જામ ખંભાળિયા ભગવદ્દ ગીતા, રામાયણ, વેદ – પુરાણ અને સંસ્કારોના જ્ઞાન સાથે શિક્ષણ આપતી દેવભૂમિ દ્વારકા જિલ્લાની એક માત્ર શૈક્ષણિક સંસ્થા ખંભાળિયાની “ધી પ્રેસિડેન્ટ સ્કૂલ” માં દેવોના દેવ મહાદેવના મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના નાના ભૂલકાઓનો ભગવાન ભોળાનાથ, માતા પાર્વતીજી, ગણેશજી અને કાર્તિકેયજીના […]
Tag: RELIGION
કેનેડાથી કરૂણાની ગંગા અનાથ બાળકોનાં “આંગન” સુધી પહોંચી
હરેશ જોષી, બ્રેમ્પટનઆજરોજ તા.1/3/2025 ના રોજ કેનેડાનાં ટોરોંટોમાં આવેલા ISSO શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી અમદાવાદના નરનારાયણદેવ મંદિરમાં પૂજ્ય ગાદીવાળાનાં માર્ગદર્શનમાં ચાલતા અનાથાશ્રમ “આંગન“ માટે જગદીશ ત્રિવેદીનાં હાસ્યકાર્યક્રમનું આયોજન થયું હતું.બ્રેમ્પટન ખાતે આવેલાં ભવાનીશંકર મંદિરના વિશાળ સભાગૃહમાં આશરે બસો જેટલાં સત્સંગીઓની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં આશરે 7000+ કેનેડીયન ડોલર એટલેઆશરે સવા ચાર લાખ રૂપિયા જેવી રકમ એકત્ર […]
ભગવાનની ચોરી, પોલીસનું ડિટેકશન: હર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના 11 આરોપીઓ ઝબ્બે
ભગવાનની ચોરી પોલીસ નું ડિટેકશન હર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના 11 આરોપીઓ ઝબ્બે – યુવતીને આવેલા સપના સંદર્ભે ચાર શખ્સોએ કરી હતી શિવલિંગની ચોરી ! – – બે દિવસ રેકી કરીને શિવલિંગની ચોરીને આપ્યો હતો અંજામ- કુંજન રાડિયા. જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ […]
કાના સરકાર: દ્વારકાધીશના આંગણે ફૂલડોલ મહોત્સવ ઉજવવા માટે કલેકટર કચેરીમાં ખાસ બેઠક મળી
દ્વારકાના જગત મંદિરમાં ભવ્ય રીતે યોજાશે ફુલડોલ ઉત્સવ: નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૫ દ્વારકાના વિશ્વવિખ્યાત જગત મંદિર ખાતે આગામી દિવસોમાં હોળીના તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્સવ યોજાશે. ત્યારે ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાની […]
ભાવનગર શહેર ભાજપે કાર્યકર્તાઓના ઘડતર માટે ‘વીર શંભાજી મહારાજ’ ની ‘છાવા’ ફિલ્મ બતાવી
કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા એન્ટરટેઈનમેન્ટ પાર્ક પહોંચ્યા હરેશ પરમાર, ભાવનગર ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં શહેર ભાજપે ૨૭-૦૨-૨૦૨૫ અને ગુરુવારે કાર્યકર્તાઓ માટે મોગલ બાદશાહ ઔરંગઝેબ સામે વિરતાથી શહાદત વ્હોરનાર છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર વીર શંભાજી મહારાજનું કથાનક ધરાવતી ‘છાવા’ ફિલ્મનો શો રાખ્યો હતો, જે માટે ત્રણ સ્ક્રીન રોકવામાં આવેલ અને […]
શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પ્રસંગે આસ્થાભેર થયેલ શિવપૂજન વંદના
