોસ્પિટલ, ભાવનગરની ડી.ઈ.આઈ.સી. ટીમ દ્વારા સ્ટોલ…

Read More

ઈન્દોરની જળદૂર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી, કુંઢેલી, તા.4થોડા દિવસ પહેલાં મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે પાણી પ્રદુષિત બન્યું હતું અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૧૬ લોકોનાં મોત નિપજયા હતા અને અનેક લોકો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ઈન્દોરના ભગીરથ પૂરા વિસ્તારમાં રોજીંદા વપરાશમાં લેવામાં આવતું પાણી પ્રદુષિત થતાં હજારો લોકોની તબીયત લથડી હતી અને જોતજોતામાં તેમાંથી ૧૬…

Read More

ફાર્બસ ગુજરાતી સભાના વ્યાપન પ્રકલ્પ અને લોકભારતી વિશ્વવિદ્યાલય, સણોસરા,-ના સહકારમાં 9મીએ અનુબંધ-શિબિર

મૂકેશ પંડિત, ભાવનગર કલા અને વાસ્તવ, સાહિત્ય અને સમાજ, તેમ જ રસાનુભવ અને જીવનની સમજણ એકબીજાં સાથે અનેક રીતે જોડાતાં રહે છે. એ સર્વ અનુબંધો અને આંતર કૃતિત્વોને જોવા, સમજવા, તપાસવાની સજ્જતા આ શિબિરમાં જોડનાર સહુ જાતે કેળવે, એનો અવસર એટલે આ વ્યાપન-પ્રસંગ. ત્રણ દિવસની આ સજ્જતા શિબિરમાં ગુજરાતના કેટલાક ઉત્તમ કેળવણીકારો, સાહિત્ય સર્જકો અને…

Read More

પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા માર્ગ સલામતી માસનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

સતત એક મહિના સુધી માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો યોજાશે ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા તા.1લી જાન્યુઆરી થી 31 જાન્યુઆરી 2026 સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોરબંદર પોલીસ અને જેસીઆઈ…

Read More

દેશના પ્રથમ ક્રમના ઉદ્યોગપતિ અંબાણી પરિવારે વર્ષમાં સૌ પ્રથમ, પ્રથમ દેવતા સોમનાથ મહાદેવના દર્શન કર્યા: પાંચ કરોડનું અનુદાન જાહેર

– રૂ. પાંચ કરોડનું અનુદાન શિવાર્પણ કરાયું કુંજન રાડિયા, ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬        ભગવાન શિવમાં અપરંપાર શ્રદ્ધા ધરાવતા દેશના પ્રથમ હરોળના ઉદ્યોગપતિ અંબાણી પરિવારે આજરોજ સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને દર્શન કરી, રૂપિયા પાંચ કરોડનું અનુદાન જાહેર કરવામાં આવ્યું છે.        દેશના ગૌરવંતા ઔદ્યોગિક એકમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશભાઈ…

Read More

ભારતીય રેલવેની નવા વર્ષની રાષ્ટ્રને ભેટ: ગુવાહાટી અને હાવડા વચ્ચે પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે

દિલ્હીના રેલ ભવન ખાતે રેલવે, માહિતી અને પ્રસારણ, તથા ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે બેઠકમાં જાહેરાત કરતાં નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી ટ્રેનમાં 16 કોચ હશે, જેમાં 11 થ્રી-ટાયર એસી કોચ, 4 ટુ-ટાયર એસી કોચ અને 1 ફર્સ્ટ ક્લાસ એસી કોચનો સમાવેશ સુલય ત્રિપાઠી, નવી દિલ્હી રેલવે, માહિતી અને પ્રસારણ, તથા ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી…

Read More

ધીરૂભાઈ અંબાણીઃ ગીતાના ઉપદેશને ચરિતાર્થ કરતું જીવન-પરિમલ નથવાણી

શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવતું શાશ્વત માર્ગદર્શન છે. તેમાં કહેવાયેલા કર્મ, ધૈર્ય, સમત્વ, નેતૃત્વ અને આત્મવિશ્વાસના સિદ્ધાંતો જો આધુનિક ભારતના ઉદ્યોગ જગતના ઇતિહાસમાં કોઈ એક જીવનમાં સાકાર થતાં દેખાય, તો તે છે ધીરૂભાઈ અંબાણીનું જીવન. એક સામાન્ય પરિવારમાં જન્મેલો યુવાન, જેની પાસે ન મૂડી હતી, ન સગાં-સંબંધીનો આધાર—પણ…

Read More

આજે 1 જાન્યુઆરી 2026થી ભાવનગર રેલવે મંડળ પર નવું સમયપત્રક લાગુ: ભાવનગર રેલવેના વિવિધ સ્ટેશનો પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર, જાણી લો નવુ ટાઇમ ટેબલ

4 ટ્રેનો હાલના નિર્ધારિત સમય કરતાં વહેલી અને 8 ટ્રેનો હાલના નિર્ધારિત સમય કરતાં મોડેથી ચલાવવામાં આવશે શંભુ સિંહ, ભાવનગરપશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ પર 01 જાન્યુઆરી, 2026થી નવી સમયસારણી અમલમાં મૂકવામાં આવી રહી છે. તેમાં કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના કારણે મુસાફરોનો સમય બચશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી…

Read More