ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો અને રાજ્યના નાગરિકો માટે ચિંતાજનક આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 5 થી 8 મે દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં ધૂળની ડમરીઓ ઉડવાની અને વીજળી પડવાની સંભાવના છે. આ કમોસમી વરસાદથી ઉનાળુ પાક જેવા કે બાજરી, મગ અને કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે છે. અંબાલાલ પટેલે ખેડૂતોને તેમનો તૈયાર પાક સુરક્ષિત સ્થળે ખસેડવાની સલાહ આપી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પવનની ગતિમાં વધારો થવાની શક્યતા હોવાથી તંત્રને એલર્ટ રહેવા જણાવાયું છે.
