હરેશ જોષી, ખંભાત
ખંભાત તાલુકાની પ્રાણજીવન શાહ પ્રાથમિક શાળામાં શિક્ષકમિત્રો તરફથી શાળામાં અભ્યાસ કરતા 117 બાળકોને ભોજન કરાવવામાં આવ્યું .આ સદકાર્ય પ્રસંગે બ્રાન્ચ 9 ના આચાર્ય મનોજભાઈ મારવાડી , બ્રાન્ચ 1 પે સેન્ટર ના આચાર્ય અનુભાઈ વેગડા, પ્રાણજીવન શાહ સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય જગદીશસિંહ ઝાલા, crc કો.ઓ.અબ્દુલભાઇ શેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષકો દ્વારા થયેલા આ કામ માટે શિક્ષણ પરિવાર તેમજ વાલી વર્ગમાં પ્રશંસા થઈ રહી છે.