મૂકેશ પંડિત, જાળિયા: બુધવાર તા.૨૬-૨-૨૦૨૫ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પ્રસંગે આસ્થાભેર શિવપૂજન વંદના થયેલ છે. શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્ય સાથે પાઠાત્મક મહારુદ્ર અભિષેક અને પ્રસાદ લાભ મળેલ છે. શિવજીનાં મહાત્મ્ય ભરેલાં પર્વ મહાશિવરાત્રી પ્રસંગે ગોહિલવાડનાં જાણીતાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્ય સાથે પાઠાત્મક મહારુદ્ર અભિષેક આયોજન થઈ ગયું. આશ્રમમાં શ્રી સોમનાથ મહાદેવ સ્થાનમાં […]
કનૈયો બન્યો મહાદેવ: શિવરાત્રિ પર્વ નિમિત્તે દ્વારકાધીશને શિવસ્વરૂપ શૃંગાર
જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આજરોજ યાત્રાધામ દ્વારકાના સુપ્રસિધ્ધ શ્રી દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને શિવ સ્વરૂપના વિશેષ શૃંગાર મનોરથ યોજવામાં આવ્યા હતા. શિવજીના વિશેષ વાઘા સાથેનો શૃંગાર ઠાકોરજીને કરાયો હતો. ઠાકોરજીના દૈદિપ્યમાન શૃંગાર મનોરથનો બહોળી સંખ્યામાં સ્થાનિકોએ તેમજ ઓનલાઇનના માધ્યમથી લાખો ભાવિકોએ દર્શન મનોરથનો લાભ લઈ, ભાવવિભોર […]
ભાવનગરના શિવકુંજ ધામમાં દિવ્યતાથી ઉજવાયો મહાશિવરાત્રી મહોત્સવ
ભવનાથ મહાદેવ મંદિરે ઉમટયો માનવ મહેરામણ હરેશ જોષી, ભાવનગર તા. ૨૬. ૨પુ.સંતશ્રી સીતારામ બાપૂના સાંન્નિધ્યમાં ભાવનગરની ભાગોળે આવેલ શિવકુંજ આશ્રમે મહાશિવરાત્રી મહોત્સવ ખુબજ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવાયો હતો.પૂ. શંકરાચાર્ય મહારાજ દ્વારા સ્થાપિત સ્ફટિક મણી શિવલીંગ ની ચારેય પ્રહરની પૂજા પૂ. સીતારામ બાપુ દ્વારા ભૂદેવો સાથે વિવિધ રસ અને તીર્થે જળના અભિષેકથી કરવામાં આવી હતી.પધારેલ […]
દ્વારકાના દ્વાદર્શ નાગેશ્વર જયોર્તિલિંગ ખાતે શિવ ભક્તોનો મેળાવડો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫ સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા નજીક આવેલા દ્વાદર્શ જયોર્તિલિંગ નાગેશ્વર મંદિર ખાતે આજરોજ મહાશિવરાત્રિના હરી અને હરના ભક્તોનો મેળાવડો જોવા મળ્યો હતો. દ્વારકા નજીકના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આજે શિવરાત્રીના પવન પર્વ નિમિત્તે સ્થાનિક ભક્તો ઉપરાંત પ્રવાસીઓ પણ મહાદેવ દૂધ અને જલથી અભિષેક કરી, […]
ખંભાળિયામાં ખામનાથ મહાદેવની પરંપરાગત વરણાંગી નીકળી: મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા
– જિલ્લા કલેકટર આર.એમ. તન્નાએ કર્યું પૂજન અર્જન – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫ ખંભાળિયાના પાદરમાં બિરાજતા શ્રી ખામનાથ મહાદેવની પરંપરાગત વરણાંગી આજરોજ સવારે અહીંના વિજય ચોકમાં આવેલી રંગ મહોલ સ્કૂલ વિસ્તારમાંથી નીકળી હતી. છેલ્લા આશરે પાંચ સદી જુના ખામનાથ મહાદેવની શિવ વરણાંગી (શોભાયાત્રા) ને પરંપરાગત […]
