બાવળિયાળીમાં ભાગવત કથા પૂર્ણાહુતિ સાથે વ્યાસપીઠની ૧૧ લાખ વૃક્ષો વાવવાની ટહેલનો શ્રી રામબાપુ દ્વારા સ્વીકાર બાવળિયાળી, શનિવાર તા.૨૨-૩-૨૦૨૫( મૂકેશ પંડિત ) ભરવાડ સમાજ દ્વારા ધર્મ અને સંસ્કૃતિનાં જતન માટે બાવળિયાળીમાં યોજાયેલ ભાગવત કથા પૂર્ણાહુતિ સાથે વ્યાસપીઠની ૧૧ લાખ વૃક્ષો વાવવાની ટહેલનો શ્રી રામબાપુ દ્વારા સહર્ષ સ્વીકાર થયો. કથા વિરામ સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ કહ્યું […]
Tag: SOCIAL
ભાણવડ તાલુકામાં 78 લાખથી વધુ રકમના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું
– આંબરડી ખાતે રૂ. 24.50 લાખ, કાટકોલા ખાતે 26.60 લાખ, સણખલા ખાતે 27.50 લાખના ખર્ચે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ – જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૫ ભાણવડ તાલુકાના આંબરડી ખાતે રૂ. 25.50 લાખ, કાટકોલા ખાતે રૂ. 26.50 લાખ તથા સણખલા ખાતે રૂ. 27.50 લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું આજરોજ ખંભાળિયાના ધારાસભ્ય અને […]
હરીપરની સરકારી શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવાયો
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના હરીપર ગામની સરકારી તાલુકા શાળામાં શુક્રવારે આંતરરાષ્ટ્રીય વન દિવસની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી. અહીં રેન્જ ફોરેસ્ટ ઓફિસર જી.કે. ડાંગર તેમજ તેમની ટીમ અને હરીપર તાલુકા શાળાના આચાર્ય કાળુભાઈ ગોજીયા સાથે શાળા પરિવાર દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી, બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ, […]
નવારતનપર પંચાયત પરિસરમાં દારૂ માટે જાણીતી પ્રવીણની દુકાન હટાવવા પંચાયતની કાર્યવાહી શરૂ: ગુંડાઓ સામે ફરજમા રુકાવટ, ધમકી અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એફઆઇઆર કરવા પોલીસને રજૂઆત
ગામના રસ્તામાં અને પંચાયત પરિસરમાં આવેલી દુકાન હટાવી દબાણ ખુલ્લું કરવા નોટિસ પાઠવી નવા રતનપર ગ્રામ પંચાયતે સાત દિવસની મહેતલ આપી: સાત દિવસમાં યોગ્ય ખુલાસો નહીં થાય તો પંચાયત પોતાની રીતે દબાણ હટાવવા લેશે હાર્ડ એકશન નારન બારૈયા, નવારતનપરગેરકાયદે ડીઝલ, દબાણ અને દેશી દારૂના દુષણ માટે છેલ્લા વર્ષોમાં ભયંકર રીતે બદનામ થઈ ચૂકેલા ભાવનગર તાલુકાના […]
ખંભાળિયાના હદપારીના ગુનાના આરોપી પ્રવીણને છરી સાથે દબોચી લેવાયો
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫ ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા એક શખ્સને તાજેતરમાં હદપારીના આદેશથી ત્રણ જિલ્લામાંથી છ માસ સુધી હદપાર કરવાનો હુકમ થયો હતો. આ વચ્ચે આજરોજ હદપારીના ઉપરોક્ત આરોપીને પોલીસે છરી સાથે ઝડપી લઇ, હદપારીના હુકમનો ભંગ કરવા સબબ કાર્યવાહી કરી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો […]
ખંભાળિયામાં શનિવારે રામા મંડળનું આયોજન
જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૪ ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલા શક્તિનગરના મેદાનમાં આગામી શનિવાર તારીખ 22 મીના રોજ રાત્રે 10 વાગ્યે માણેક વાડાના પ્રખ્યાત જય રામદેવ રામા મંડળનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીંના જાણીતા ગાયત્રી ગરબા મંડળ દ્વારા આયોજિત આ રામા મંડળમાં ધર્મલાભ લેવા શહેર તથા આસપાસની […]
દુઃખદ અવસાન – પ્રાર્થનાસભા : જામ ખંભાળિયા
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫ દુઃખદ અવસાન – પ્રાર્થનાસભા જામ ખંભાળિયા: સુરેશભાઈ ગીરધરલાલ દત્તાણી (ગગુભાઈ દત્તાણી વાળા) (ઉ.વ. 71) તે સંજયભાઈના મોટાભાઈ તેમજ સ્વ. કિશોરભાઈ અને સ્વ. નરેન્દ્રભાઈના નાનાભાઈ તા. 21 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તેમજ સાદડી શનિવાર તારીખ 22 મીના રોજ સાંજે 5 થી 5:30 ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ […]
ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક યોજાઈ
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર આર.એમ. તન્નાની અઘ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં વર્ષ 2023 અને 2024 દરમ્યાન જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતોની સંખ્યા અને તેની ગંભીરતા અને કારણ મુજબનું વર્ગીકરણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જેના […]
કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા કાલથી બે દિવસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫ ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા શનિવાર તા. 22 અને તા. 23 ના રોજ બે દિવસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવશે. તેઓ શનિવારે સવારે 10 વાગ્યે ભાણવડ તાલુકાના આંબરડી ખાતે આયુષ્માન આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ કાટકોલા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું […]
સિદ્ધેશ્વર વિદ્યાલય ટીમાણા શાળામાં મુંબઈના દાતા તરફથી બંધાવી આપેલ “વહેતી જલધારા “નું લોકાર્પણ
હરેશ જોષી, ટીમાણા આ લોકાર્પણ કાર્યક્રમ માં અમિતભાઈ શાહ અને રોટરી ક્લબ પ્રોજેક્ટ ઓફિસર ડૉ.મોનાબેન શાહ અને સાથે મનિષાબેન શાહ અને વિજયભાઈ જૈન ઉપસ્થિત રહ્યા હતા.સાથે વિવેકાનંદ કેળવણી મંડળ ટીમાણાના પ્રમુખ, મંત્રીશ્રી, સરપંચશ્રી, ભૂતપૂર્વ કર્મચારીઓ, ગામના આગેવાનો તેમજ સ્ટાફ હાજર રહેલ.આ પરબથી વિદ્યાર્થીઓને કાયમ માટે ઠડું અને શીતળ, શુદ્ધ પાણી મળતું રહેશે.અને આ શુભેચ્છક તરફથી […]
