

અન્ય મુસાફરો પણ ઘવાયા: ચાલક સામે ગુનો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા
મીઠાપુરથી આશરે 10 કિલોમીટર દૂર મોજપ ગામ સ્થિત ગૌશાળા માર્ગ પર શનિવારે મુસાફરોને લઈને જઈ રહેલી જી.જે. 18 એ.એક્સ. 6325 નંબરની એક પેસેન્જર રીક્ષા ડિવાઇડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં રિક્ષામાં જઈ રહેલા ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના ખાત્રજ ગામના રહીશ ગિરીશકુમાર મહેન્દ્રસિંહ ચૌહાણ નામના 26 વર્ષના યુવાનને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવાન દસક્રોઈ તાલુકાના નરેન્દ્રકુમાર જુવાનસિંહ ડાભી (ઉ.વ. 23) તેમજ વિજયકુમાર અને દસક્રોઈ તાલુકાના પિયુષભાઈ ડાભી સહિતના છ મુસાફરોને ફ્રેક્ચર સહિતની ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે ઠાકોર પિયુષભાઈ પ્રકાશભાઈ ડાભી (ઉ.વ. 22) ની ફરિયાદ પરથી રિક્ષાને પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી, અકસ્માત સર્જવા સબબ રીક્ષાના ચાલક ઈસ્માઈલભાઈ સામે ભારતીય ન્યાય સહિતા તેમજ એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.એન વાંઝા દ્વારા હાથ ધરવામાં આવી છે.