Saturday June 21, 2025

ખંભાળિયા નગરપાલિકાના કચરાના ડમ્પ યાર્ડમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ: લાંબી જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫        ખંભાળિયા નગરપાલિકામાં દ્વારા શહેરમાંથી કચરો એકત્ર કરી અને અત્રેથી આશરે દશેક કિલોમીટર દૂર આવેલા તરઘડી દેવળીયા ગામ સ્થિત ડમ્પ યાર્ડમાં નાખવામાં આવે છે. અહીં વિપુલ પ્રમાણમાં એકત્ર થયેલા કચરાના ઢગલામાં ગઈકાલે રવિવારે સાંજે કોઈ કારણોસર એકાએક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી જવા પામી હતી અને […]

ઓખામાં ખેંચ આવી જતા દરિયામાં પડી ગયેલા માછીમાર પ્રૌઢનું અપમૃત્યુ

        જામ ખંભાળિયા નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખા ખાતે રહેતા જયંતીભાઈ ઠાકોરભાઈ હળપતિ નામના 57 વર્ષના માછીમાર પ્રૌઢ ગત તારીખ 22 મી જાન્યુઆરીના રોજ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં આવેલી જેટીમાં અલ અતિક નામની બોટમાં આગળના ભાગે બેઠા હતા. ત્યારે તેમને એકાએક ખેંચ આવી જતા તેઓ બોટ પરથી દરિયાના […]

જલદ એસિડ ગટગટાવી જતા દ્વારકાની મહિલાનું મૃત્યુ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા         ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ વતની અને હાલ દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલા ખારા તળાવ ખાતે રહેતા નીલોફર ઉર્ફે નીલમ અબ્બાસભાઈ આમદભાઈ મોદી નામના 43 વર્ષના મહિલાએ થોડા દિવસો પૂર્વે કોઈ અકળ કારણોસર પોતાના હાથે એસિડ પી લીધું હતું. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં […]

ગુમ થયેલ યુવતીને શોધી કાઢતી માધવપુર પોલીસ

પોરબંદરપોરબંદર જીલ્લામાં ગુમ થયેલ બાળકો/ સ્ત્રી/પુરૂષોને શોધી કાઢવા માટે ખાસ સ્પેશ્યલ ડ્રાઇવ (ઝુંબેશ) રાખવામાં આવેલ હોય, અને માધવપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.જી.ચુડાસમા તથા એ.એ.ડોડીયાના માર્ગદશર્ન હેઠળ માધવપુર પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટ્રેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ગુરમીતકોર સોનસિંગ સુરતસિંગ સિકલીકર (ઉ.વ.૧૯ રહે.માધવપુર ગામ, સાગરશાળા પાસે, તા.જિ.પોરબંદર)ને શોધી કાઢી તેનુ તેના પરિવાર સાથે […]

પોરબંદરના દારુના ગુન્હામાં છ માસથી ફરાર રાજુને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોડ

પોરબંદરપોરબંદર પેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના પીએસઆઇ એચ.એમ.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જે.આર.કટારા તથા હેડ કોન્સ્ટેબલ હરેશ સિસોદીયા, પિયુષ સીસોદીયા અને વજશી વરૂની સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે ઉધોગનગર પોલીસના દારુનાના ગુનાના કામે લાલ શાહીનો નાશતો ફરતો આરોપી રાજુ આલાભાઇ ચાવડા (ઉ.વ ૩૦ ધંધો ડ્રાઇવીંગ રહે કોલીખડા ગામ દાંણવાડાડા […]

સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનાભૂતિ અનિવાર્ય – મોરારિબાપુ

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન થયાં અર્પણ ભાવનગર રવિવાર તા.૨૬-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) ભાવનગર શિશુવિહાર સંસ્થામાં માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન અર્પણ થયાં તે વેળાએ મોરારિબાપુએ કહ્યું કે, સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનાભૂતિ અનિવાર્ય છે, જે આ સન્માનિત પ્રતિભાઓ કરી રહેલ છે, જેની પ્રસન્નતા છે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ રચનાત્મક સેવાસંસ્થા શિશુવિહાર દ્વારા માનભાઈ ભટ્ટનાં […]

ગણતંત્ર દિવસની દ્વારકામાં વિશિષ્ટ ઉજવણી: ભગવાન દ્વારકાધીશ તિરંગે રંગાયા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫        76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભારતભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે દ્વારકામાં પણ વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. ભારતના પશ્ચિમ ક્ષેત્રમાં બિરાજીત ભગવાન દ્વારકાધીશના જગત મંદિરના શિખર પર આજે તિરંગા રંગની ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું. એવું પ્રતિક થતું હતું કે જાણે ભગવાન દ્વારકાધીશ તિરંગે રંગે […]

ખંભાળિયાની મહાપ્રભુજી બેઠકમાં બુધવારે ભવ્ય ધર્મોત્સવ: શ્રીનાથજીની ધ્વજાજીની થશે મંગલ પધરામણી

– – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૫          ખંભાળિયાના પાદરમાં આવેલી પૂજ્ય શ્રી મહાપ્રભુજીની 57 મી બેઠકજી ખાતે આગામી બુધવાર તા. 29 મીના રોજ શ્રીનાથજીની ધ્વજાજીની મંગલ પધરામણી થશે. આ પ્રસંગે બુધવારે સવારે દર્શન પૂજનના વિવિધ આયોજન તથા સવારે 11 થી 12 વાગ્યા દરમિયાન રાજભોગનું પણ આયોજન કરવામાં આવ્યું છે.   […]

ઘોઘામાં પ્રજાસત્તાક દિને સમભાવ યુવા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ

પ્રજા સત્તાક દિનની અનોખી ઉજવણી ઘોઘા, તા.26૨૬ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ દરેક વખત ની જેમ આ વખતે પણ સમભાવ યુવા સંગઠન ઘોઘા ના યુવા ઓ દ્વારા જરુરિયાતિ લોકો ની રક્ત ની જરૂરિયાત પુરી કરવા રક્ત દાન ના કેમ્પ નું આયોજન કર્યું છે.જેમા આ વખતે ફક્ત રક્ત દાન જ નહીં હોઈ પણ રક્ત દાન થી થતા […]

રેવા પ્રાથમિક શાળામાં વિદાય કાર્યક્રમ

મુકેશ પંડિત, ઇશ્વરીયા રેવા પ્રાથમિક શાળાના શિક્ષક રાજુભાઈ ડાભીની ગણેશગઢ ખાતે બદલી થતા વિદાય કાર્યક્રમ ગોઠવાયો જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષકગણ અને રેવા ગ્રામ વિકાસ સમિતિના સભ્યો જોડાયાં. વિદ્યાર્થીઓ દ્વારા જૂની યાદોને વાગોળવામાં આવી સાથે સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી. સૌએ વિતાવેલ પળો તાજી કરી. કાર્યક્રમમાં શ્રી રાજુભાઈ ડાભી તેમજ શ્રી જયસુખભાઇ મકવાણા દ્વારા […]

Back to Top