જામ ખંભાળિયા ખંભાળિયાના આહિર અગ્રણી અને ભાજપ કિસાન મોરચાના મહામંત્રી શ્રી કાનાભાઈ હેભાભાઈ કરમુર (મુરલીધર એસ્ટેટ એન્ડ બિલ્ડર) તથા અ.સૌ. મોતીબેન કાનાભાઈ કરમુરની સુપુત્રી ચિ. જયવીના શુભ લગ્ન ખંભાળિયાના અ.સૌ. જશુબેન તથા શ્રી સાજણભાઈ મસરીભાઈ બેલાના પુત્ર ચિ. દિવ્યેશ સાથે ગુરુવાર તારીખ 20-02-2025 ના શુભ દિને યોજાયા છે. અ.સૌ. મોતીબેન તથા શ્રી […]
Tag: SOCIAL
ખંભાળિયામાં સુફી સંત પૂજ્ય શંકર ડાડાની પુણ્યતિથિની થશે ભાવભરી ઉજવણી
– મંગળવારે રક્તદાન કેમ્પ, ભજન સંતવાણી સહિતના કાર્યક્રમો – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫ જાણીતા સૂફી સંત પૂજ્ય શંકર ડાડાની 37 મી પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેકવિધ ધર્મમય કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત આગામી મંગળવાર તારીખ 25 મી ના રોજ અત્રે […]
અવસાન નોંધ: જામ ખંભાળિયા : મામતોરા
મધુબેન (ઉ.વ. ૬૨) જામ ખંભાળિયા: મુકેશભાઈ મથુરાદાસ મામતોરા (ઉત્સવ સિલેકશન વારા) ના ધર્મપત્ની મધુબેન (ઉ.વ. ૬૨) તે હિરેનભાઈ, મિરાબેન માનસેતા તેમજ તૃપ્તિબેન મદલાણીના માતુશ્રી તથા નિરૂભાઈ (આનંદ ડ્રેપર્સ)ના નાનાભાઈના પત્ની અને સ્વ. ભીખાલાલ નાથાલાલ સચદેવ (લાલપુર વાળા)ના પુત્રી તા. ૧૯ ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી ગુરૂવાર તા. […]
રામકથા જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી – મોરારિબાપુ
નારાયણ સરોવરમાં રામકથા ‘માનસ કોટેશ્વર’ શ્રવણ લાભ લેતાં ભાવિકો નારાયણ સરોવર, બુધવાર તા.૧૯-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) તીર્થસ્થાન નારાયણ સરોવરમાં ભાવિકો રામકથા ‘માનસ કોટેશ્વર’ શ્રવણ લાભ લઈ રહ્યાં છે. શ્રી મોરારિબાપુએ કથાગાન કરતાં મહિમા સમજાવતાં કહ્યું કે, રામકથા એ જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી. રાષ્ટ્રનાં પશ્ચિમ છેડે કચ્છમાં તીર્થસ્થાન નારાયણ સરોવરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને […]
કેશોદ ગામે 90 ફૂટ ઊંડા કૂવામાં પડેલી બિલાડીને એનિમલ કેર સંસ્થાએ જીવતદાન આપ્યું
કૂવામાં સાત દિવસથી એક બિલાડી પડી હોવા અંગેની જાણ સ્થાનિક ખેડૂત દ્વારા પશુ સેવા સંસ્થાને કરવામાં આવી હતી જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે 90 ફૂટ ઊંડા એક કૂવામાં છેલ્લા સાત દિવસથી એક બિલાડી પડી હોવા અંગેની જાણ સ્થાનિક ખેડૂત દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં […]
ખંભાળિયામાં રવિવારે સેવાકુંજ હવેલીના ઉપક્રમે રસીયાની રમઝટ
જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫ ખંભાળિયામાં બરછા સ્ટ્રીટ ખાતે આવેલી શ્રી સેવાકુંજ હવેલીના ઉપક્રમે પૂજ્ય ગોસ્વામી શ્રી માધવી વહુજી યશોદાનંદજી મહારાજશ્રીના સાનિધ્યમાં ચિ. ગોસ્વામી શ્રી વલ્લભનાથજી (નુપુરબાવા)ના પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે આગામી રવિવાર તા. 23 ફેબ્રુઆરીના રોજ રસીયાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે નગર ગેઈટ પાસે આવેલી શેઠ […]
દ્વારકા, ભાણવડમાં ભાજપના ભવ્ય વિજયનો શ્રેય જનતા સાથે કાર્યકરોને અપાયો: સલાયામાં કોંગ્રેસના જનમત ઘટાડો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સાથે તાલુકા પંચાયતની બે જુદી જુદી બેઠક પરની યોજાઈ ગયેલી પેટા ચૂંટણી સહિત કુલ પાંચ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પરિણામો ગઈકાલે આવ્યા છે. આ પરિણામોમાં ભાજપનો ગઢ વધુ મજબૂત થયાનું તેમજ કોંગ્રેસનો જનમત ઘટ્યાનું ચિત્ર ખડું થયું છે. ભાજપના ભવ્ય […]
તળાજાના જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને મુખ્યમંત્રી સન્માન
હરેશ જોષી, તળાજા જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૨૨નું શ્રેષ્ઠ ચરિત્રનિબંધનું પ્રથમ પારિતોષિક જાહેર થયું છે. આગામી ૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એમને એવોર્ડ અર્પણ થશે. ‘તેજસ્વિની’ પુસ્તક પદ્મશ્રી સન્માનિત મહિલાઓની સંઘર્ષ ગાથાને આલેખે છે. ટૂંક સમયમાં આ પુસ્તકનો હિન્દી […]
જન્મદિન શુભેચ્છા: ખંભાળિયાના સેવાભાવી કાર્યકર જયસુખ સોનૈયાના સુપુત્ર ડો. સ્નેહ સોનૈયાનો આજે જન્મદિવસ
જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫ ખંભાળિયાના જાણીતા વેપારી અગ્રણી અને સેવાભાવી કાર્યકર જયસુખભાઈ સોનૈયા (પીંડારા વાળા ) તેમજ હિના સોનૈયાના પુત્ર ડો. સ્નેહ સોનૈયાનો આજે જન્મદિવસ છે. સ્નેહ સોનૈયા કે જેઓ પ્રથમ ધોરણથી કોલેજ કાળ સુધી અભ્યાસમાં અવ્વલ જ રહ્યા છે. ઉચ્ચ અભ્યાસ અર્થે તેમણે MBBS તથા MD ની ડિગ્રી […]
દ્વારકામાં વ્રજ હોસ્પિટલના ઉપક્રમે વિના મૂલ્યે માયનોર ઓપરેશનનો મેગા કેમ્પ યોજાયો
– ડો. સાગર કાનાણી દ્વારા મોટી સંખ્યામાં દર્દીઓને સારવાર સાથે દવાઓ અપાઈ – જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૨૦૨૫ દ્વારકામાં નિયમિત રીતે વિના મૂલ્યે નિદાન સાથે વિવિધ પ્રકારની સામાજિક સેવાઓ કરતા જાણીતા તબીબ ડો. સાગર કાનાણી દ્વારા પોતાના પુત્ર શ્રેષ્ઠના જન્મદિવસની ઉજવણી દર વર્ષે વિશિષ્ટ રીતે કરવામાં આવે છે. જેમાં દર વર્ષની જેમ […]
