બગવદરના ખૂન કેસમાં જામનગરની જેલમાં ગયેલો અને ત્યાંથી ફરાર થયેલો સંજય કારાવદરા આખરે તેના પોતાના જ ગામસોઢાણાની વાડીએથી પકડાયો
પોરબંદર
પોરબંદર જિલ્લાના બગવદર વિસ્તારના એક ખૂન કેસમાં જામનગરની જેલમાં રહેલો સોઢાણા ગામનો સંજય કારાવદરા નામનો આજથી 17 વર્ષ પહેલા તેને પેરોલ રજા મળતા તે સમયસર જેલમાં હાજર થવાને બદલે ભાગી ગયો હતો. સત્તર સત્તર વર્ષથી પોલીસને અંધારામાં રાખ્યા બાદ આખરે પૃથ્વીનો છેડો ઘર જ હોય છે એમ કહેવાય છે તે રીતે સંજય કારાવદરા પોતાના જ ગામની સીમમાં પોતાની જ વાડીએથી પોરબંદર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હાથમાં આવી ગયો હતો.
એસ.ઓ.જી ભીમા ઓડેદરા, ચંદ્ર જાડેજા તથા કોન્સ્ટેબલ દિલીપ મોઢવાડીયાને સંયુકત રીતે બાતમી મળેલ કે, બગવદ૨ પોલીસ સ્ટેશનના ખુનના ગુનામાં જામનગર જિલ્લા જેલનો કાચા કામનો કેદી સંજય પરબત કારાવદરા, (૨હે, છા૨ણી સીમ, વાડી વિસ્તાર સોઢાણા ગામ, તા.જિ.પો૨બંદ૨)ને પેરોલ રજા મળતા છેલ્લા સાત વર્ષ જેટલા લાંબા સમયથી ફરા૨ થઇ ગયેલ છે. જે સોઢાણા ગામે પોતાના ઘરે/ખેત૨ ખાતે આવેલ છે. જે હકીકત આધારે સોઢાણા ગામ છા૨ણી સીમમાં આવેલ મજકુ૨ આરોપીના ઘરે જઇ તપાસ ક૨તા સદર ફરા૨ કેદી/આરોપી મળી આવતા તેને પકડી પાડી જામનગ૨ જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. આ કામગીરીમાં પી.આઈ કે એમ પ્રિયદર્શી, પીએસઆઇ પી ડી જાદવ, એ.એસ.આઇ મહેબુબ, દિપક ડાકી, વિરેન્દ્ર ચાહુ, હેડ કોસ્ટેબલ હરદાસ ગરચર, સમીર જુણેજા, ગિરીશ વાજા અને પોલીસ કોન્સ્ટેબલ ખૂટી વગેરે વગેરે જોડાયા હતા.
