Saturday June 21, 2025

ખંભાળિયાથી પ્રયાગરાજ મહાકુંભ માટે પ્રસ્થાન કરતા ભક્તોને વિદાયમાન અપાયું

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫

           હિન્દુ ધર્મના આસ્થા અને સનાતન ધર્મના પ્રતીક સમાન પ્રયાગરાજના મહાકુંભમાં સ્નાન કરવા ખંભાળિયા સહિત સમગ્ર પંથકના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગયા હતા અને શ્રદ્ધાની ડૂબકી મારી હતી. આ સાથે આજરોજ ખંભાળિયા શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, કિશાન મોરચા પ્રમુખ માનભા જાડેજા, શૈલેષ જગતિયા, નિકુંજભાઈ વ્યાસ, અજીતસિંહ જાડેજા (આશાપુરા સિમેન્ટ), દેવાંગ શુક્લ, ધ્રુવ ગોહેલ અને દીપકભાઈ જગતીયાએ પ્રસ્થાન કરતા ઢોલ-નગારા સાથે ફૂલહાર કરીને સૌના મોં મીઠા મીઠા કરાવી વિદાયને આપવામાં આવી હતી.

       જેમાં જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા, રાજપૂત સમાજ પ્રમુખ નટુભા જાડેજા, રવિરાજસિંહ જાડેજા, અશોકભાઈ કાનાણી, હસુભાઈ ધોળકીયા, ભીખુભા બાપુ, વિજયસિંહ વાઢેર, રાજભા જાડેજા, ભાર્ગવ શુક્લ, રાજુભાઈ ચાવડા, જયુભા પરમાર, ધવલ ગોરીયા, ઋતુરાજસિંહ જાડેજા, દીપક મારુ, રશ્મિન ગોકાણી, મનીષ સામાણી, મુન્નાભાઈ કારિયા, અમિતભાઈ શુક્લ સહિતના આગેવાનો કાર્યકરોએ ઉપસ્થિત રહીને મંગલમય યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top