Headlines

દ્વારકાના આધેડે અકળ કારણોસર દુકાનમાં ગળાફાંસો ખાધો

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫     દ્વારકાના રબારી પાડો વિસ્તારમાં રહેતા દીગપાલ ઉર્ફે દિપકભાઈ વાલાભાઈ પરમાર નામના 50 વર્ષના દલવાડી આધેડે ગઈકાલે મંગળવારે કોઈ અગમ્ય કારણોસર એક દુકાનમાં રહેલા પંખાના હૂકમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ સતિષભાઈ વાલાભાઈ પરમારએ દ્વારકા પોલીસને કરી છે. ____________________________________________________________________________ દ્વારકામાં ક્રિકેટ…

Read More

પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગના પ્રપૌત્ર ઈશ કાગની CGIF યુથ ફોરમના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્તિ 

પદ્મશ્રી કવિ દુલાભાયા કાગના પ્રપૌત્ર ઈશ કાગની CGIF યુથ ફોરમના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્તિ  વિપુલ હિરાણી, ભાવનગર તા.૨ ચારણ-ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (CGIF), જે ચારણ-ગઢવી સમુદાયની એકતા, કલ્યાણ અને પ્રગતિ માટે વૈશ્વિક સ્તરે કાર્યરત છે  . પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગના પ્રપૌત્ર ઈશભાઈ કાગને CGIF યુથ ફોરમ (CGIYA) ના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે….

Read More

જામનગરથી દ્વારકા જતા ઉદ્યોગપતિપુત્ર અનંત અંબાણીનો દેખાયો માનવતાવાદી ચહેરો: કતલખાને જતા મરઘાઓને બચાવી લેવાયાં

– મરઘાઓના માલિકને મરઘાની કિંમત પણ ચૂકવાઇ – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૫        રિલાયન્સ – જામનગરથી દ્વારકા તરફ પદયાત્રાએ નીકળેલા અનંત અંબાણીનો આજે આમ જનતાએ માનવતાવાદી ચહેરો પણ નિહાળ્યો છે. પદયાત્રા દરમિયાન માર્ગમાં કતલખાને લઈ જવાતા મરઘાઓ ભરેલા એક વાહનને તેમણે અટકાવી અને તમામ મરઘાઓ બચાવી લેવા તેમજ તેના માલિકને તેની રકમ ચૂકવવા…

Read More

ભાવનગર રેલવે ડિવિઝનના ત્રણ કર્મચારી ઉત્કૃષ્ટ કામગીરી બદલ એડીઆરએમના હસ્તે સન્માનિત

શંભુ સિંહ, ભાવનગર ભાવનગર ડિવિઝનના 3 કર્મચારીઓને રેલવે કાર્ય પ્રણાલીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ADRM એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કાર્યને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર (ADRM) શ્રી હિમાઁશુ શર્માએ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમને પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા હતા. ભાવનગર ડિવિઝનના સિનીયર…

Read More

ખંભાળિયાના જાણીતા સેવાભાવી કાર્યકર પરાગભાઈ તન્નાનું નિધન

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૫ જામ ખંભાળિયા: જૂની પેઢીના વલ્લભદાસ રતનશી તન્ના મેડિકલ સ્ટોર વાળા સ્વ. પ્રભુદાસભાઈ તન્નાના સુપુત્ર પરાગભાઈ તન્ના (મેડિકલ વાળા, ઉ.વ. 60) તે સ્વ. સંજયભાઈના મોટાભાઈ તેમજ મુકેશભાઈ તન્નાના નાનાભાઈ મંગળવાર તારીખ 1 ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરૂવાર તારીખ 3 ના રોજ સાંજે 5 થી 5:30 ભાઈઓ તથા બહેનો…

Read More

સહજ સાહિત્ય અને ભાવનગર ઇવેન્ટના દ્વારા મેઘાણી ઓડિટોરિયમમાં વાર્તા, કવિતા અને હાસ્યના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ યોજાયો

હરેશ જોષી, ભાવનગર સહજ સાહિત્ય અને ભાવનગર ઇવેન્ટના સહયોગથી 30 માર્ચને રવિવારના રોજ ઝવેરચંદ મેઘાણી મીની ઓડિટોરિયમમાં વાર્તા, કવિતા અને હાસ્યના ત્રિવેણી સંગમરૂપ એક સરસ મજાનો સાહિત્યિક કાર્યક્રમ યોજાયો હતો. સાહિત્યના ત્રિવેદી સંગમ જેવા આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન ભાવનગર યુનિવર્સિટીના ડૉ. મહેન્દ્રસિંહ પરમાર, લોકભારતી સણોસરા વિદ્યાપીઠના ઉપકુલપતિ વિશાલભાઈ ભાદાણી, કવિતા કવિતાકક્ષાના જિતુભાઈ વાઢેર, ઉદયભાઈ…

Read More

ખંભાળિયાના પ્રખ્યાત ગાયત્રી ગરબા મંડળ સાથે મન કી બાત કાર્યક્રમ સાંભળતા કેબિનેટ મંત્રી મુળુભાઈ

જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫        ખંભાળિયામાં છેલ્લા આશરે ચારેક દાયકાથી અનેક સેવાકીય પ્રવૃતિઓ કરતા જાણીતા શ્રી ગાયત્રી ગરબા મંડળના પ્રમુખ પ્રવીણભાઈ છગના અત્રે રામનાથ સોસાયટીમાં આવેલા નિવાસસ્થાન ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “મન કી બાત” ના 120 મા એપિસોડને સામૂહિક રીતે નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું.       જેમાં અહીંના ધારાસભ્ય અને કેબિનેટ…

Read More

ખંભાળિયામાં રવિવારે રામનવમીની થશે ભવ્ય ઉજવણી

– પરંપરાગત શોભાયાત્રા સહિતના આયોજનો – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫       મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના પાવન પર્વ રામનવમીની આગામી રવિવાર તારીખ 6 એપ્રિલના રોજ ખંભાળિયામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે પરંપરાગત શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું છે.           રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના…

Read More

સ્વામિનારાયણ પુસ્તકના કથનના વિરોધમાં દ્વારકામાં યોજાઈ મહાસભા

– બ્રાહ્મણો, વેપારીઓ, આગેવાનો દ્વારા આંદોલનના ભણકારા – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫        દ્વારકાની ગુગળી બ્રાહ્મણની બ્રહ્મપુરીમાં આજરોજ સાંજે દ્વારકાના ગુગળી બ્રાહ્મણો સાથે સમસ્ત બ્રહ્મ સમાજ ઉપરાંત જુદી જુદી વેપારી સંસ્થાઓ તથા જુદી જુદી જ્ઞાતિના આગેવાનોની એક મહાસભા યોજાઈ હતી. આ મહાસભામાં તાજેતરમાં સ્વામિનારાયણ સંત દ્વારા ભગવાન દ્વારકાધીશ પ્રત્યે એક પુસ્તકમાં કરાયેલી ટિપ્પણી…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ શખ્સોને પાસા તળે જેલ હવાલે કરાયા

– એલસીબી પોલીસ દ્વારા કાર્યવાહી – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સાબૂત બની રહે તે હેતુથી આ વિસ્તારના કહેવાતા માથાભારે શખ્સો, બુટલેગરો, જુગારીઓ, ખનીજ માફિયાઓ, ભૂમાફિયાઓ, વિગેરેની યાદી તૈયાર કરીને આવા તત્વોને શોધી કાઢી, કાયદા મુજબ કડક કામગીરી કરવામાં…

Read More